માત્ર આ નાનકડા શેકેલા દાણા એસિડિટી, કબજિયાત, કોલેસ્ટ્રોલ અને લોહીની કમી જીવનભર રાખશે દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મસાલાનો ઉપયોગ મોટાભાગે વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. આ મસાલાઓ લગભગ દરેક રસોડામાં હોય છે. આ મસાલામાંથી એક મસાલો છે જીરું. જે ન માત્ર ખાવામાં સ્વાદ વધારે છે પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. કારણ કે જીરું ઔષધીય ગુણોથી ભરપૂર છે. પરંતુ શું તમે જાણો છો કે શેકેલું જીરું ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે.

જી હાં શેકેલા જીરાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ કે શેકેલા જીરામાં ઝીંક, કોપર, આયર્ન, કાર્બ્સ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી અને વિટામિન ઇ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરને સ્વસ્થ રાખે છે.

શેકેલું જીરું ખાવાથી શરીરને થતા ફાયદા:

વધતા વજનથી પરેશાન લોકો વજન ઓછું કરવા માંગતા હોય તો શેકેલા જીરાનું સેવન અવશ્ય કરવું જોઈએ. કારણ કે એવા ઘણા તત્વો શેકેલા જીરામાં જોવા મળે છે, જે વધારાની ચરબીને ઓગળે છે. આ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને સવારે જાગીને પીવો.

શેકેલા જીરાનું સેવન પેટ માટે ખૂબ ફાયદાકારક છે. કેમકે કે શેકેલા જીરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે પાચન તંત્ર (પાચનક્રિયા)ને મજબૂત બનાવે છે અને પાચન ક્રિયા સાથે જોડાયેલી એસિડિટી, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ તેના સેવનથી પેટના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.

જ્યારે શરીરમાં લોહીની કમી હોય ત્યારે શેકેલા જીરાનું સેવન ફાયદાકારક છે. કારણ કે શેકેલા જીરામાં આયનાઇઝર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે, જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને લોહીની કમીને દૂર કરે છે.

શેકેલા જીરાના સેવનથી ત્વચાને પણ ઘણા ફાયદા થાય છે. કારણ કે શેકેલા જીરામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે ત્વચા સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરે છે. તે ત્વચાને સ્વસ્થ બનાવે છે.

શેકેલા જીરામાં વિટામિન સી અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે, તેથી જો તમે શેકેલા જીરાનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના દ્વારા તમે વાયરસ અને બેક્ટેરિયાથી બચી શકાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શેકેલા જીરાનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે શેકેલા જીરામાં ભરપૂર માત્રામાં એંટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરે છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે શેકેલા જીરાનું સેવન પણ ફાયદાકારક છે. કારણ કે શેકેલું જીરું ઠંડુ હોય છે, જે શરીરને ઠંડક આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top