આ શક્તિશાળી ફળ છે દવા કરતાં 100 ગણું શક્તિશાળી, શરીરના દરેક રોગોનો થઈ જશે કાયમી સફાયો, જાણી લ્યો સેવન કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અમર ફળ (નિરંજળ ફળ) મલેશિયામાં ખૂબ જ પાકે છે. ત્યાંની મલય ભાષામાં તેને ‘માસ બંકુસ’ કહે છે. બંકુસ એટલે ફળ અને માસ એટલે સોનું. સોના ભારોભાર કીંમતી ગણાય તેવું ફળ અને મલેશિયામાં તેનો ઉપયોગ શરીરની ગરમી માટે, સ્વપ્નદોષ માટે તેમજ હરસ માટે થતો. અમર ફળ વિવિધ આયુર્વેદિક ઔષધિઓમાંથી એક અનોખી છે. તે સમ્પૂર્ણ રીતે કાચી જડીબુટ્ટી છે જે પ્રાકૃતિક અવસ્થામાં છે. આજે અમે તમને અમર ફળના ફાયદાઓ વિશે જણાવીશું.

બે-ત્રણ અમર ફળને રાત્રે પાણીમાં પલાળી દઈને સવારે સાકર સાથે સેવન કરવાથી ઘણો ફાયદો થશે. અમર ફળને પાણીમાં પલાળતા પહેલા એના ઉપરના કડક ફોતરાં કાઢી નાખવા. જો ગર્ભ ન રહેતો હોય તો પતિ-પત્ની બન્નેએ અમર ફળનું સેવન કરવાથી ખૂબ જલ્દી લાભ થશે.

અમર ફળ ઘણા પ્રકારની બીમારીઓથી પરેશાન લોકો માટે ખાસ જરૂરી છે. અલ્સરથી પરેશાન લોકોએ તેના સેવનથી પોતાની પરેશાનીઓથી ઓછી કરી શકે છે. તેના સેવનથી રાહત મળે છે અને નાબુદ થાય છે. એટલા માટે અલ્સરમાં અમર ફળ ખુબ જ ઉપયોગી છે.

આજે મોટાભાગની મહિલાઓને માસિક સ્રાવમાં અનિયમીતતા, અતિસ્રાવ કે માસિકની તકલીફ હોય જ છે. એમના માટે અમર ફળ રામબાણ ઈલાજ છે. અત્યારના સમયમાં એક મહિનામાં બે-ત્રણ વખત સ્ત્રાવ અથવા અતિસ્રાવ થાય છે. જેને કારણે યોનિમાં ઈન્ફેકશન, સફેદ પાણી, દુર્ગંધ કે ખંજવાળ જેવી સમસ્યા થતી હોય છે. આવી સ્થિતિમાં અમર ફળ પલાળીને પીવા જોઈએ.

ઘણી છોકરીઓમાં માસિક 6 થી 7 દિવસ ચાલે છે અને તેમાં લોહીનો સ્ત્રાવ ખુબ જ વધારે હોવાના કારણે નબળાઈ આવી જતી હોય છે. આ સમસ્યામાં અમર ફળ ખબૂ જ ઉપયોગી સાબિત થાય છે. આ ફળને દોઢથી બે કલાક પલાળી રાખવાથી તે લીંબુ જેવડું થઇ જાય છે. ત્યારબાદ તેને મસળી, નીચોવીને એ પાણીમાં સાકર નાખીને પીવાથી રક્તસ્ત્રાવ નિયંત્રણમાં આવી જાય છે.

અમર ફળ ખાવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ સ્વપ્ન દોષની સમસ્યામાંથી છુટકારો થાય છે. ઉષ્ણવિર્યતાના પરિણામે મોટાભાગે પુરુષના લીધે સંતાન પ્રાપ્તિ થતી નથી. પુરુષ એક મહિના સુધી તેની ઉપરના કડક ફોતરા કાઢીને એક અઠવાડિયા સુધી સાકર સાથે ખાવાથી સ્ત્રીઓને ગર્ભ રહી જાય છે. વીર્યને ઠંડું પાડવા માટે આ ફળ ખુબ જ ઉપયોગી છે.

જો લોહીયાળ, બાદી કે મસ્સેદાર બવાસીર થતાં હોય તો બવાસીરના ઉપચાર તરીકે અમર ફળ ખૂબ જ અસરકારક છે. રોજ સાંજે 1 ફળ પાણીમાં પલાળી મુકો. સવારે આ પલાળેલા ફળની છાલ ઉતારીને તેને ચાવીને ખાવ અને જે પાણીમાં ફળને પલાળીને મુક્યુ હોય તે પાણી પી લો. આનાથી તમને જરૂર રાહત મળશે.

વધુ પડતી ગરમી પડે છે. આજના લોકો માંસ-મટન પણ ખાય છે, તેમજ મરી મસાલાથી ભરપુર દાળ-શાક ખાય છે, સતત ગરમીમાં રહે છે એટલે તે બધાને ઉષ્ણવીર્યની તકલીફ રહે છે. જેથી ગર્ભ રહેવામાં તકલીફ પડે છે. આ સ્થિતિમાં દંપતિ એલોપથી દવામાં હજારો રૂપિયા ખર્ચી નાખે છે. પણ અમર ફળ ઉષ્ણવીર્યતા માટેનો સસ્તો ઈલાજ છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top