માત્ર થોડા સમયમાં વર્ષો જૂના અને હઠીલા સફેદ ડાઘ કે કોઢને કાયમી દૂર કરી દેશે આ આયુર્વેદિક લેપ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સફેદ ડાઘની સમસ્યા એટલે કે કોઢ ની સમસ્યા ખુબજ જોવા મળે છે. આવા ડાઘ પડવાથી શરીર બગડી જાય છે અને સાવ ખરાબ લાગે છે. શરીર પર સફેદ ડાઘ થવાની સમસ્યાને આપણે ત્યાં કોઢ નું નામ આપવામાં આવે છે. મેડિકલ સાયન્સ ની ભાષા મા તેને વીટીલીગો નામથી ઓળખવામાં આવે છે. આ એક ત્વચા ને લગતો રોગ છે.

અત્યંત ઉગ્ર ગંધને લીધે તરત ઓળખાઈ આવતા અને આખા ભારતમાં થતા બાવચીનો છોડ આયુર્વેદનું પ્રસિદ્ધ ઔષધ છે. એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી, સવાર-સાંજ એકાદ વરસ સુધી નિયમિત પીવાથી સફેદ કોઢ અને બીજા ચામડીના રોગ નાશ પામે છે.

બાવચીનાં બીને દૂધમાં ખૂબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટી ને દૂધમાં ઘસી, પેસ્ટ (લેપ) જેવું બનાવી, કોઢ ના ડાઘ પર લગાવી, સવારના કુમળા તડકામાં અર્ધા કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી કોઢ મટે છે. ગાયના મૂત્રમાં 3-4 ગ્રામ હળદર મેળવી પીવાથી કોઢ મટે છે.

મન:શીલ, હરતાલ, કાળાં મરી, સરસિયું અથવા બાવચી નું તેલ અને આકડાનું દૂધ – આ બધાંનો લેપ બનાવી ચોપડવાથી કોઢ મટે છે. મોરથુથુ, વાવડિંગ, કાળાં મરી, કઠ-ઉપલેટ, લોધર અને મન:શીલ આ દ્રવ્યોનો લેપ કોઢ મટાડે છે. રસવંતી અને કુવાડિયાનાં બીજને કોઠાના રસમાં મિક્સ કરી તૈયાર કરેલો લેપ પણ કોઢ મટાડે છે.

સફેદ ડાઘનો કુદરતી ઉપચાર અડદના લોટથી પણ શક્ય બને છે. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી સખત રીતે વલોવવું. એ લોટ દિવસમાં ચારપાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું. આ ઉપચારથી થોડા જ દિવસોમાં ફરક પડવા લાગશે. ગરમ કરેલા ગેરુ ના પાઉડરમાં તુલસીનાં પાનનો રસ મેળવી, પેસ્ટ બનાવી, સફેદ કોઢ પર સવાર-સાંજ લગાડવાથી ફાયદો થાય છે.

કરંજનાં બી, કુવાડિયાનાં બી અને કઠ એટલે કે ઉપલેટ – આ ત્રણે ઔષધો સમાન ભાગે લઈ, બારીક ચૂર્ણ કરો. એને ગૌમૂત્રમાં વાટી તેનો લેપ કોઢવાળા સ્થાન પર લગાડવાથી થોડા દિવસોમાં જ કોઢ મટવા લાગે છે. હળદર અને દારુહળદર, ઈન્દ્રજવ, કરંજનાં બીજ, જાયનાં કોમળ પાન, કરેણનો મધ્યભાગ તથા તેની છાલ – આટલાંનો લેપ કરી, તેમાં તલના છોડનો ક્ષાર ભેળવીને લગાડવાથી કોઢ મટે છે. (આ લેપ લગાડી સવારના તડકામાં બેસવું.)

સફેદ કોઢ અસાધ્ય ગણાય છે. શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય તો મધમાં નવસાર મેળવી દિવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહિનાની અંદર પરિણામ જોવા મળે છે. ધીરજપૂર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઈએ. વળી આ ઉપચાર ની ખૂબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ આ ઉપચાર કરી શકાય અને એની કોઈ આડઅસર નથી.

રસવંતી અને કુવાડિયાનાં બીજને કોઠાના રસમાં મિક્સ કરી તૈયાર કરેલો લેપ કોઢ મટાડે છે. મૂળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, કુંવાડિયા ના બીજ, ગંધ બિરોજા, ત્રિકટુ ચૂર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચૂર્ણ), વાવડિંગનું ચૂર્ણ : આ બધાં ઔષધોને મિશ્ર કરી ગૌમૂત્ર સાથે વાટી, લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, કોઢ વગેરે મટે છે.

કુવાડિયાનાં બીજ, કઠ, સૌવિરાંજન, સિંધવ, સરસવનાં બીજ તથા વાવડિંગ – આ બધાં ઔષધો સરખા ભાગે લઈ, તેને ગૌમૂત્રમાં ખૂબ જ લસોટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડી તડકામાં બેસવાથી કીમી, કોઢ તથા મંડળ કુષ્ઠ , સોરાયસીસ થોડા દિવસોમાં મટે છે. તાજા અડદ વાટી, ધોળા કોઢ પર ચોપડવાથી સારો લાભ થાય છે. તાંદળજાની ભાજી ખાવાથી કોઢ મટે છે.

રાઈના લોટને ગાયના આઠ ગણા જૂના ઘી માં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે. તુલસીના મૂળનો ઉકાળો કરીને પીવાથી કોઢ મટે છે. કેળનાં સૂકવેલાં પાનનો બારીક પાઉડર માખણ કે ઘી સાથે મેળવી દિવસમાં ચારેક વખત લગાડવો. આ પ્રયોગ ધીરજપૂર્વક કરતા રહેવાથી સફેદ ડાઘ મટે છે

આકડાનાં મૂળ 40 ગ્રામ, કરેણનાં મૂળ 40 ગ્રામ, ચણોઠી 40 ગ્રામ, બાવચીનાં બીજ 200 ગ્રામ, હરતાલ 40 ગ્રામ, સૂકો ભાંગરો 40 ગ્રામ, હીરાકસી 20 ગ્રામ અને ચિત્રકમૂળ 20 ગ્રામનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, એ પલળે એટલું ગૌમૂત્ર નાખી, ખૂબ લસોટી પેંડા જેવડી સોગઠીઓ બનાવી સૂકવી લેવી. આ સોગઠી પથ્થર ઉપર ગૌમૂત્ર સાથે વાટવી.

આ પેસ્ટ સવાર-સાંજ સફેદ કોઢ પર લગાડવાથી કોઈને જલદી તો કોઈને ધીમે ધીમે કોઢ મટે છે. આ ચૂર્ણ ફક્ત બાહ્ય ઉપચાર માટે જ વાપરવું તેનો ખાવામાં ઉપયોગ કરવો નહિ. ગરમાળો, કરંજ, થોર, આકડો અને ચમેલી – પાંચેય વનસ્પતિનાં પાન ગોમૂત્રમાં પીસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે. રાળનું તેલ દિવસમાં બે વખત નિયમિત લગાડવાથી પણ સફેદ કોઢ મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top