કેલ્શિયમની ખામી, કોલેસ્ટ્રોલથી લઈ પાચન સુધીની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, અહી ક્લિક કરી જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આમલી માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં ઘણી ઔષધીય ગુણધર્મો જોવા મળે છે. તેમાં વિટામિન સી, ઇ, બી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઇબર જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓકિસડન્ટો પણ જોવા મળે છે.

આંબલીના બીજ ખુબ જ ફાયદાકારક હોય છે જે તમારી ઘણી હેલ્થ પ્રૉબ્લમ્સને દૂર કરવામાં તમારી ઘણી મદદ કરે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે કેલ્શિયમ અને મિનરલથી ભરપૂર હોય છે માટે હાડકાઓને મજબૂત કરે છે અને સાંધાની સમસ્યાને પણ ઠીક કરે છે. એક ઉંમર બાદ મહિલાઓના શરીરમાં કેલ્શિયમ ઓછું થવા લાગે છે. જેનાથી હાડકાઓ નબળા થવા લાગે છે. પરંતુ તેના સેવનથી મહિલાઓની આ સમસ્યાને પણ દૂર કરી શકાય છે.

બેક્ટેરિયાના કારણે અનેક રોગોનું જોખમ વધે છે. તેનાથી બચવા માટે આમલી ફાયદાકારક બની શકે છે. હા, આમલીનાં બીજમાં ટેનીન નામનું તત્વ જોવા મળે છે. આ તત્વ બેક્ટેરિયાને વધતા અટકાવવામાં મદદ કરે છે.

મોટાભાગની સ્ત્રીઓને પીઠના દુખાવાની સમસ્યા હોય છે અને આ સમસ્યા તેમની ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ વધી જાય છે આ સમસ્યાને દૂર કરવા માટે, આમલીનાં દાણામાંથી બનાવેલ પાવડર એક અસરકારક દવા છે. પીઠના દુખાવાની આ શ્રેષ્ઠ દવા છે.

અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ શીઘ્રસ્લખન જેવા રોગ દૂર કરી યૌન શક્તિને વધારશે.

અડધો કપ આમલીના પલ્પમાં લીંબુનો રસ, મીઠું, મધ અને ગરમ પાણી નાખી આખી રાત રહેવા દેવું, સવારે આ પેસ્ટને નીચોવી અને તેમાંથી નીકળતા રસને ઠારી લેવો અને ત્યારબાદ આ રસને એક ગ્લાસ પીવો જેથી પાચનતંત્રને લગતી બીમારીઓ દૂર થશે.

આંબલીયા નું એક ગ્લાસ પાણી દરરોજ પીવાથી શરીરની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ દૂર થાય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને સુગરમાં કંટ્રોલ રહે છે. આમલીના પાણીના સેવનથી નવા રેડ બ્લડ સેલ્સ પણ બને છે. તથા તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેથી ડાયાબિટીસના દરદીઓને રાહત આપે છે.

આમલીમાં ભરપૂર માત્રામા હાડ્રોક્ષાઇડ એસિડ હોય છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે, અને મેટાબોલિઝમ સીસ્ટમને સુધારે છે. આથી આમલીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.

અલ્સરના ઘાવ પેટમાં અને આંતરડામાં જોવા મળે છે. જે ખૂબ જ દર્દનાક હોય છે. એવું કહેવામાં આવે છે કે આમલીના બીજ એટલે કે આમબીલા ના સેવનથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે.

આંબલી નાં બીજ એટલે કે આંબલીયા નું જ્યુસ  પીવાથી દર્દીને કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. આમલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના દર્દીઓને ફાયદાકારક નીવડે છે.

આમલીના બીજ માં કિડનીમાં ફેલાયેલ કેન્સરને દૂર કરવાની તાકાત હોય છે. આ ઉપરાંત એસિડથી ભરપૂર આમલી શરીરની અંદર રહેલા કેન્સરના સેલને વધતા અટકાવે છે. આમલીના સેવનથી આપણે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.

આંબલીયા ને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલી માં રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલને ઓગાડી અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં રહેલ પોટેશિયમ રક્તપિત ની સમસ્યાને પણ દૂર કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top