આજથી જ શરુ કરી દયો આ સસ્તી દાળનું સેવન, જીવો ત્યાં સુધી નહિ થવા દે કેન્સર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગ, શરીર રહેશે આજીવન સ્વસ્થ અને મસ્ત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સ્વસ્થ રહેવા માટે શું કરવું તે આપણે નથી જાણતા. કૃત્રિમ અને ખર્ચાળ ઉત્પાદનોનો વપરાશ કરો. જ્યારે બજારોમાં એવી ઘણી બધી ખાદ્ય વસ્તુઓ છે જે સહેલાઇથી અને સસ્તા ભાવે મળે છે, જે તમને સ્વસ્થ બનાવવા માટે પૂરતી છે.

લોકો દરેક પ્રકની દાળનું સેવન કરતા હોય છે જેમકે ચણાની દાળ, મગની દાળ, તુવેર દાળ. આ દરેક દાળનું સેવન શરીર માટે ફળાકારક છે અને તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન અને વિટામિન્સ મળી રહે છે. આવી જ એક દાળ વિષે આજે અમે માહિતી આપવા જઇ રહ્યા છીએ જેનાથી મોટા ભાગના લોકો અજાણ છે પરંતુ તેના ફાયદા જાણીને તમે પણ તેનું સેવન શરુ કરી દેશો.

એ દાળનું નામ છે વટાણાની દાળ. જી, હા વટાણાની દાળ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. વટાણા એક કઠોળનો પાક છે. જેનો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવે છે કરવામાં આવે છે. શિયાળામાં તેનો ઉપયોગ કાચા વટાણા રૂપે કરવામાં આવે છે. ઉત્તરભારતમાં લગભગ દરેક ઘરમાં લીલા વટાણાની અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત વટાણાને સુકવીને તેની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. દાળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને અત્યંત જરૂરી છે.

વટાણાની દાળના ફાયદા:

વટાણાની દાળમાં પ્રોટીનની માત્રા ભરપુર હોય છે તેથી ડોક્ટરો દાળનું સેવન કરવાની સલાહ આપે છે. આથી નિયમિત રૂપે વટાણાની દાળનું સેવન કરવાથી અનેક રોગો દુર થાય છે.આ ઉપરાંત તેમાં પ્રોટીન,કેલેરી, ફેટ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, શુગર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને જીંક જેવા તત્વો રહેલા છે.

વટાણાની દાળ બે પ્રકારની હોય છે. લીલા વટાણાની દાળ અને સફેદ વટાણાની દાળ. લીલા વટાણાની દાળ હૃદયના દર્દી માટે ફાયદાકારક છે. તેમજ માંસપેશીઓના વિકાસ માટે પણ આ દાળ ખુબ જ ફાયદાકારક છે. સફેદ દાળ પાચનતંત્ર સારું કરી અને શરીરમાં પોષક તત્વો પુરા પાડે છે.

કોલેસ્ટરોલ વાળા લોકો માટે તો સફેદ વટાણાની દાળ ફાયદાકારક છે. ખરેખર, સફેદ વટાણાની દાળમાં વિપુલ પ્રમાણમાં કોલેસ્ટરોલ-ફાઇબરિંગ ફાઇબર હોય છે. આ ફાઇબર શરીરમાં કુલ એલડીએલ ઘટાડીને કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય સફેદ વટાણાની દાળમાં ઘણા બધા વિટામિન અને ખનિજો હાજર હોય છે, જેને હૃદય માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે.

એનિમિયા એ લોહીની ઉણપની સમસ્યા આયર્નની ઉણપને કારણે ઉદ્ભવે છે. માત્ર આ જ નહીં, આયર્નની ઉણપને કારણે વ્યક્તિ થાક અને નબળાઇ અનુભવે છે. આવી સ્થિતિમાં સફેદ વટાણાની દાળ આ રોગોથી બચાવે છે. સફેદ વટાણાની દાળમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન છે, જે એનિમિયા અને અન્ય ઘણા લક્ષણોથી સુરક્ષિત રાખે છે. એક દિવસમાં વ્યક્તિને જરૂરી 7.5 ટકા આયર્ન સફેદ વટાણાની દાળ માંથી મળી રહે છે.

વટાણાની દાળ હાડકાં અને દાંત માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ખરેખર, હાડકાં અને દાંતની મજબૂતી જાળવવા ફોસ્ફરસની જરૂર પડે છે. વટાણાની દાળને ફોસ્ફરસનો ઉત્તમ સ્રોત માનવામાં આવે છે. આ ઉપરાંત, ફોસ્ફરસ ભૂખ લગવામાં, સાંધાઓની કડકતા અને નબળાઇ અટકાવવામાં પણ મદદ કરે છે.

પેટના કેન્સરમાં લીલા વટાણાની દાળ એક સચોટ ઔષધિ છે. એક અભ્યાસમાં માલૂમ પડ્યુ છે કે લીલા વટાણાની દાળમાં રહેલા કાઉમેસ્ટ્રોલ જે કેન્સરથી લડવામાં મદદરૂપ થાય છે. સાથે જ આ દાળનું નિયમિત સેવન કરવાથી પેટના કેન્સરનો ખતરો ઓછો થઇ શકે છે.તેમા એન્ટી ઓક્સીડેંટ, ફ્લૈવાનોઇડ્સ, ફાઇટોન્યૂટિંસ, કૈરોટિન રહેલા છે. જે શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top