આ જાદુઈ પાંદડાથી મિનિટોમાં 30થી વધુ રોગોનો સફાયો, બ્લડપ્રેશરના દર્દી માટે તો છે સંજીવની સમાન, જીવનભર બીપીની દવા થઇ જશે બંધ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સીતાફળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે, તેટલા જ તેના ગુણો પણ વધુ હોય છે. ફળ એવું છે કે દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે જે રીતે સીતાફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેવી જ રીતે સીતાફળના પાંદડામાં પણ ઘણા ગુણ છુપાયેલા છે. જી હા, તમે બિલકુલ સાચું વાંચ્યું છે, સીતાફળના પાન ખૂબ જ ફાયદાકારક છે. સીતાફળના પાન હૃદય, ડાયાબિટીસ, ચામડીના રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે, સાથે જ આ પાંદડા વાળના માટે પણ ફાયદાકારક છે.

સીતાફળના પાનમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. એટલું જ નહીં તેના સેવનથી હાર્ટ સ્ટ્રોકનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે. તેના પાંદડાના સેવનથી કાર્ડિયોવેસ્ક્યુલર અને વાલ્વ્યુલર રોગનું જોખમ પણ ઓછું થાય છે.

સીતાફળના પાંદડામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેના પાનનું સેવન કરવાથી ઉનાળામાં હીટ સ્ટ્રોક ઉપરાંત ત્વચાના રોગો અને સનબર્નથી રાહત મળે છે. જે લોકોને બીપીનો પ્રોબ્લેમ છે તેમના માટે સીતાફળના બીજ સંજીવની સમાન છે, સીતાફળના બીજનું સેવન બ્લડપ્રેશરમાં અચાનક થતા બદલાવને નિયંત્રિત કરે છે. તેમજ શુગરની માત્રા પણ નિયંત્રણમાં રાખે છે.

સીતાફળના પાંદડામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સીતાફળના પાનમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જેના કારણે ઘા ઝડપથી રૂઝાય છે. તેને ઈજા પર લગાવવાથી દુખાવો દૂર થાય છે. આ સીતાફળના પાંદડાની ચા નિયમિત સવારે પીવાથી પેટ ફરતેની વધારાની ચરબી ઓગળી જાય છે અને વજનમાં ઘટાડો થાય છે.

આ સીતાફળના પાંદડાની ચા નિયમિત પીવાથી પાચનશક્તિ મજબુત બને છે. પેટમાં જે બેક્ટેરિયાનો નાશ થાય છે. જેથી પેટની સમસ્યા ઠીક થાય છે. ખાસ કરીને ગેસ, એસીડીટી અને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આ પાનની ચા પીવાથી અઠવાડીયાની અંદર ખુબ સારું પરિણામ આપે છે.

જે લોકોને ઝાડા કે મરડોની બીમારી થઇ હોય તો આવા લોકો માટે સીતાફળના પાંદડાની ચા ખુબ જ સારું પરિણામ આપે છે. આ સીતાફળના 10 પાંદડા લઈને આ પાનને 200 મિલી પાણીમાં નાખી, પાણીને ખુબ ઉકાળી લેવું. ત્યાર બાદ ગાળીને ઠંડું થાય ત્યારે તેને પી લેવું. આટલું કરવાથી ઝાડા અને મરડોની સમસ્યા હોય તેમાં અદભૂત પરિણામ આવે છે.

સીતાફળના પાંદડા સેવન કરવાની રીત:

સીતાફળના પાનને ઉકાળીને તેનું પાણી પીય શકાય છે. આ ઉપરાંત વાગેલા ઘા અને દુખાવામાં સીતાફળના પાનની પેસ્ટ બનાવીને લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top