દાઢ-દાંતના સડા અને દુખાવામાં નહિ જવું પડે દવાખાને, માત્ર આ દેશી ઈલાજથી 10 મિનિટમાં રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દાંતનો દુખાવો એ કોઈ સામાન્ય પીડા નથી, તે એક ભયંકર પીડા છે. દાંત દુખે ત્યારે મોં, માથા અને ગળામાં પણ દુખાવો થાય છે. દાંતના દુખાવાથી ક્યારેક ચહેરા પર સોજા આવી જાય છે. સામાન્ય રીતે દાંતનો દુખાવો વધારે ગરમ કે ઠંડુ ખાવાથી, દાંતને સાફ ન રાખવા, કેલ્શિયમની કમી, બેક્ટેરિયલ ઈન્ફેક્શન અને દાંતના મૂળિયા નબળા પડવાના કારણે થાય છે. જ્યારે દાંતમાં તીવ્ર દુખાવો થાય છે ત્યારે લોકો પેઇન કિલર અથવા એન્ટિબાયોટિક્સ ખાય છે. પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપાયથી પણ દાંતના દુખાવાથી છુટકારો મળી શકે છે.

દાંતના દુખાવાના ઘરગથ્થુ ઉપાયો:

દાંતના દુખાવામાં ગરમ પાણીની ચૂસકી લેવી પણ ફાયદાકારક છે. આ માટે ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું મિક્સ કરી આ પાણી મોઢામાં થોડું રાખી શેક કરો. આ રીતે 10-15 મિનિટ સુધી શેક કર્યા બાદ તરત રાહત મળશે. દાંતના દુખાવાને મટાડવા માટે, સોજોવાળા ભાગને બરફથી શેકવામાં આવે છે. દાંતમાં દુખાવો થતો હોય ત્યાં આઇસ પેક દબાવો. આઇસ પેક એ ભાગને સુન્ન કરી દે છે અને દુખાવો ઓછો કરે છે, જે રાહત આપે છે.

દાંતના દુખાવાના ભાગ પર લવિંગ લગાવી શકાય છે. તમે લવિંગનું તેલ કાઢીને અસરગ્રસ્ત ભાગ પર લગાવી શકો છો. તેનાથી દુખાવામાં રાહત મળે છે. લસણમાં કુદરતી એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જેનો ઉપયોગ દાંતના દુખાવાને દૂર કરવા માટે કરવામાં આવે છે. લસણને પીસી લો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. આ પીડામાં રાહત આપશે અને બળતરા ઘટાડવામાં મદદ કરશે.

જામફળની સાથે સાથે જામફળના પાન પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. દાંતના દુખાવામાં જામફળના તાજા પાન ચાવવાથી દુખાવામાં રાહત મળે છે અથવા તમે આ પાનને પાણીમાં ઉકાળીને ઠંડા કરો અને તેમાં મીઠું નાખીને કોગળા કરો. તેનાથી દાંતના દુખાવામાં પણ રાહત મળે છે.

ડુંગળીમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-એલર્જિક, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણધર્મો છે. તે મોઢાના બેક્ટેરિયાનો નાશ કરે છે. ડુંગળીનો એક ટુકડો જે દાંતમાં દુખાવો થતો હોય તેની સાથે ધીમે-ધીમે ચાવો, તેનાથી તમને રાહત મળશે.

બેકિંગ સોડામાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી સેપ્ટિક ગુણ પણ હોય છે. તમે નવશેકા પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને કોગળા કરી શકો છો. આનાથી દાંતનો દુખાવો ઓછો થાય છે અથવા તમે ભીના કપાસમાં થોડો બેકિંગ સોડા લગાવી શકો છો અને તેને દુખાવાવાળા દાંત પર લગાવી શકો છો. આનાથી તમને આરામ પણ મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top