પેટ, ચામડી, વાળ, જીવજંતુના ડંખ જેવા 100થી વધુ રોગનો સફાયો કરે છે માત્ર આ એક વસ્તુ નું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળામાં વિવિધ લીલીછમ ભાજીઓ બજારમાં વધુ પ્રમાણમાં મળે છે. આ ભાજીઓના સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે.તાંદળજાની ભાજીમાં અનેક ઓષધીય ગુણ હોવાથી તેને આર્યુવેદમાં વિવિધ રોગના   ઉપચાર માટે ઉપયોગી કહી છે.

તાંદળિયાની ભાજી કફ, પિત્તનો નાશ કરે છે. તેના સેવનથી રક્ત શુદ્ધ થાય છે. તે પેટની બીમારીઓ માટે પણ ગુણકારી છે. તેના રેશામાં ક્ષાર, દ્રવ્ય હોય છે, જેઆંતરડા સાથે ચોંટેલા મળને સાફ કરી તેને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાતની સમસમ્યા ઓછી થાય છે, પાચનંતંત્ર સુધરે છે.

તેના નિયમિત સેવનથી વાયુ ને ત્વચાના વિકાર દૂર થાય છે.લાલ તાંદળિયાની ભાજી એનિમિયમાં બહુ લાભદાયક છે. તેનો સોથી વધુ મોટો ગુણ દરેક ઝેરીલા તત્વોનું નિવારણ કરવાનો છે. ઊંદર, વીંછીનું ઝેર ચડી ગયુ હોય તો, તાંદળિયાના રસમાં અથવા તો તેની જડનો તાથો બનાવીતેમાં કાળામરીનો ભુક્કો ભેળવી  પાવાની   સલાહ આર્યુવેદમાં આપી છે.

નાના બાળકોને કબજિયાતની તકલીફ થા તેને બે-ત્રણ ચમચા તાંદળિયાની ભાજીનો રસ પીવડાવવો. પ્રસુતાને માટે પણ આ રસ ઉપયોગી મનાય છે. તાંદળજાની ભાજીમાં સમાયેલા પેપ્ટાઇડસમાં કેન્સરના સેલ્સના વિકાસને રોકવાની ક્ષમતા છે. તેના એન્ટીઓક્સીડન્ટસ સેલસને ડેમેજ થતા બચાવે છે.

તાંદળજા લો કેલરી હોવાથી ેએક વખત  સેવન કરવાથી ફક્ત ૧૩ કેલરી જ મળે છે. જેથી તેને ડાયેટ કરનારાઓ પોતાના આહારમાં પસંદ કરે છે. આ ઉપરાંત ડાયાબિટિસના દરદીઓ માટે પણ તે ગુણકારી છે. બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખે છે.  તેમાં પ્રોટીન પણ સારી માત્રામાં સમાયેલુ હોવાથી તે સ્નાયુઓને મજબૂત કરે છે.

એનિમિકથી પીડાતી વ્યક્તિઓએ તાંદળજાની ભાજીનું સેવન નિયમિત કરવું.  આ સાથે પાલખનો સમાવશે પણ રોજિંદા આહારમાં કરવો. તાંદલાજી ભાજીના સેવનથી દ્રષ્ટિ સુધરે છે. તેમાં વિટામિન એ પ્રચુરમાત્રામાં સમાયેલું હોય છે.

તાંદળજામાં સમાયેલ લાઇસિન નામનો એક દુર્લભ એસિડ હોય છે જે શરીર દ્વારા ઉત્પાદિત થઇ સકતો નથી. આ એમિનો એસિડ કેલશિયમની ક્ષમતામાં  સુધાર કરે છે અને વાળની જડને મજબૂત કરે છે, તેમજ તેનો કુદરતી રંગ જાળવી રાખે છે.

વાળને શેમ્પુ કર્યા  બાદ  સ્કેલ્પ પર તાંદળજાની  ભાજીનો રસ લગાડવો અને ૧૦ મિનિટ બાદ ધોઇ નાખવું. અઠવાડિયામાં એક-બે વખત કરવું. તેના સિવાય લાઇસીન એમિનો એસિડથી સર્જરી અથવા રમતથી થયેલી ઇજામાં જલદી સુધાર લાવે છે.

