વીર્યપતનથી લઈને પુરુષોની દરેક સમસ્યાનો સચોટ આયુર્વેદિક ઉપચાર રહેલો છે આ લેખમાં, જરૂર વાંકગી શેર કરો આ ઉપયોગી માહિતીને

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જે રીતે મહામારીમાં સપડાયેલી પ્રજા વિનાશ પામે છે, તે રીતે વીર્યપતનમાં સપડાયેલી પ્રજા પોતાના યૌવનનો વિનાશ કરે છે. વીર્યપતનનું ઉગમસ્થાન માનસિક વ્યભિચાર છે. આજે આપણો દેશ આ મહા અનિષ્ટોમાં પૂર્ણપણે ફેસાયેલો છે. હસ્તમૈથુન, અયોનિમૈથુન, શૈયામૈથુન, સ્વપ્નમૈથુન વગેરે અપ્રાકૃતિક મૈથુન દ્વારા ધણા જુવાનો માનસિક વ્યભિચારને પોષી પોતાના યૌવનને બરબાદ કરી રહ્યા છે.

વિવેચનમાં જણાવેલ કારણોથી અપ્રાકૃતિક મૈથુનની ટેવ લાંબો સમય સુધી ચાલુ રહે છે ત્યારે વીર્યવાહિની શિરાઓ નબળી પડી જાય છે. વીર્ય પણ પાતળું થઈ જાય છે. વારંવાર ચા, નાસ્તા હોટલનાં ખાણાંપીણાં બજારુ શરબત-આઇસ્કીમના શોખ, અનિયમિત જમવું, આળસું બની રહેવું, રાતના ઉજાગરા કરવા, વ્યાયામ શત્રુ, ઝાડા-પેશાબની હાજતને રોકવી, વગેરેના કારણે આ દર્દ ઉત્પન થાય છે.

ઊધમાં વીર્યક્ષરણ થવું, પથારી અને વસ્ત્ર બગડવાં,વારંવાર પેશાબ આવવો,પેશાબ માં ચીકાશ રહેવી. પેશાબની ધાર પહેલા અથવા પછી વીર્યસ્ત્રાવ થઈ જવો, મોઢા પર વારંવાર ખીલ થવા, ગાલમાં ખાડા પડવા, આંખો બળવી, ઝાંખ આવવી. સાંધાઓ દુખવા કમ્મર અને ઓડમાં કળતર થવું.પગની પીંડીઓ કળવી, આંખની પાંપણો ઘેરી દેખાવી, પાદદાસ્ત ઓછી થવી, કામકાજમાં ઉત્સાહ ન રહેવો વગેરે.

સ્થિર નિંદ્રા ન આવવી, નિદ્રામાં વિચિત્ર સ્વપ્ન આવવા, વારંવાર ખોટી ભૂખ લાગવી, તીખા, ગરમ અને તમતમતા પદાર્થો ખાવાની ઈચ્છા થવી. મંદાગ્નિ, મળાવરોધ અને અજીર્ણ થવું. જીભ ઉપર સારી વળવી. હદય નબળું થવું, પેઢુમાં દર્દ થયા કરવું દાહ, બળતરા અને શોષ રહેવો. આ બધાં લક્ષણો એક અથવા વધુ રૂપે વીર્યપતનના દર્દીઓમાં જોઈ શકાય છે.

ભોજનનો સમય નિયમિત રાખો. સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં કરી લેવું ખૂબ જરૂરી છે. ખોરાક સાદો અને સાત્ત્વિક રાખો, મગ, ભાત, મગનું ઓસામણ, ખીચડી ઘઉં, ચણા, ગાયનું દૂધ, માખણ,ધી, મલાઈ, સાકર, દાડમ, દ્રાક્ષ, મોસંબી, ટોપરૂ, દૂધી,રીંગણા, પરવળ, તાંદળજો વગેરે વસ્તુઓ હિતકારી છે. દહીં, તેલ, મરચાં, બટાકા, કાંદા, લસણ, ગોળ, અથાણાં, રાયતાં, ચવાણા, ચટણી, ચા, કોફી, શરાબ, ઠંધ અને ઉત્તેજક પીણાઓ અને બજારૂ વસ્તુઓ કદી પણ ન વાપરો.

