વજન ઓછુ કરવાની સાથે સાથે હિમોગ્લોબિન પણ વધારે છે આ શાકભાજી, જાણો વિગતે તેના ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

છત્રી જેવા દેખાતા મશરૂમ સ્વભાવે ખુબ ગુણકારી હોય છે. મશરૂમ થોડા મોંઘા હોય છે. પણ સ્વાસ્થ્ય માટે એટલા લાભદાયી પણ હોય છે. તેમાં લાઈસિન નામના એમિનો એસિડ વધારે હોય છે, જે શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે છે. ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય.

એંટીઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે. દરરોજ મશરૂમ નું સેવન કરવાની લગભગ 20 ટકા જરૂરિયાત વિટામિન-ડીમાં જોવા મળે છે. શિયાળામાં, વ્યક્તિને શિયાળાની ભૂલોને ટાળવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે.

આ સ્થિતિમાં, મશરૂમ એક સારો ઉપાય છે કારણ કે મશરૂમ માનવ ત્વચાની જેમ સૂર્યને શોષી લે છે. આ સિવાય વિટામિન બી, પોટેશિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ સહિતના ઘણા મહત્વપૂર્ણ ખનીજ અને વિટામિન મશરૂમ્સમાં જોવા મળે છે. ડાયાબિટીઝના દર્દીઓને મશરૂમથી ખાસ્સો લાભ થાય છે. તેમાં વિટામિન, મિનરલ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ ફેટ, કાર્બોહાઈડ્રેટ અને શુગરનું પ્રમાણ ના બરાબર હોય છે. તેથી જ ડાયાબિટીસવાળા લોકો મશરૂમ ખાય તો વધારે લાભ થાય છે.

જેમનામાં હીમોગ્લોબિન બહુ ઓછુ હોય તેમને પણ મશરૂમથી લાભ થાય છે. તેમાં લોહ તત્વ એટલે કે આયરન હોય છે.  જે હીમોગ્લોબીનનું સ્તર સુધારે છે. બીપીની તકલીફ હોય તેવા લોકો મશરૂમનું સેવન કરીને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકે છે.  એટલું જ નહીં કબજિયાત અને એસિડિટી જેવી પેટની તકલીફોથી મુક્તિ મળે છે.

મશરૂમમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ફ્રી રેડીકલ્સથી બચાવે છે. તે ખાવાથી શરીરમાં એન્ટીવાઇરલ અને અન્ય પ્રોટીનની માત્રા વધે છે.  જે કોશિકાઓને રીપેર કરે છે. આ એક પ્રાકૃતિક એન્ટીબાયોટિક છે.  જે માઇક્રોબાયલ અને અન્ય ફંગલ ઇન્ફેક્શનને સાજુ કરે છે.  અને રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો કરે છે. તે પ્રોટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરથી પણ બચાવે છે. તેમાં બીટા ગ્લુકન અને કંજુગેટેડ લાઇનોલિક એસિડ હોય છે.

જે એક એન્ટી કાર્સિનોજેનિક પ્રભાવ છોડે છે. તે કેન્સરના પ્રભાવને ઓછું કરે છે. અને કેન્સર ને વધતું અટકાવે છે.મશરૂમમાં હાઇ ન્યુટ્રિઅન્ટ્સ હોય છે માટે તે હૃદય માટે સારું છે. તેમાં કેટલાંક પ્રકારના એન્ઝાઇમ અને રેસા હોય છે. જે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે.  એટલે હૃદય રોગના દર્દી ને મશરૂમ  ખાવાથી ફાયડો થાય છે. તે શરીરમાં ઇન્સ્યુલિન બનાવે છે.

તેમાં લીન પ્રોટીન હોય છે.  જે વજન ઘટાડવામાં બહુ કારગર હોય છે. સ્થૂળતા ઓછી કરવા ઇચ્છનારાને પ્રોટીન ડાયટ પર રહેવાનું કહેવામાં આવે છે. જેમાં મશરૂમ ખાવું એ સારું ગણાય છે. મેટાબોલિઝ્ મશરૂમમાં વિટામિન બી હોય છે.  જે ભોજનને ગ્લુકોઝમાં ફેરવીને ઊર્જા પેદા કરે છે. વિટામિન બી2 અને બી3 આ કાર્ય માટે ઉત્તમ છે.

તેમાં વિટામિન બી, ડી, પોટેશિયમ, કોપર, આયરન અને સેલેનિયમ ભરપુર માત્રામાં હોય છે. મશરૂમમાં કોલિન નામનું તત્વ હોય છે જે સારી ઉંધ, સ્નાયુઓની પ્રવૃત્તિ, સીખવાની પ્રક્રિયા તથા યાદશક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે. આ તત્વ નર્વસ સિસ્ટમ અને ચરબીના શોષણમાં પણ મદદગાર છે. મશરૂમની બે સૌથી પ્રસિદ્ધ પ્રજાતિઓ વાઈટ બટન મશરૂમ અને ઈસ્ટર મશરૂમ છે.

મશરૂમમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ હાનિકારક ફ્રી રેડિકલથી બચાવ કરી શકે છે. આ એક એન્ટીબાયોટિક છે જે માઈક્રોબિયલ અને ફંગલ ઈન્ફેક્શનને ઠીક કરે છે. મશરૂમના સેવનથી પેટ સંબંધી વિકાર દુર થાય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં રેશા અને કાર્બોહાઈડ્રેટ હોય છે. જે કબજીયાત, અપચા જેવી પેટની મુશ્કેલીઓમાં ફાયદા કારક છે.

વિટામિન ડીનો સારો સ્ત્રોત મશરૂમ હાડકાને મજબૂત કરવા માટે ખૂબ જરૂરી છે. નિયમિત રીતે મશરૂમનું સેવન કરવાથી 20 ટકા વિટામિન ડી પ્રાપ્ત થાય છે. વધતી ઉંમરને રોકવા માટે એન્ટીઑક્સિડન્ટ સૌથી જરૂરી હોય છે. જે મશરૂમમાં ભારે માત્રામાં જોવા મળે છે. તે એન્ટી એજિંગનું કામ કરે છે. આ સિવાય મશરૂમમાં ઘણાં બધાં ઔષધિયો ગુણો જોવા મળે છે, જે સ્કિનને યુવાન રાખે છે અને ઘડપણને દૂર કરે છે.

જો મશરૂમને ઉકાળીને ખાશો તો તેનાથી વધુ ફાયદો મળે છે, કારમ કે મશરૂમને ઉકાલવાથી તેમાં બીટાગ્લૂકન વધી જાય છે. મશરૂમમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘણું ઓછું હોય છે. જેનાથી વધુ ભૂખ પણ નથી લાગતી. જે લોકોને વારંવાર બૂખ લાગવાની ફરિયાદ રહેતી હોય તેમની માટે મશરૂમનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top