ઘરે બનાવેલ આ ઔષધિની ફાકીથી શરીરમાં નબળાઈ, કળતર, સાંધાના દુખાવા અને કબજિયાત માત્ર 1 દિવસમાં ગાયબ, 100% અસરકારક છે એકવાર અનુભવ કરી જાણી લ્યો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રસોડામાં ઘણી એવી વસ્તુ રહેલી હોય છે જેનાથી શરીરને ઘણા લાભ મળે છે. અમુક દેશી દવાઓ અને ધરગથ્થું ઉપચાર પણ આપના શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. જેની સારવારમાં વપરાતી ઔષધિઓ રસોડામાંથી જ મળી રહેતી હોય છે.

જે વજન ઘટાડવા અને પાચક આરોગ્ય સુધારવા માટે અજવાઈન અને મેથી સાથે સંયોજનમાં લોકપ્રિય છે. તેનો ઉપયોગ ત્વચાની સમસ્યા માટે ખુબ જ ઉપયોગી થાય છે જેમાં તે ખંજવાળ અને ત્વચા પર બળતરા ઘટાડવામાં મદદ કરે છે. કાલી જીરી એ ઘણી બીમારીમાં ઉત્તમ આયુર્વેદિક દવા છે, કાળીજીરી આકારમાં નાના અને સ્વાદમાં તીખા હોય છે.

કાળીજીરી નું ફળ કડવું હોય છે. આ પૌષ્ટિક અને ઉષ્ણ વીર્ય હોય છે. કૃમી, જીર્ણજ્વર, અશક્તી, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગ્ની વગેરેમાં કાળીજીરી ખુબ જ હીતાવહ છે. કાળી જીરી અને અજમાનું ચૂર્ણ શરીર માટે ખૂબ લાભદાયી છે, આ ચૂર્ણ તમે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો.

આયુર્વેદ મુજબ કાળીજીરીનું સેવન આપણા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થાય છે. તેની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, પ્રોટીન, ફાઇબર ઉપરાંત અનેક પ્રકારના વિટામિન્સ અને ખનીજ તત્વો હોય છે. સામાન્ય રીતે કાળીજીરી નું તેલ કાળીજીરીના બીજમાંથી કાઢવામાં આવે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

કાળી જીરી નું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થઇ જાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું થાય છે. શરીર ગરમ રહેતું હોય, અથવા થોડો તાવ રહેતો હોય, પાચન સરખું થતું ન હોય તો એવા રોગોમાં કાળીજીરીના પાવડરનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ ઉકાળો પીવાથી થોડા જ દીવસમાં આ વીકૃતીઓ શાંત થઇ જાય છે.

દાંતો માં દુખાવો થાય ત્યારે કાળીજીરીના પાવડર ને પાણી માં નાંખી આ પાણી થી કોગળા કરવા જોઈએ. જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે અને  આ દુખાવા માંથી છુટકારો મળે છે. કોગળા કરવાના સિવાય કાળીજીરી ના પાવડર ને દુખાવો થતો હોય તે દાંત પર પણ લગાવી પણ શકાય છે.

મેથીના દાણા, અજમો, કાળી જીરીને ત્રણેયને લઈને દસ મિનીટ સુધી ધીમા તાપે શેકી લેવા. શેકાય ગયાં પછી જયારે તે ઠંડા થઇ જાય એટલે તેને ક્રશ કરીને એક એર ટાઈટ બોટલમાં આ ચૂર્ણ ભરી લેવું. આ ચૂર્ણને રોજ સુતા પહેલાં એક કપ હુંફાળા પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને પીવું, માત્ર એક જ સમય ચૂર્ણ લેવું, એક ચમચીથી વધારે ન લેવું જોઈએ. નિયમિત 3 મહિના સુધી આ ચૂર્ણનું સેવન કરવાથી શરીરમાં રહેલી ગંદકી દુર થાય છે અને શરીર અંદરથી પણ તંદુરસ્ત બને છે.

ચૂર્ણના સેવન કરવાથી હાડકાઓ મજબૂત થાય છે, શરીરમાં કાર્ય કરવાની શક્તિ વધે છે, સ્મરણ શક્તિમાં પણ વધારો થાય છે, થાક કે તણાવ થતો નથી. ચામડીની બીમારી માંથી મુક્તિ મળે છે. વાળની સમસ્યા દુર કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે, જેના કારણે તમારી ત્વચા પણ સુંદર બની રહે છે. હ્ર્દયની કાર્ય ક્ષમતામાં વૃદ્ધિ થાય છે, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. એટલા માટે હાર્ટએટેકની સમસ્યા પણ થતી નથી.

લોહી-સંચાર શરીરમાં સારી રીતે થવા લાગશે, શરીરની લોહી-નલિકાઓ શુદ્ધ થઇ થવા લાગશે, લોહીમાં સફાઈ અને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે.હાડકાઓ મજબૂત થાય છે, કાર્ય કરવાની શક્તિ વધે છે, સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે, થાક લાગતો નથી. આનથી આંખોનું તેજ પણ વધે છે, અને બહેરાપણું દૂર થાય છે, તેમજ વાળનો પણ વિકાસ થાય છે. તથા દાંત મજબૂત થાય છે.ભૂતકાળમાં સેવન કરવામાં આવેલ એલોપેથિક દવાઓના સાઈડ-ઈફેક્ટથી મુક્તિ મળે છે.

આના સેવનથી લગ્ન પછી સ્ત્રીઓનું શરીર બેડોળ થતું નથી, શેપમાં રહે છે, લગ્ન પછી થવા વાળી તકલીફો દૂર થાય છે. આના સેવનથી ચામડીનો રંગ નિખરી આવે છે, ચામડી સુકાઈ જવી, કરચલીઓ પડવી વગેરેના ચામડીના રોગો થી શરીરમાં મુક્તિ મળે છે. શરીરમાં પાણી, હવા, તડકો અને તાપમાન દ્વારા થનારા રોગોથી મુક્તિ મળે છે.ખાસ વાત એ કે આના સેવનથી ડાયાબિટીસ નિયત્રંણમાં રહે છે, ચાહો તો તેમે તેની દવા ચાલુ રાખી શકો છો. કફથી મુક્તિ મળે છે, નપુંસકતા દૂર થાય છે, વ્યક્તિનું તેજ આનાથી વધે છે, જલ્દી વૃદ્ધાવસ્થા આવતી નથી, ઉંમર વધી જતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top