99% લોકો નહિ જાણતા હોય આ શાકભાજી વિશે, આંતરડા અને લોહીના રોગ માટે તો છે રામબાણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ટીંડા એક શાકાહારી શાકભાજી છે જે પોષણથી ભરેલી હોય છે. ટીંડા પચવામાં સરળ છે. ટીંડામાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ, ફાઇબર, કેરોટીનોઇડ, વિટામિન સી, આયર્ન અને પોટેશિયમ હોય છે, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે, તેનો છોડ જમીન પર ફેલાય છે. ટીંડાના ફૂલો નાના, પીળા, વ્યાસમાં 3 સે.મી. ના હોય છે.

ટીંડા ના ફળ ઇંડા આકારના, વ્યાસના 6-10 સે.મી., લીલા અને સફેદ રંગના અથવા ઘાટા પીળા હોય છે. ટીંડાનો આંતરિક ભાગ નરમ અને રસદાર છે. બીજ સંખ્યાબંધ, વિશાળ અને લંબગોળ હોય છે. આ મુખ્ય રૂપથી 50 થી 60 ગ્રામ વજન ના હોય છે. લોકો આ શાકભાજીના ફાયદા જાણ્યા પછી નિશ્ચિત પણે  ટીંડા ને ખરીદવાનું ચાલુ કરી દેશે. ટીંડા એક ગોળ અને લીલી વનસ્પતિ છે.

લોહી શુદ્ધ ન હોય તો ત્વચાના અનેક પ્રકારના રોગો થવાની સંભાવના છે. ટીંડા ના ફળનો રસ પીવાથી લોહીનું શુદ્ધિકરણ અને શુષ્ક મોં અને ગળાની સમસ્યા દૂર થાય છે. ટીંડાના ફાયદા લોહીને સાફ કરવામાં અને તેને સંબંધિત રોગોથી રાહત આપવામાં મદદ કરે છે. ટીંડાનું  સેવન કરવાથી કમળો અને ડાયાબિટીસ માં ફાયદો થાય છે.

આજકાલ મસાલેદાર ખોરાક ખાવાથી પથરી થવાનું સામાન્ય છે. આયુર્વેદ અનુસાર, ટીંડા આ પથરી ને બહાર કાઢવામાં મદદ કરે છે. ટીંડા ના તાજા ફળોને વાટી લો, તેને પીસી લો અને તેનો રસ કાઢો. 10-15 મિલિલીટર રસમાં 65-125 મિલિગ્રામ પોટેશિયમ મિક્સ કરીને અને નવશેકું પીવાથી, પથરી દૂર  થાય છે.

ટીંડા માં 94 ટકા પાણી ની માત્રા હોય છે. જે મોટાપા ઘટાડવા માટે મદદરૂપ થાય છે. તેથી વધારે ખાવાને કારણે વધવા વાળા પેટ ને રોકવા માટે, રોજ સવારે ટીંડા નું જ્યુસ પીને વજનને નિયંત્રણ કરી શકાય છે. જો સગર્ભાવસ્થા દરમિયાન રક્તસ્રાવ થાય છે, તો આ રીતે ટિંડા નું સેવન કરવાથી ફાયદો થાય છે. 5-10 મિલી ટિંડા ના મૂળ નો રસ પીવાથી કસુવાવડ રક્તસ્રાવ ઘટાડવામાં મદદ મળે છે.

આંતરડાની બીમારી માટે ટીંડા ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા પાણીની પૂરતી માત્રા પેશાબ ના ચેપને  અટકાવે છે. આ બ્લડ શુદ્ધિકરણ પણ કરે છે. આનાથી શરીરમાં થવા વાળા અનેક પ્રકારના રોગોથી દૂર રહી શકાય છે. આને ખાઈને તાવમાં પણ રાહત મળે છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાને કારણે સાંધાનો દુખાવો થતો હોય છે , પરંતુ આજકાલ આ સમસ્યા નાની ઉંમરે પણ જોઈ શકાય છે. આવી સ્થિતિમાંથી રાહત મેળવવા માટે, ટિંડા નું ફળ પીસીને સાંધા પર લગાવવાથી પીડા થી રાહત મળે છે.

જો શરીરના કોઈ પણ ભાગમાં સોજો ઓછો ન થઈ રહ્યો હોય તો, ટીંડા ના પાંદડા પીસીને પેસ્ટ બનાવો. તે પછી, અસરગ્રસ્ત સ્થળે પેસ્ટ લગાવવાથી દુખાવો અને સોજો બંને ઓછું થાય છે. ટીંડા માં હાજર ફાયબર ની માત્રા પાચન ક્રિયા ને સાચવવા માટે ખૂબ મદદરૂપ છે. આ શાકભાજી ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓને પણ દૂર રાખે છે. આ ખાવાથી પેટ ની અંદર આંતરડાની સફાઈ પણ થાય છે. ઉનાળામાં મસાલેદાર ખોરાકને લીધે એસિડિટી, ડાયેરીયા અને ડિહાઇડ્રેશન ની સમસ્યા પણ ટીંડા દૂર કરે છે.

હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓને ટીંડાનો રસ લેવો જોઇએ. તે તેમના માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા બધા ઘટકો છે જે કોલસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે, જે લોહીના દબાણને સામાન્ય રાખે છે. ટીંડામાં હાજારો ફાયબરની માત્રા પાચનક્રિયાને સાચવવા માટે ખૂબ મદદરૂપ છે. આ શાકભાજી ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓને  પણ દૂર રાખે છે. આ ખાવાથી પેટની અંદર આંતરડાની સફાઈ પણ થાય છે. ઉનાળામાં, મસાલેદાર ખોરાકને લીધે એસિડિટી, ડાયરિયા અને ડિહાઇડ્રેશન ની સમસ્યા પણ ટીંડા દૂર કરે છે.

ટીંડા નું સેવન હૃદય માટે ફાયદાકારક છે કારણ કે તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે જે હ્રદયની કામગીરીને નિયમિત રાખીને હાઈ બ્લડ પ્રેશર થવાનું રોકે છે. શાકભાજી તરીકે ટીંડાનો ઉપયોગ કરવાથી તમારા માટે ફાયદાકારક થઈ શકે છે કારણ કે તેમાં વિટામિન સી અને ફાઇબર નો ઘણો સમાવેશ થાય છે જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપવા માટે મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top