ચણકબાબ, ગળો સત્વ, બેદાણા અને સાકરનું સમભાગે ચૂર્ણ કરવું. આ ચૂર્ણ સવાર સાંજ બે આનીથી બે તોલા સુધી ગાયના દૂધ સાથે લેવું. શતાવરી, અશ્વગંધા અને મુસળીનું ચૂર્ણ સાકરવાળા દૂધ સાથે લેવું. કવચનાં બી, ગોખરૂ, શતાવરી, આમળાં, ગળો, ધોળી મૂસળી, સાલમ, જેઠીમધ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરી સવાર સાંજ બે તોલો ચૂર્ણ સાકરવાળા દૂધ સાથે લેવું.

તુલસીનાં બી અને ગોળ સરખા ભાગે મેળવી, વાટીને  બોર જેવડી ગોળી બનાવવી. સવાર સાંજ ૧-૧ ગોળી ખાઈ ઉપર ગાયનું દુધ પીવું. આથી ત્રણ ચાર માસમાં વીર્ય વધે છે. શુક્રજંતુઓ ગતીવાળાં થાય છે, નપુસંકપણુ દુર થાય છે, નસોની શીથીલતા દુર થાય છે, પાચન શક્તી સુધરે છે અને નીરાશ થયેલો પુરુષ સશક્ત બની તાજગી અનુભવે છે.

જાયફળ, જાવંત્રી, કેસર, અફીણ, એલચી, લવિંગ અને અક્કલકરો સમભાગે લઈ વસગાળ ચૂર્ણ કરી નાગરવેલનાં પાનના રસમાં છ કલાક ઘૂંટીને ગોળી વાળવા જેવું કરી ચણા જેવડી ગોળીઓ વાળવી. સવારસાંજ એક એક ગોળી દૂધ સાથે લેવી. આ દવામાં અફીણ આવે છે. એટલે બનાવતાં સંભાળ રાખવી. વીર્યનું સ્તંભન કરવામાં આ દવા સરસ કામ કરે છે.

અશ્વાગંધા નો ઉપયોગ વીર્ય સંબંધિત વસ્તુ માં કરવા માં આવે છે. તેના પાવડર માં દૂધ ઉમેરી ને પીવા થી તે ફાયદાકારક સાબિત થાય છે. લસણ એક પ્રાકૃતિક ધરેલું ઔષધી છે. વીર્ય કાઉન્ટ બનાવા માટે મદદરૂપ થાય છે. લસણ માં ઈલિસીન નામ નું ઘટક છે જે લોહી પરીસંચાલન માં ઉપયોગી છે. વીર્ય ની ગતિશીલતા માટે પણ ઉપયોગી છે.

મીઠોવજ, જેઠીમધ, અશ્વગંધા અને વધારી આ સવાર-સાંજ કરવું. ઉત્તમ ઉપાય છે. ચારે વસ્તુ પાંચ પાંચ તોલા લેવી. ખડા બ્રાહ્મી ૧૦ તોલા અને સાકર ૩૦ તોલા લઈ બધાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું અડધો થી ૧ તોલો સુધી સવાર-સાંજ ગાયના દૂધ સાથે લેવું. આ સમસ્યામાં લવિંગ નું સેવન ઉપયોગી નીવડે છે. લવિંગ નું પાણી પણ લઈ શકાય છે. ચુનો તમાકુ સાથે ખાવાથી ઝેર બને છે પરંતુ ચુનો ઘઉં નાં દાણા સાથે ખાવાથી શુક્રાણુની સંખ્યા વધે છે.

ત્રિફળાનું વસ્ત્રગાળ ચૂર્ણ અડધો તોલા રાતે સૂતી વખતે ગાયના દૂધ સાથે લેવું.  ટામેટામાં રહેલાં તત્વ પુરૂષોમાં ફર્ટિલિટી સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.  ફર્ટિલિટી ઈમપ્રૂવ કરવા માટે ઉપયોગ કરવામા માટે આવતી સપ્લિમેટ્સમાં ઝીંક હોય છે, રિસર્ચના પરિણામોમાં જોવા મળ્યું કે,ઝીંક અને ફોલિક સપ્લિમેન્ટ્સનું સેવન કરવાથી પ્રેગ્નન્સી રેટમાં વૃદ્ધિ નથી થતી અને ન તો સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટીમાં વધારો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top