Site icon Ayurvedam

પુખ્ત વયના લોકો માટે સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે ની 5 ટિપ્સ

1. વિવિધ પ્રકારના ખોરાક લો

સારા સ્વાસ્થ્ય માટે, આપણને 40 થી વધુ વિવિધ પોષક તત્વોની જરૂર હોય છે, અને એક નો એક ખોરાક આ બધા પોષક તત્વો સપ્લાય કરી શકતો નથી.ઋતુ અને સમય મુજબ સંતુલિત ખોરાકની પસંદગી તમારા સ્વાસ્થ માં ઘણો ફરક પાડશે!

2. તમારા આહાર માં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખાદ્યપદાર્થો નો વધારે ઉપયોગ કરો

આપણા લેતા બધા આહાર માંથી લગભગ અડધો આહાર કાર્બોહાઈડ્રેટથી સમૃદ્ધ ખોરાકમાંથી હોવો જોઈએ, જેમ કે અનાજ, ચોખા, પાસ્તા, બટાકા , બ્રેડ વગેરે.

દરેક ભોજનમાં આમાંથી ઓછામાં ઓછી એક વસ્તુ નો શામેલ કરવો એ એક સારો વિચાર છે. બ્રેડ, પાસ્તા અને અનાજ જેવા હોલગ્રેન ખોરાક આપણા શરીર માં ફાયબરનું પ્રમાણ વધારશે જે પાચન માં મહત્વ નો ભાગ ભજવે છે.

3. અસંતૃપ્ત ચરબી વાળા ખોરાક ને બદલે સંતૃપ્ત ચરબી વાળો ખોરાક લ્યો

ચરબી એ સારા સ્વાસ્થ્ય અને શરીરની યોગ્ય કામગીરી માટે મહત્વપૂર્ણ છે. જો કે, વધારે પડતી ચરબી આપણા વજન અને રક્તવાહિની ને નકારાત્મક અસર કરી શકે છે.

વિવિધ પ્રકારની ચરબી આરોગ્ય પર વિવિધ અસર કરે છે, અને આમાંથી કેટલીક ટીપ્સ અમને સંતુલનને યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે:

4. પુષ્કળ ફળો અને શાકભાજીનો આનંદ લો

ફળો અને શાકભાજી એ આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન, ખનિજો અને ફાઇબર આપવા માટેના સૌથી મહત્વપૂર્ણ ખોરાક છે.

આપણે દિવસમાં ઓછામાં ઓછા 5 ટક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, નાસ્તામાં એક ગ્લાસ તાજા ફળનો રસ લઇ શકાય, કદાચ એક સફરજન અને નાસ્તા તરીકે તરબૂચનો ટુકડો, અને દરેક ભોજનમાં વિવિધ શાકભાજીનો સારો ભાગ લઇ શકાય.

5. મીઠું અને ખાંડનું સેવન ઓછું કરો

વધારે પડતા મીઠાના સેવનથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે, અને રક્તવાહિની રોગનું જોખમ વધી શકે છે. આહારમાં મીઠું ઘટાડવાની વિવિધ રીતો નીચે દર્શાવી છે.

Exit mobile version