દરરોજ માત્ર આ એક વસ્તુનું સેવન બચાવી શકે છે ડાયાબિટીસ, વજન વધારા જેવી અનેક સમસ્યા માથી, જરૂર જાણો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રવા ને ઘઉંનો જ એક પ્રકાર કહી શકાય છે. તેને મોટાભાગની જગ્યાએ સોજી ના નામથી ઓળખવામાં આવે છે. રવામાંથી વિવિધ વાનગીઓ બનતી હોય છે. ફરસાણથી લઈને મીઠાઈમાં પણ રવાનો ઉપયોગ થાય છે. રવાનો શીરો અબાલ-વૃદ્ધ સૌકોઇને પ્રિય હોય છે.

રવા માં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ છે. આ બંને પાચનને ધીમું કરે છે. છતાં ભરપેટ જમ્યાનો તે થાઇમિન અને ફોલેટ જેવા બી વિટામિન્સમાં પણ વધારે છે, જે શરીરમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ધરાવે છે, જેમાં ખોરાકને એનર્જી માં રૂપાંતરિત કરવામાં સહાય કરે છે. રવા માં ફાઈબરની સાથે વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ સિવાય બીજા પોષક તત્વ પણ હોય છે. જે આરોગ્યથી સંકળાયેલા ઘણા ફાયદા આપે છે.

વધુમાં, રવા માં આયર્ન અને મેગ્નેશિયમનો સારો સ્રોત છે. આ ખનિજો લાલ રક્તકણોના ઉત્પાદન, હૃદય ના આરોગ્ય અને બ્લડ સુગર નિયંત્રણ સમૃદ્ધ રવા નો લોટ પૌષ્ટિક છે. અને વિવિધ બી વિટામિન, આયર્ન, પ્રોટીન અને ફાઈબરનું ઉચ્ચ સ્તર પૂરું પાડે છે.

રવા નો ગ્લાઈસેમિક ઈંડેક્સ બહુ ઓછું હોય છે. જે શરીરમાં શર્કરાની માત્રા નહી વધારે અને ડાઈબિટીસ ના દર્દીઓ માટે ફાયદાકારી હોય છે. આ એક હળવું આહાર છે, જે શરીરની ઉર્જાનો નહી  ની ઉણપ નહિ દર્શાવે.  પણ તેને ખાધા પછી ભારે નહી પણ હળવું જ લાગે છે.

સવારે રવામાંથી બનેલો નાસ્તો ખાવાથી સંપૂર્ણ દિવસ શરીરમાં ઉર્જા ટકી રહે છે. નાસ્તામાં રવામાંથી બનાવેલી વાનગીની સાથે જો શાકભાજી ખાવામાં આવે તો વધારે ફાયદાકારક નીવડશે. રવો હૃદય માટે સારો છે. હૃદય રોગનું જોખમ ઘટાડવાથી પણ બચાવે છે. આ સાથે જ રક્ત પરિભ્રમણને જાળવી રાખે છે.

રવામાં રહેલું ફાઇબર પાચનતંત્રને પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ બને છે. આ હળવું હોવાના કારણે સરળતાથી પચી જાય છે . રવામાં કેલ્શિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઘણા ખનીજતત્વો રહેલા છે. જે  પાચનતંત્રની જાળવણી માટે મદદરૂપ નીવડે છે. પાચન સંબંધી સમસ્યાઓ પૈદા નહી કરે અને પેટ પણ સરળતાથી સાફ હોય છે.

રવામાં રહેલું સેલેનીયમ તત્વ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે. તે ઘણા પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે. આ સાથે જ પ્રતિકારક શક્તિને મજબુત કરી બીમારીઓ સામે લડવા માટે તૈયાર કરે છે.

રવામાં પર્યાપ્ત માત્રામાં આયર્ન હોય છે. જેનાથી શરીરમાં લોહીની કમી સર્જાતી નથી અને વિવિધ અંગોને પુષ્કળ ઊર્જા સ્ત્રોત મળી રહે છે. રવામાં રહેલું ફોસ્ફરસ, ઝીંક, મેગ્નેશિયમ નર્વસ સિસ્ટમ જાળવી રાખે છે. આ સાથે જ પુષ્કળ પ્રમાણમાં રહેલું પ્રોટીન ત્વચા અને સ્નાયુઓ માટે લાભકારક છે.

જયારે ખાવાનું ધીમે ધીમે હજમ થતું હોય તો જલ્દી ભૂખ નહિ લાગે. તેમાં ઢગલાબંધ ફાઈબર પણ હોય છે જેને લીધે આ ધીમે ધીમે હજમ થાય છે તો આ શરીર માટે સારું છે.કેમ કે તેના કારણે મોટાપો પણ નથી આવતો.

સોજીમાં ઢગલાબંધ જરૂરી પોષણ હોય છે, જેવા કે ફાઈબર, વિટામીન બિ, કોમ્પ્લેક્ષ અને વિટામીન ઈ વગેરે. સાથે જ તેમાં ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડીયમ પણ નથી હોતા. સાથે જ તેમાં ઢગલાબંધ મિનરલ્સ પણ હોય છે. તેથી તે એક સંતુલિત આહાર છે.

જરૂરી વિટામીન, ખનીજ અને બીજા પોષક તત્વોને કારણે સોજી શરીરના ઘણા કાર્યોને પ્રોત્સાહન આપે છે. તે હ્રદય અને કીડનીની કાર્ય ક્ષમતા ને વધારે છે. સાથે જ તે માંસપેશીઓ ને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ પણ કરે છે, તે હાડકા, તંત્રિકા અને માંસપેશીને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે.

સોજીમાં ઓછી ચરબી અને કોલેસ્ટ્રોલ પણ નથી હોતું એથી તે લોકો માટે સારી છે. જેમને કોલેસ્ટ્રોલ વધી જાય છે. તેમાં ન તો ટ્રાન્સ ફેટ્ટી એસીડ હોય છે. અને ન તો સંતૃપ્ત ચરબી હોય છે.જેના કારણે  હાઈ કોલેસ્ટ્રોલ થી બચી શકાય છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top