કાયમી સ્વસ્થ અને નીરોગી રહેવા ભોજન બનાવતી વખતે જરૂર અપનાવો આ ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મનુષ્યની જે સ્વાભાવિક વૃત્તિ સ્થિતિ ભાવ બને છે તેના બનવાના કેટલાય કારણો હોય છે,તેમાં આહાર ૫ણ એક કારણ છે. કહેવત ૫ણ છે કે જેવું ખાય અન્ન તેવું થાય મન. એટલે આહાર જેટલો સાત્વિક હોય છે, મનુષ્યની વૃત્તિ તેટલી જ સાત્વિક બને છે.. એટલે કે સાત્વિક વૃત્તિ બનવામાં સાત્વિક આહારથી સહાયતા મળે છે.ઉ૫નિષદોમાં કહેવામાં આવ્યું છે કેઃ અન્નમયં હિ સૌમ્ય મનઃ  જેવું અન્ન હોય છે તેવું જ મન બને છે.

જ્યાં ભોજન કરીએ છીએ ત્યાંનું સ્થાન, વાયુમંડળ, દશ્ય તથા તેના ૫ર બેસીને ભોજન કરીએ છીએ તે આસન ૫ણ શુદ્ધ ૫વિત્ર હોવું જોઇએ, કારણ કે ભોજન કરતી વખતે પ્રાણો જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તેઓ શરીરના બધા જ રોમકૂપોથી આસપાસના ૫રમાણુંઓને ૫ણ ખેંચે છે. ગ્રહણ કરે છે, આથી ત્યાંનું સ્થાન વાયુમંડળ વગેરે જેવા હશે પ્રાણો તેવાં જ ૫રમાણુંઓ ખેંચશે અને તેઓના અનુસાર જ મન બનશે. ભોજન બનાવવાવાળાના ભાવો-વિચારો ૫ણ શુદ્ધ સાત્વિક હોવા જોઇએ.

ભોજન કરતાં ૫હેલાં બંન્ને હાથ બંન્ને ૫ગ અને મુખ આ પાંચેય શુદ્ધ-૫વિત્ર જળથી ધોઇ લીધા પછી પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ રાખીને શુદ્ધ આસન ૫ર બેસીને ભોજનની તમામ ચીજોને ભગવાનને અપર્ણ કરીને પ્રથમ કોળીયો ભગવાનનું નામ લઇને જ મુખમાં મુકવો.પ્રત્યેક કોળીયો મુખમાં મુક્યા ૫છી બત્રીસવાર ચાવવાથી તે તે ભોજન સુપાચ્ય અને આરોગ્યદાયક થાય છે તથા થોડા અન્નથી જ તૃપ્તિ થાય છે.ભોજન કરતી વખતે દરેક ગ્રાસે ભગવાનનું નામ જ૫વાથી અન્નદોષ દૂર થાય છે.

જે લોકો ઇર્ષ્યા ભય અને ક્રોધથી યુક્ત છે તથા લોભી છે અને રોગ તથા દીનતાથી પીડિત છે તેઓ જે ભોજન કરે છે તે સારી રીતે પચતું નથી તેનાથી અજીર્ણ થઇ જાય છે એટલા માટે મનુષ્યએ ભોજન કરતી વેળાએ મનને શાંત તથા પ્રસન્ન રાખવું જોઇએ.મનમાં કામ,ક્રોધ,લોભ,મોહ વગેરે દોષોની વૃત્તિઓને આવવા ન દેવી અને જો આવી જાય તો તે વેળાએ ભોજન ન કરવું, કેમકે વૃત્તિઓની અસર ભોજન ૫ર પડે છે અને તે અનુસાર અંતઃકરણ બને છે.

ચમકતા અને ગાઢા રંગનાં ફળો અને શાકભાજીમાં ઊંચી માત્રામાં વિટામિન્સ, ખનિજ અને એન્ટિ ઓક્સિડન્ટનો સમાવેશ થયેલો હોય છે. તેમાં વિવિધ રંગો વિવિધ ફાયદા પૂરા પાડે છે.

ચડિયાતું લેટસ અને તેના વંશજ જેવા બીજા શાક, લીલો સરસવ, બ્રોકોલી અને ચાઈનીઝ કોબી- આ બધામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આર્યન, પોટેશિયમ, ઝિંક અને વિટામિન એ, સી, ઈ અને કે ભરપૂર માત્રામાં રહેલા છે.

આહારના નિયમો પ્રમાણે નિયમિત વધારે માત્રામાં ફાઈબરના સેવનથી તમને હૃદયને લગતી બીમારીઓમાં જોખમ ઘટે છે. તે સ્ટ્રોક, ડાયાબિટીસ અને આપનું વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. તમારી ઉંમર અને જાતિને અનુલક્ષીને, તમારી ઉત્કૃષ્ટ તંદુરસ્તી માટે ઓછામાં ઓછું ૨૧થી ૩૫ ગ્રામ ફાઈબરયુક્ત આહાર એક દિવસમાં લેવો જોઈએ. આપણે આનાથી અડધી માત્રામાં ફાઈબર પણ લેતાં નથી.

સામાન્ય રીતે ખોરાક જેટલો સહજ રીતે અને પ્રક્રિયા વગરનો હોય તેટલું વધુ માત્રામાં તેમાં ફાઈબર હોય છે. સારી માત્રામાં ફાઈબર આખું અનાજ, ઘઉં, જવ, ઓટમીલ, બીન્સ, કોચલાંવાળા ફળો, ગાજર, ટામેટાં જેવા શાકભાજી, કચુંબર, સફરજન, બેરીઝ, ખાટાં ફળો અને નાસપતિ/ જામફળમાં સમાવિષ્ટ હોય છે.

