બાવળની સિંગોના આ ફાયદાઓ વિષે જાણી તમે પણ ચોકી જશો, જાણો તેના આ ચમત્કારિક ફાયદાઓ વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આમતો તમે બાવળ નું નામ સાભળૂજ હશે. જે લોકો ગ્રામ્ય વિસ્તાર માથી આવે છે તે બાવળ થી પરિચિત છે. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બાવળની સિંગોના અમુક એવા ઔષધિય ગુણો કે જેના વિશે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહિ વિચાર્યું હોય. સામાન્ય રીતે બાળક કાંટાદાર ઝાડ છે અને મોટેભાગે આફ્રિકા અને ભારત ના ઉપમહાદ્વીપની અંદર જોવા મળે છે.

સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં તેના ઉપર પીળા રંગના ફૂલ આવે છે અને ત્યારબાદ શિયાળાની ઋતુમાં તેના ઉપર સિંગો લાગે છે. બાવળનું ઝાડ એકદમ ઘટાદાર અને કાંટા વાળું હોય છે, તથા તેનું લાકડું પણ મજબૂત હોય છે. સામાન્ય રીતે બાવળનું ઝાડ કાળીમાટી ની અંદર અને વધુ પાણી મળતું હોય તેવી જગ્યાએ થાય છે.

આયુર્વેદશાસ્ત્ર ની અંદર બાવળ નો ઉપયોગ કરીને આપણે આપણા સ્વાસ્થ્યને કાયમી માટે સારું રાખી શકીએ છીએ. બાવળની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. બાવળ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, ચરબી, આયર્ન, મેગેનીઝ અને જસત જેવા તત્વો હોય છે.

સામાન્ય રીતે બાવળની શીન્ગોનો ઉપયોગ કરી અને તમે કફ અને પિત જેવી સમસ્યાઓનો ઇલાજ કરી શકો છો. સાથે સાથે તે મૂત્રવિકાર, સોજા, દાતના દુખાવા અને ગર્ભાશયના બ્લીડિંગ જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ કારગર સાબિત થાય છે. બાવળ ના પાન થી માંડી તેનો ગુંદ અને તેની છાલ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે.

બાવળની સિંગોના ફાયદાઓ

ધાતુની પુષ્ટિ (વીર્ય વૃદ્ધિ) માટે

વીર્યવૃદ્ધિ કરવા માટે બાવળની કાચી સિંગોના રસની અંદર એક મીટર ઓરસ ચોરસ લાંબા કપડાને બરાબર પલાળી અને સૂકવી દો. જ્યારે આ કપડુ બરાબર સુકાઈ જાય ત્યાર બાદ તેને ફરીથી આ રસમાં પલાળી અને આવું વારંવાર 14 વખત કરો. ત્યારબાદ એક મીટરના આ કપડાને 14 સમાન ભાગની અંદર કાપી લો. ત્યારબાદ દરરોજ એક ટુકડાને 250 ગ્રામ દૂધ ની અંદર ઉકાળી લો અને ત્યાર બાદ આ ઉકાળેલા દુધને ગાળી લઇ પીવાથી તમારા શરીરની અંદર ધાતુની પુષ્ટિ (વીર્ય વૃદ્ધિ) થશે.

બાવળ ની સિંગો ના ચૂર્ણને ૧ ચમચી જેટલી માત્રામાં દરરોજ સવાર-સાંજ નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ હાડકામાં ભંગાણ પડ્યું હોય તો તે ઠીક થઈ જાય છે.

6 ગ્રામ જેટલા બાવળની સિંગોના ચૂર્ણની અંદર મધ અને બકરીનું દૂધ ભેળવી પીવાથી માત્ર ત્રણ દિવસની અંદર તૂટેલા હાડકા જોડાઈ જાય છે.

કમરના દુખાવામાં

જો કમરનો દુખાવો થતો હોય તો તેના માટે બાવળની છાલ તેની સિંગો અને બાવળના ગુંદ ને સમાન માત્રા ની અંદર લઈ તેને બરાબર પીસી લો. ત્યારબાદ તેના ચૂર્ણને 1 ચમચી જેટલી માત્રા ની અંદર દરરોજ ત્રણ વખત સેવન કરવામાં આવે તો તેના કારણે કમરના દુખાવામાંથી રાહત મળે છે.

કાનના રોગોમાં

બાવળના ફૂલને સરસવના તેલની અંદર ઉમેરી બરાબર પકાવી લો. ત્યાર બાદ તે તેલ ને ગાળી લઈ અને દરરોજ કાનની અંદર તેના બે ટીપાં નાખવામાં આવે તો તેના કારણે કાનની અંદર થતા દરેક રોગોમાંથી છુટકારો મળે છે, અને સાથે સાથે કાનમાંથી રસી નીકળતા હોય તો તે પણ ઠીક થઇ જાય છે.

સાંધાના દુઃખાવામાં

બાવળનો ઉપયોગ તમારા સાંધાના દુઃખાવા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. આ માટે બાવળની સિંગોને તડકા ની અંદર સૂકવી લઈ અને ત્યારબાદ તેનો પાઉડર બનાવી લો. હવે દિવસમાં બે થી ત્રણ વખત આ પાવડરની પેસ્ટ બનાવી અને તમારા સાંધાઓ પર લગાવવાના કારણે સાંધામાં થતા દુખાવામાંથી રાહત મળે છે.

વધારે પેશાબ આવવાની સમસ્યામાં

જો તમને પણ વારંવાર પેશાબ લાગતી હોય તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે બાવળની કાચી સિંગો ને છાયા ની અંદર સુકાવી લો. ત્યારબાદ તેને ઘીની અંદર તળી અને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ દરરોજ ત્રણથી ચાર ગ્રામ જેટલા પાઉડરનું સેવનકરવાના કારણે વધુ પેશાબ આવવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

દાંતોને મજબૂત બનાવવા માટે

જો દરરોજ બાવળના ઝાડ ની તાજી છાલને ચાવવામાં આવે તો તેના કારણે તમારા દાંત મજબુત બને છે અને જો તમારા દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો તે પણ બંધ થઈ જાય છે. જો દાંત એકદમ પીડા અને ખરાબ થઈ ગયા હોય તો બાવળના છાલનો પાઉડર દાંતે ઘસવાના કારણે તમારા દાંત મજબૂત બને છે. આ માટે તમે 50 ગ્રામ બાવળના લાકડાનો કોલસો, 20 ગ્રામ શેકેલી ફટકડી અને 10 ગ્રામ સિંધવ નમકને બરાબર માત્રામાં મેળવી અને તેના દ્વારા તમારા દાંત ઉપર માલિશ કરવી.

વાળને સ્વસ્થ રાખવા માટે

બાવળ ના પાન તમારા વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. બાવળના પાનની પેસ્ટને તમારા વાળમાં લગાવવાથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યામાં રાહત થાય છે.

ઝાડાની સમસ્યા

જો તમને પણ દસ્તની સમસ્યા થઈ ગઈ હોય તો તેની અંદર બાવળ ની સિંગો આમળા અને જાયફળના બીજને ઉકાળી લઇ અને તેનું પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમને દસ્તની સમસ્યામાંથી રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top