90% લોકો નહીં જાણતા હોય લોહીની ઉણપ, વજન ઘટાડવા જેવી અનેક સમસ્યામાં છૂટકારો અપાવનાર આના ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળાની ઋતુમાં આવનારા લીલા ચણા સ્વાદિષ્ટ હોય છે. તેનો ઉપયોગ મોટાભાગના શાક, ચટણીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ ઉપરાંત તેને કાચા, ઉકાળીને કે ફરી સેકીને પણ ખાઈ શકાય છે. લીલા ચણામાં પ્રોટીન, નમી, ચિકાશ, ફાઈબર્સ, કેલ્શિયમ, કાબ્રોહાઈડ્રેટ, આયરન અને વિટામિન્સ ખૂબ પ્રમાણમાં રહેલા હોય છે. જે શરીરને એનર્જી આપવાનુ કામ કરે છે.

લીલા ચણામાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે. જે લોહીની કમીને પૂર્ણ કરવાનું કામ કરે છે. જો તમારા શરીર માં પણ લોહીની કમી રહે છે.  તો ડાયેટમાં લીલા ચણાનો સમાવેશ કરવાથી ફાયદો થાય છે.  લીલા ચણામાં વિટામિન સી ની માત્રા હોય છે. નાસ્તામાં રોજ લીલા ચણાને ઉપયોગ કરવાથી હાડકા મજબૂત રહે છે. અને બધા કામ કરવામાં સહેલાઈ રહે છે.

1 અઠવાડિયામાં અડધી વાટકી લીલા ચણા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જો કોઈ પણ વ્યક્તિ બ્લડ શુગરના દર્દી છે તો તેમણે ડાયેટમાં લીલા ચણા જરૂર સામેલ કરવાથી રાહત મળે છે.  રોજ અડધી વાડકી લીલા ચણાનુ સેવન કરવાથી દિલ મજબૂત રહે છે. સાથે જ બખરાબ કોલેસ્ટ્રોલનુ લેવલ ઘટે છે અને હાર્ટ ડિઝીઝનો ખતરો ઓછો થઈ જાય છે. અને હદય ને લગતા  રોગો ની સમસ્યા થતી નથી.

લીલા ચણામાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સની સાથે એંટી ઓક્સીડેટ્સ થાય છે.આ લીલા ચણા શરીર ને બીમારીઓથી બચાવે છે. અને વૃદ્ધાવસ્થાની પરેશાનીઓથી દૂર રાખે છે. અને જલ્દીથી આવતા ઘડપણને પણ દુર રાખે છે.

લીલા ચણા પ્રોટીન અને મિનરલ્સના ઉપરાંત વિટામિન્સની સારુ સ્ત્રોત છે. આ નબળાઈ દૂર કરે છે અને શરીરને પ્રોપર એનર્જી આપે છે. લીલા ચણામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર્સ અને મિનરલ્સ મળે છે, જે આંતરડાના ખરાબ બેક્ટેરિયાને મારીને કેન્સરથી પણ બચાવ કરે છે.અને કેન્સર ના રોગ માં રાહત આપે છે.

લીલા ચણા વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. લીલા ચણા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું ભરેલું લાગે છે. જેથી તમે ઓવરઇટીંગ કરવાથી બચી જશો અને તેનાથી વજન ઓછું કરવામાં ખાસ મદદ મળે છે. લીલા ચણા ખાવા તમારી આંખો માટે પણ ફાયદાકારક હોય છે. એનાથી સ્કીન પ્રોબ્લેમને ખતમ કરવામાં મદદ મળે છે. વાળ અને ત્વચાની કરચલીઓ ઓછી કરવા માં પણ મદદરૂપ થાય છે.

લીલા ચણા ખાવાથી શરીરને એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે. જેના કારણ કે હાનિકારક અને જીવલેણ બિમારીઓ થવાનું જોખમ રહેતું નથી. લીલા ચણા ખાવાથી શરીરને ચુસ્ત બનાવી રાખવામાં મદદ મળે છે એનાથી બોડીમાં બંમેશા એનર્જી રહે છે અને તમે ઓછો થાક મહેસૂસ કરો છો. લીલા ચણામાં ફાઇબર ભરપૂર માત્રા હોય છે,  જેનાથી પાચન ક્રિયાને દુરુસ્ત રાખી શકાય છે.  અને પેટ સંબંધિત રોગ થતી નથી.

લીલા ચણામા વિટામીન એ અને સી નો ખૂબ જ સારો સ્ત્રોત હોય છે. જેનાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારી શકાય છે. લીલા ચણા શરીરમાં માથાથી લઇને પગ સુધીના દરેક પાર્ટમાં લાભ પહોંચાડે છે. એનાથી સ્કીન પણ નિખરે છે.

કબજિયાત જેવી તકલીફ હોય તો મુઠ્ઠીભર ભૂંજેલા લીલા ચણા ચાવી-ચાવીને ખાવામાં આવે તો ફાયદો થાય છે. કૅલ્શિયમ અને આયર્ન સારીએવી માત્રામાં હોવાથી બાળકો અને મેનોપૉઝ ચાલુ હોય એવી મહિલાઓ માટે એ વધુ ગુણકારી નીવડે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top