વજન ઘટાડવાથી લઈને કેન્સર, કબજિયાત જેવા જટિલ રોગોથી છુટકારો મેળવવા જરૂર કરો આ ચમત્કારિક ચૂર્ણનું સેવન, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ત્રિફળા એ બે સંસ્કૃત શબ્દોમાંથી બનેલો શબ્દ છે. ત્રિ એટલે ત્રણ અને ફળા એટલે ફળ. ત્રિફળાનો અર્થ ત્રણ ફળ આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ થાય છે. ત્રિફલા પાવડર આવી ત્રણ ઔષધિઓના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે જે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.

ત્રિફલા એ એક રોગનિવારક, રોગ વિરોધી અને ઉપચાર માટેની દવા છે. ત્રિફલા એન્ટી બાયોટીક અને એન્ટી સેપ્ટિક પણ છે. ત્રિફલાનો ઉપયોગ શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન જાળવવા માટે થાય છે. તે રોજિંદા સામાન્ય રોગો માટે ખૂબ જ અસરકારક દવા છે. તે આંખો અને પેટના રોગો માટેના ઉપચાર છે.

ત્રિફલા શરીરના ટોક્સિન્સને દૂર કરી શરીરનું ફંક્શન સુધારે છે. અને તે રેગ્યુલર રહેવાથી બોડી શેપમાં રહે છે, અને પાચન શક્તિ પણ સુધરે છે. વજન વધવાનું એક કારણ ન પચેલો ખોરાક પણ છે. ત્રિફળાને કારણે ખોરાક વ્યવસ્થિત રીતે પચી જાય છે જેને કારણે વજન ઘટવા માંડે છે.

ત્રિફળામાં પોલિફેનોલ્સ અને ગેલિક એસિડ જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. આ તત્વો કેન્સર સામે લડવાની ક્ષમતા વધારી દે છે. જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેના માટે ત્રિફળાથી શ્રેષ્ઠ બીજી કોઈ દવા નથી. પાચનતંત્રની તકલીફ ધરાવતા લોકોએ સૂતા પહેલા ત્રિફળા લેવુ જોઈએ. તે હાઈપર એસિડિટી જેવી સમસ્યા અને ગેસને લીધે થતી તકલીફોમાં પણ રાહત આપે છે.

પેટમાં ચાંદા પડયા હોય એટલે કે અલ્સર હોય તો તેના માટે ત્રિફળા એક અસરકારક કુદરતી ઉપચાર છે. સંશોધન અનુસાર તે પેટની અંતરત્વચાને સ્વસ્થ બનાવે છે અને પાચક રસોના સ્તરને નિયંત્રિત કરે છે જેને કારણે અલ્સરમાં રાહત મળે છે.

પાચનને લગતી સમસ્યા જેવી કે ઉલ્ટી તથા હૃદયને લગતી સમસ્યાઓને ત્રિફળાથી દૂર કરી શકાય છે. પેનક્રિયાસની ક્ષમતા વધારીને તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે તથા હાડકા પણ મજબૂત બનાવે છે. બહેડા પાચનતંત્રની સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખે છે.

નિયમિત ત્રિફળા લેનારા લોકોને ક્યારેય દાંતની તકલીફ થતી નથી. તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા રહેલી છે અને વળી તે સોજો ઓછો કરવાનો ગુણ પણ ધરાવે છે જેને કારણે દાંતમાં સડો થતો નથી. ત્વચા માટે પણ ત્રિફળા ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વો ઘા રૂઝાવા માટે ખૂબ જ અસરકારક થાય છે. ત્વચા પર ઘા નું નિશાન હોય અથવા તો સનબર્ન હોય તો ત્રિફળાને કારણે તે કુદરતી રીતે દૂર થઈ જાય છે.

ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ વધારવાની ગજબ ક્ષમતા ધરાવે છે. તે ઈન્ફેક્શન સામે લડે છે અને બ્લડ સરક્યુલેશન સુધારે છે. પાચનતંત્રમાં જામેલો કચરો દૂર કરે છે જેને કારણે તમે જે ખોરાક લો છો તેના  પોષક તત્વો શરીરને વધુ માત્રામાં મળી રહે છે.

હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા આજકાલ ઘણા લોકો માં જોવા મળે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ત્રિફળા નું સેવન કરવું જોઈએ. ત્રિફળાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર નોર્મલ થઇ જાય છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશર થી પીડિત હોય તે લોકોએ રાતના સમયે દૂધ ની સાથે ત્રિફળા નું સેવન કરવું જોઈએ. એક અઠવાડિયા સુધી દૂધ ની સાથે ત્રિફળા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર દુર થઇ જશે.

આંખોને સ્વસ્થ અને તેજ રાખવા માટે ત્રિફળા એ ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપચાર છે. 1 ચમચી ત્રિફળા પાવડરને હૂંફાળા પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પલાળેલા મિશ્રણથી તમારી આંખોને ચોખ્ખી કરી દો. વાળ ખરવાની સમસ્યામાં તે અકસીર ઈલાજ છે. ત્રિફળામાં રહેલુ ત્રીજુ તત્વ આમળા અલ્સર, ત્વચાને લગતા રોગો, ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં દુઃખાવાને દૂર કરે છે અને શરીરમાં આંતરિક રક્તસ્રાવને  રોકવામાં પણ મદદ કરે છે.

સંશોધનો અનુસાર ત્રિફળાના ગુણધર્મો યુરિનના ઈન્ફેક્શનને દૂર કરી શકે છે. વળી, તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ પણ નથી. આથી પેશાબમાં બળતરા થતી હોય અથવા તો અવારનવાર ઈન્ફેક્શન થઈ જતુ હોય તેવા લોકોએ ત્રિફળાનું નિયમિત રીતે સેવન કરવુ જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top