તમારા ભોજનમાં ફાઈબર ઉમેરવાનો સરળ રસ્તો છે ભોજનમાં આખું અનાજ, કચુંબર અથવા પ્રક્રિયા કર્યા વગરનું ઘઉંનું થૂલું ઉમેરી, તેને તમારો પ્રિય આહાર બનાવવો.રસોઈ ચાલાકીથી બનાવો. જેમાં હલાવીને પકવવું/ તળવું, ગ્રિલિંગ, બેકિંગ કરવું જોઈએ. ખોરાકને વધારે પડતો પકવવો નહીં.

આરોગ્યવર્ધક કાર્બોહાઈડ્રેટ્સ, ખાસ કરીને આખું અનાજ, આપણી ઊર્જાને લાંબો સમય ટકાવી શકે છે. આખું અનાજ પાઈથો કેમિકલ્સ અને એન્ટિઓક્સિડન્ટથી સમૃદ્ધ છે કે જે કોરોનરી હાર્ડ ડિસીઝ, અમુક પ્રકારના કેન્સર અને ડાયાબિટીસમાં રક્ષણ કરવામાં મદદરૂપ છે.

આખું અનાજ, કઠોળ, ફળફળાદિ અને શાકભાજીનો આમાં સમાવેશ થાય છે. આ ખોરાકનું પાચન ધીમે થાય છે. તેથી લાંબા સમય સુધી તમારું પેટ ભરાયેલું હોય તેવી અનુભૂતિ થાય છે. તે લોહીમાં સાકરનું પ્રમાણ અને ઈન્સ્યુલીનના સ્તરનું સંતુલન કરે છે.

મેંદો, રિફાઈન શુગર અને સફેદ ચોખા કે જેમાંથી ફોતરાં, ફાઈબર અને પોષક તત્ત્વો કાઢી નાખવામાં આવેલા હોય છે. આ ઝડપથી પચી જાય છે અને તે બ્લડશુગરના લેવલમાં અને ઊર્જાના લેવલમાં નડતરરૂપ છે. પુષ્કળ પ્રમાણમાં ફિશ, ચિકનનું સેવન કરો અથવા વનસ્પતિ આધારિત કઠોળ, કોચલાંવાળાં ફળો અને સોયાનું સેવન કરો.

પ્રક્રિયા કરેલ કાર્બોહાઈડ્રેટ જેવા કે પેસ્ટ્રી, કેક, પિત્ઝા, કુકીઝ અને ચીપ્સના બદલે ફિશ, કઠોળ, કોચલાંવાળાં ફળો, દાણા, વટાણા, ટોફું, ચિકન, સોયા પ્રોડક્ટ ફૂડ પસંદ કરો. અલ્પાહારમાં ચિપ્સને બદલે કોચલાંવાળાં ફળો, દાણા ખાવા જોઈએ. બેક ડેઝર્ટને બદલે દહીં અને પિત્ઝાની સ્લાઈસને બદલે ગ્રીલ ચિકન બ્રેસ્ટ અથવા ચણાનો સલાડમાં ઉપયોગ કરો.

ટ્રાન્સ ફેટ, પ્રક્રિયા કરેલા ખોરાકમાં, શાકભાજીને સંકોચાવા મોણ તરીકે નાખેલા, વનસ્પતિ તેલ, ક્રેકર્સ (પદાર્થને કરકરો કરવા), કેન્ડીઝ, કુકીઝ, નાસ્તા માટેનો ખોરાક, તળેલો ખોરા, બેક ફૂડ અથવા હર કોઈ કે જેમાં આંશિક રીતે હાઈડ્રોજનેટેડ ઓઈલનાં ઘટકો હોય છે, છતાં આવા ખોરાક માટે એવો ધંધો કરવામાં આવે છે કે તે ટ્રાન્સ ફેટ રહિત છે તેને દૂર કરો. ટ્રાન્સ ફેટ કોઈ પણ માત્રામાં હોય તો તે સલામત નથી.

તમારા શરીરને દિવસમાં એક ગ્રામ કરતાં પણ ઓછા મીઠાની જરૂર હોય છે, છતાં મીઠું એ એવું ઘાતક છે કે જેને ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા તેમાં વારંવાર ઉમેરાય છે (આશરે અડધી ટે.સ્પૂન મીઠું). વધારે પડતું મીઠું લોહીના ઊંચા દબાણ માટે કારણભૂત છે અને તે સ્ટ્રોકનું જોખમ વધારવા તરફ પણ દોરી જાય છે. આ ઉપરાંત હાર્ટ ડિસીઝ, કિડની ડિસીઝ અને યાદદાસ્ત ગુમાવવાના અને ઇરેક્ટાઈલ ડાઈસફંક્શન વધારવા તરફ દોરી જાય છે.

પ્રક્રિયા કરેલ ખોરાક જેવો કે રેડી ટુ ઈટ અથવા ફ્રોઝન ડિનરમાં ઘણી વાર તેને ચડિયાતું (સ્વાદિષ્ટ) બનાવવા માટે તેના ઉપર ભલામણ કરી હોય તેના કરતાં પણ વધારે મીઠું અંદર હોય છે.તે ખાવાથી બચવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top