પુખ્ત વયના લોકો માટે સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે ની 5 ટિપ્સ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

1. વિવિધ પ્રકારના ખોરાક લો

સારા સ્વાસ્થ્ય માટે, આપણને 40 થી વધુ વિવિધ પોષક તત્વોની જરૂર હોય છે, અને એક નો એક ખોરાક આ બધા પોષક તત્વો સપ્લાય કરી શકતો નથી.ઋતુ અને સમય મુજબ સંતુલિત ખોરાકની પસંદગી તમારા સ્વાસ્થ માં ઘણો ફરક પાડશે!

  • જો તમે બપોર ના ભોજન માં ઉચ્ચ ચરબી વાળો ખોરાક લીધો હોય તો ડીનર માં ઓછી ચરબી વાળું ભોજન લેવું હિતાવહ છે.
  • ચરબી ઘટાડવા માટે અમુક અમુક દિવસો ના ગાળે ઉપવાસ કરવો જોઈએ.
    ઉપવાસ માં તમે ફ્રુટ અને લીંબુ પાણી નો ઉપયોગ કરી શક.

2. તમારા આહાર માં કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખાદ્યપદાર્થો નો વધારે ઉપયોગ કરો

આપણા લેતા બધા આહાર માંથી લગભગ અડધો આહાર કાર્બોહાઈડ્રેટથી સમૃદ્ધ ખોરાકમાંથી હોવો જોઈએ, જેમ કે અનાજ, ચોખા, પાસ્તા, બટાકા , બ્રેડ વગેરે.

દરેક ભોજનમાં આમાંથી ઓછામાં ઓછી એક વસ્તુ નો શામેલ કરવો એ એક સારો વિચાર છે. બ્રેડ, પાસ્તા અને અનાજ જેવા હોલગ્રેન ખોરાક આપણા શરીર માં ફાયબરનું પ્રમાણ વધારશે જે પાચન માં મહત્વ નો ભાગ ભજવે છે.

3. અસંતૃપ્ત ચરબી વાળા ખોરાક ને બદલે સંતૃપ્ત ચરબી વાળો ખોરાક લ્યો

ચરબી એ સારા સ્વાસ્થ્ય અને શરીરની યોગ્ય કામગીરી માટે મહત્વપૂર્ણ છે. જો કે, વધારે પડતી ચરબી આપણા વજન અને રક્તવાહિની ને નકારાત્મક અસર કરી શકે છે.

વિવિધ પ્રકારની ચરબી આરોગ્ય પર વિવિધ અસર કરે છે, અને આમાંથી કેટલીક ટીપ્સ અમને સંતુલનને યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે:

  • આપણે સંતૃપ્ત ચરબીનો વપરાશ મર્યાદિત કરવો જોઈએ અને ટ્રાંસ ચરબીને સંપૂર્ણપણે ટાળવી જોઈએ.
  • વસ્તુ પર ના લેબલ્સ વાંચવાથી તેમાં રહેલા સ્ત્રોતોને ઓળખવામાં મદદ મળે છે.
  • રાંધતી વખતે તળવા કે શેકવા ના બદલે ઉકાળવું કે બાફવું જોઈએ અને વનસ્પતીજ ઓઇલ નો ઉપયોગ ઓછઓ કરવો જોઈએ.

4. પુષ્કળ ફળો અને શાકભાજીનો આનંદ લો

ફળો અને શાકભાજી એ આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન, ખનિજો અને ફાઇબર આપવા માટેના સૌથી મહત્વપૂર્ણ ખોરાક છે.

આપણે દિવસમાં ઓછામાં ઓછા 5 ટક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, નાસ્તામાં એક ગ્લાસ તાજા ફળનો રસ લઇ શકાય, કદાચ એક સફરજન અને નાસ્તા તરીકે તરબૂચનો ટુકડો, અને દરેક ભોજનમાં વિવિધ શાકભાજીનો સારો ભાગ લઇ શકાય.

5. મીઠું અને ખાંડનું સેવન ઓછું કરો

વધારે પડતા મીઠાના સેવનથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે, અને રક્તવાહિની રોગનું જોખમ વધી શકે છે. આહારમાં મીઠું ઘટાડવાની વિવિધ રીતો નીચે દર્શાવી છે.

  • ખરીદી કરતી વખતે, આપણે ઓછું સોડિયમ તત્વ ધરાવતા ઉત્પાદનો પસંદ કરી શકીએ.
  • રાંધતી વખતે મીઠા ના બદલે બીજા તેજાના નો ઉપયોગ કરી ને સ્વાદ માં વધારો કરી શકાય છે .
  • જમતી વખતે મીઠા ની ડબ્બી ટેબલ પર નો રાખવી જોઈએ અથવા તો ચાખ્યા વગર મીઠું તો નો જ નાખવું જોઈએ.
  • ખાંડ ની બદલે મધ અથવા ગોળ નો ઉપયોગ કરવો જોઈએ.
  • આપણે ખોરાક અને પીણાંને મધુર બનાવવા માટે ખાંડ ના બદલે ફળોનો ઉપયોગ કરી શકીએ છીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top