આ ભાજી ખાવાથી શરીરમાં રહેલી અને બગડેલી કે દૂષિત થયેલી રક્તધાતુ સુધરે છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવ તો શરીરમાં થયેલા મેટલ પોઇઝનિંગને એ સરળતાપૂર્વક ૪-૮ દિવસમાં બહાર કાઢી નાખે છે. શરીરની ગરમીમાં જૂનામાં જૂના તેમ જ હઠીલામાં હઠીલા રોગો આ તાંદળજાની ભાજીના સેવનથી મટે છે.

વીંછીના વિષ પર તથા સોમલના વિષના ઉતાર માટે તાંદળજાનો રસ સાકર નાખી પીવડાવવો. તાંદળજાના રસમાં સાકર નાખીને મૂળના કલ્કમાં કાળાં મરી નાખીને પીવડાવવાથી તમામ સ્થાવર તથા જંગમ વિષ દૂર થાય છે. આવા સમયે દરદીને તાંદળજાની ભાજી ખૂબ ખવડાવવી જોઇએ.

ઘણી વખત શરીર માં ગરમીને લીધે ત્વચા પર લાલ રંગની ફોલ્લીઓ થઇ હોય ત્યારે જો આ બાફેલી ભાજી આપવામાં આવે તો એ ખૂબ જ ગુણકારી નીવડે છે. આનાથી લોહીની શુદ્ધિ તો થાય જ છે, સાથે શરીરમાં હીમોગ્લોબિનની માત્રા પણ વધે છે.

ઘણી વખત મહિલાઓને વધુ માસિક ની સમસ્યા થતી હોય છે. આ માટે જો તાંદળજાનાં મૂળ સાફ કરી અને ચોખાની કાંજી અને રસાંજન સાથે તેનું સેવન કરવામાં આવે તો ઘણો લાભ થાઈ છે. પ્રસવોત્તર માતાને જો યોગ્ય પ્રમાણમાં ધાવણ ન આવતું હોય તો એ માતાનું ધાવણ વધારે છે.

આ ભાજી ચોમાસમાં અને શિયાળાની ઋતુમાં વધુ માત્રમાં જોવામાં આવે છે. ખેતરની અંદર તે પાક સાથે ઉગી નીકળે છે.શિયાળાના પાકમાં ખેતરમાં તે વિપુલ માત્રામાં મળી જાય છે.ખાસ કરીને ઘઉંમાં તે ઉપલબ્ધ રહે છે.કારણ કે,ઘઉંમાં નિંદામણ પ્રક્રિયા કરવામાં આવતી નથી.

તાંદળજાની ભાજીના આયુર્વેદિક ગુણોની વાત કરતાં રાજ મર્ચન્ટ કહે છે, ‘પેટની ગરમીને લીધે માથાના વાળ ખરવાની સમસ્યા થાય છે. જે લોકોને વાળ ખરવાની તકલીફ હોય તેઓ જો દર બે દિવસે તાંદળજાની ભાજી ખાવાનું રાખે તો તેમના વાળ ખરતા બંધ થઈ જશે. કોઈ પણ વસ્તુની મર્યાદા હોવી જોઈએ તેથી દર બે દિવસે એ ખાઈ શકાય.’

પેટની ગરમી, ઍસિડિટી, પેટનો દુખાવો વગેરેમાં તાંદળજો તરત રાહત આપે છે. મગજ ગરમ રહેતું હોય એ તાંદળજાની ભાજી ખાય તો મગજ શાંત રહે. આંખોને તકલીફ થતી હોય, બળતી હોય તો એ તકલીફ દૂર કરે.

પગમાં ચીરા પડ્યા હોય, પગમાં બળતરા થતી હોય તેઓ જો તાંદળજાની ભાજી ખાય તો બે દિવસમાં રાહત મળે છે. તાંદળજાની ભાજીમાં આયર્ન, કૅલ્શિયમ, વિટામિન-એ અને વિટામિન-સી તથા ફાઇબર ભરપૂર પ્રમાણમાં છે.

તાંદળજાના ન્યુટ્રિશનમાં હજી વધુ ઉમેરો કરવા માટે એમાં મગની દાળ, કાંદા, ટમેટું, લસણ અને બટેટું, રીંગણાં અથવા કેટલીક વાર પાલક અથવા સૂવાની ભાજીને મિક્સ કરીને ખાવામાં આવે તો એમાં બાકીના ન્યુટ્રિશન ઍડ થતાં એ કમ્પ્લીટ ફૂડ બને છે.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top