ગમેતેવી આંખની આંજણી તેમજ દરેક આંખની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગરમીમાં આકરા તડકા અને ધૂળ-માટીના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાથી આંખોથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ જેમ કે આંખો લાલ થવી, સોજો આવવો કે આંજણી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યા ધૂળ -માટીથી ફેલાનારા બેક્ટેરિયાછી તે સ્ટૈફિલોકોકસ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ સમસ્યા થવાનું અન્ય કારણ તનાવ, હોર્મોનલ પરિવર્તન અને બ્લીફેરાઇટિસ સામેલ છે. આંખો પર આંજણી થવાથી ખૂબ દુખાવો થાય છે.

આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે. તેમની આંખની પાંપણની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે. ભલે આ સમસ્યા જોવામાં નાની લાગે છે. પરંતુ તેના કારણે આંખમાં દુખાવો, જ્વલન, ખંજવાળ, આંખમાંથી પાણી નીકળવાની સમસ્યા થાય છે. બેક્ટેરિયા ઉત્પન્ન થવાથી વિટામિન A,Dની ઉણપને લઇને તેમજ કબ્જના કારણે થનારી આ સમસ્યાઓના કારણે આંખો માટે નુક્શાનદાયક હોય શકે છે. ઘણા લોકો નાની સમસ્યા સમજીને તેને ઇગ્નોર કરે છે. તો ઘણા લોકો તેના માટે ઘરેલું ઉપચાર કરે છે. સમયસર તેનો ઇલાજ કરવા પર  આંખો સુરક્ષિત રાખી શકાય છે.

ગ્રીન ટી પેકમાં રહેલા ટૈનિન સંક્રમણ વધવાથી રોકે છે. તે સિવાય તેનાથી આંખો પરના સોજા અને દુખાવાથી રાહત મળે છે. તેનો ઉપયોગ કરવા માટે ગરમ પાણીમાં ગ્રીન ટી ઉમેરો અને ત્યાર પછી આ પેસ્ટને 5 મિનિટ સુધી આંખ પરની આંજણી પર લગાવી લો.

દરેક ઘરમાં રસોડામાં મળતી હળદર કેટલાક રોગોની દવા છે. આંખની આંજણીથી રાહત મેળવવા માટે એક પેનમાં 2 કપ પાણી અને એક ચમચી ઉમેરીને તેને બરાબર ગરમ કરી લો. હવે તેને ઠંડુ કરીને આંખ પર સૂકા અને સાફ કપડાથી લગાવી દો. તેનાથી જલદી જ આરામ મળશે.

આંખની આંજણીથી રાહત મેળવવા માટે એલોવેરા ખૂબ અસરકારક ઉપાય છે. જેના માટે એલોવેરા જેલ નીકાળીને આંખ પર લગાવો અને 20 મિનટ પછી સાફ પાણીથી ધોઇ લો. એલોવેરામાં રહેલા તત્વ બેક્ટેરિયાને ખતમ કરવા અને સંક્રમણને રોકવામાં મદદ કરે છે.

જામફળના પાન પણ આંજણીને ખતમ કરવામાં ખૂબ મદદ કરે છે. આ ઉપાય કરવા માટે એક પેનમાં થોડાક પ્રમાણમાં પાણી લો અને તેમા જામફળના 4 પાનને સ્વચ્છ કપડામાં બાંધીને પાણીમાં ડૂબાડીને ઉકાળી લો. ત્યાર પછી તેને ઠંડા કરીને આંખની આંજણી પર શેક કરો. જેનાથી જલદી રાહત મળી શકે છે.

આંખલીના બીજને બે દિવસ પાણીમાં પલાળી રાખો. તે બાદ તેને ચંદનની તેમ ઘસીને આંજણી પર લગાવો. આમ કરવાથી આંજણીની સમસ્યા 2 દિવસમાં દૂર થઇ જશે. તેમજ આંખોને રાહત મળે છે.

1/2 ચમચી ત્રિફલા ચૂર્ણને સવાર-સાંજ ગરમ દૂધ સાથે સેવન કરો. જેથી આંજણીની સાથે-સાથે સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ દૂર થઇ જશે. ગરમ કરેલું દૂધ હૂંફાળુ થાય ત્યારે તેમાંથી તાજી મલાઈ લઈ લો અને આંજણી પર લગાવો. સૂકાઈ જાય ત્યારે દૂધ લઈને એ ભાગ સાફ કરો બાદમાં ચોખ્ખા કપડાંથી લૂછી લો.

ધાણાને પાણીમાં નાખીને ઉકાળો. સહેજ ઠંડું પડે એટલે ધાણા કાઢી આ પાણીનો આંજણીવાળી જગ્યાએ છંટકાવ કરો. દિવસમાં 5-6 વખત આ પ્રયોગ કરો. દિવેલમાં હાઈડ્રેટિંગ તત્વો રહેલા છે જે આંજણી મટાડવામાં મદદ કરે છે.દિવેલના બે-ત્રણ ટીંપા લઈ આંજણી થઈ હોય તે ભાગમાં હળવા હાથે મસાજ કરો. થોડી મિનિટ રહેવા દઈ હૂંફાળા પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે આ ઉપાય અજમાવતા રહો.

ઈન્ફેક્શન હોય તો હાથ ધોઈને જ તે ભાગે અડવું અને બાદમાં પણ હાથ ધોઇ લેવા. આંજણીને ફોડવી કે દબાવવી નહી. આઇ મેક અપ ના કરવો. કોન્ટેક્ટ લેન્સ ન પહેરવા. આંખ અને પાંપણની સ્વચ્છતા જાળવો. ઊંઘવા જતાં પહેલા મેકઅપ કાઢી નાખો અને ચહેરો બરાબર ધોઈ લો. આઈ મેકઅપ સમયાંતરે બદલતા રહો. ગંદા હાથે કોન્ટેક્ટ લેન્સ ન પહેરવા. આંજણી થઈ હોય તેનો વાપરેલો રૂમાલ કે અન્ય વસ્તુ ન વાપરો. ગંદા હાથે આંખો મસળવી નહિ.

આંખની પાંપણો પર આવેલા વાળના મૂળમાં બારીક તૈલી સ્ત્રાવ ગ્રંથિઓ આવેલી હોય છે. આ ગ્રંથિને બહારથી ચેપ લાગવાને કારણે તેના પર સોજો આવે છે. બાહ્ય ચેપ આંખને વારંવાર ગંદા હાથ કે ગંદા રૂમાલ ઘસાવાને કારણે લાગી શકે છે. શરીરની નબળાઈ, શરીરની આંતરિક ગરમી, પિત્તરોગ (એસિડીટી), કબજિયાત, મધુપ્રમેહની તકલીફવાળાને આ ચેપ જલ્દીથી લાગી શકે છે, પરિણામે વારંવાર આંજણી થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top