મળી ગયો માત્ર 5 મિનિટમાં આળસ, નબળાઈ કે કામ કર્યા વગર લાગતો થાક જીવનભર ગાયબ કરવાનો જોરદાર દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલની ખરાબ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલની અસર શરીરને ભોગવવી પડે છે. બેદરકારીને કારણે આજકાલ સ્ત્રી હોય કે પુરૂષ શરીરમાં નબળાઈ, અશક્તિ, આળસ જેવી સમસ્યાઓ સતત વધતી જઈ રહી છે.શરીરમાં પૂરતું પોષણ ન મળવાને કારણે અશક્તિ આવી જતી હોય છે. જો કે શરીરમાં અશક્તિને થવાને કારણે કોઇ પણ કામ કરવામાં મન નથી લાગતુ.

ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે.જમ્‍યા પછી ત્રણચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે. જમ્યા પછી ૩ થી ૪ પાકાં કેળા ખાવાથી અશક્તિની સમસ્યા રહેતી નથી.

અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે.ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગવાથી કે ઘામાંથી પુષ્‍કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે. રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી સરખે ભાગે લઈ ચૂ્ર્ણ ફાકવાથી અશક્તિ મટે છે. સફેદ કાંદો ચોખ્‍ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે.મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર  થઈ શક્તિ અને વજન વધે છે. એક સૂકું અંજીર અને પાંચદસ બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે. દૂધમાં બદામ, પીસ્‍તાં એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મૈસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.

ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી શરીર બળવાન અને પુષ્‍ટ બને છે.પણ ચણા પચે તેટલા માપસર જ ખાવા.ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલદી શક્તિ આવે છે. મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે.સૂકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી બાટલી ભરી દેવી, તેમાંથી ૫ થી ૧૦ ગ્રામ ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી, તેમાં જરૂર જેટલી ખાંડ નાખી, સવારે પીવાથી શક્તિ આવે છે.

સવાર-સાંજ 2-4 કેળાંની સાથે એક ગ્લાસ દૂધ લેવાથી ફાયદો થાય છે.દાડમની છાલને સૂકવીને લો. રોજ સવાર-સાંજ 1-1 ચમચી ખાવાથી નબળાઇ દૂર થશે. આમળાના પાઉડરમાં સાકર મિક્સ કરીને પીસી લો. રોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ મિશ્રણ ખાઓ. 4-5 છુહારા, 2-3 કાજૂ અને 2 બદામને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો. તેમાં 2 ચમચી સાકર મિક્સ કરી રેગ્યલુર રાતે સૂતા પહેલા પીવો.ભોજન કર્યા બાદ 2 ચમચી ઘીમાં એક ચમચી મધ મિક્સ કરીને ખાઓ.

એક ગ્લાસ દૂધમાં 1/4 ચમચી તજનો પાઉડર અને એક ચમચી મધ મિક્સ કરીને પીવો. -સફેદ ડુંગળી ચોખ્ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ દૂર થાય છે. એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દુર થાય છે.એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી અશક્તિની સમસ્યામાં ફાયદો થાય છે.

કામ કરતાં થાકી જવાય, સ્ફુર્તિનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વર્તાતી હોય તો વડનું દૂધ પતાસા સાથે લેવું. એનાથી હૃદયની નબળાઈ, મગજની નબળાઈ અને શરીરની નબળાઈ પણ દૂર થાય છે. ૧-૧ ચમચી જેઠીમધનું ચુર્ણ મધ સાથે સવાર-સાંજ ચાટી ઉપર એક કપ દૂધ પીવાથી શરીરની શક્તિ ઉપરાંત મગજની શક્તિમાં પણ વધારો થાય છે. એકાદ અઠવાડીયામાં જ ફરક માલુમ પડે છે.મેથીના કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઇ શક્તિ આવે છે.

રોજ સવારે અને રાત્રે સુતી વખતે સાકર અને સોનામુખી સરખે ભાગે લઇ ચૂર્ણ ફાકવાથી અશક્તિ મટે છે.પાંચ પેસી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અડધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દુર થઇ શક્તિ અને વજન વધે છે. ખસખસ વિટામિન બીથી ભરપૂર હોય છે તે મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરે છે. એક ચમચી ખસખસને પાણીમાં રાત્રે પલાળી દેવી. સવારે તેમાં 1 ચમચી મધ ઉમેરી તેનું સેવન કરવું.

અળસી શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તે ઓમેગા 3થી ભરપૂર હોય છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. જો કે અળસીની તાસીર ગરમ હોય છે. તેથી તેનું સેવન સપ્તાહમાં બે વખત જ કરવું જોઈએ. અડધી ચમચી અળસીને રાત્રે પાણીમાં પલાળી અને રાખી દેવી. સવારે તેને પાણીમાંથી કાઢી અને ચાવીને ખાઈ લેવી તેના થી નબળાઈ દૂર થાય છે.

ફાયબર અને પ્રોટીનથી ભરપૂર ચણા સવારે ખાવાથી અનેક લાભ થાય છે. સપ્તાહમાં 3થી 4 વખત રોજ રાત્રે એક મુઠ્ઠી ચણા પલાળી અને તેનું સેવન કરવું. સવારે તેને ગોળ સાથે પણ ખાઈ શકાય છે. ચણાના લોટનો મગસ, મોહનથાળ અથવા મૈસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top