ગેરેન્ટી સાથે થાઈરોઈડના ગંભીર રોગથી વગર દવાએ છુટકારો, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના યુગમાં ઘણા લોકો થાઈરોઈડની સમસ્યાથી પીડાતા હોય છે. સામાન્ય રીતે પુરુષો કરતાં મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા વધુ જોવા મળે છે. શરીરની અંદર ગળામાં રહેલી સ્વરપેટી ની આસપાસ થાયરોઇડ ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી હોય છે. આ ગ્રંથિનો આકાર પતંગિયા જેવો હોય છે. આ ગ્રંથિ થાયરોક્સિન નામના હોર્મોન્સ બનાવે છે, જે શરીરની એનર્જી જાળવી રાખે છે, અને સાથે સાથે પ્રોટીન ઉત્પાદન અને સંવેદનશીલતાને કંટ્રોલ કરે છે.

થાઈરોઈડની સમસ્યા ના કારણે વ્યક્તિના શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, અને આથી જ વ્યક્તિના શરીરમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આજે અમે તમને થાઈરોઈડની સમસ્યા દૂર કરવા મટેના ઘણા ઉપચારો જણાવીશું પરંતુ સૌપ્રથમ આપણે થાઈરોઈડના લક્ષણો જાણીશું

થાઈરોઈડની સમસ્યાના લક્ષણો :

ગળામાં સોજો આવી જાય છે. ગળામાં સોઈના ઘુસવા જેવો દુ:ખાવો થાય છે. રોગીનું મોઢું ફિક્કું અને ગળું અને તાળવું સુકું રહે છે. ધબકારાની ગતી ધીમી થઇ જાય છે. સાંધામાં પાણી આવી જાય છે તેથી દુ:ખાવો થાય છે, અને ચાલવામાં પણ તકલીફ થાય છે. શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે અને શરીરમાં સોજો આવવા લાગે છે.

ઠંડી વધુ લાગવી, ગરદનમાં ગાંઠ અને ગરદન નીચેના ભાગમાં દુ:ખાવો થવો. બોલવામાં અને શ્વાસ લેવામાં દુ:ખાવો થવો. વાળનું ખરવું અને દુ:ખાવો થવો. ભૂખ વધી જવી અને કામ કરવામાં મન ન લાગવું. ડીપ્રેશન અનુભવવું, વાત વાતમાં ભાવુક થઇ જવું અને કામમાં અરુચિ વગેરે જેવા થાઈરોઈડના લક્ષણો છે. હવે આપણે જાણીશું થાઈરોઈડના ઉપચારો વિશે.

થાઈરોઈડ ગ્રંથીને વધતી અટકાવવા માટે તમે ઘઉંના જવારાનું સેવન કરવું જોઈએ.ઘઉંના જવારા આયુર્વેદમાં થાઈરોઈડની તકલીફને દુર કરવાનો ઉત્તમ અને સરળ કુદરતી ઉપાય છે. આ ઉપરાંત તે સાઈનસ, ઊંચા લોહીનાદબાણ અને લોહીની ખામી જેવી તકલીફોને દૂર કરવામાં પણ અસરકારક રીતે કામ કરે છે.

અખરોટ અને બદામમાં સેલેનિયમ નામનું તત્વ હોય છે જે થાઈરોઈડની તકલીફના ઉપચારમાં ફાયદાકારક છે. અખરોટમાં પાચ માઈક્રોગ્રામ સેલેનિયમ હોય છે. અખરોટ અને બદામના સેવનથી થાઈરોઈડને કારણે ગળામાં થતા સોજાને પણ ઘટાડી શકાય છે. પાંચ કિલો લોટ સાથે ૧ કિલો બાજરીનો લોટ અને એક કિલો જુવારનો લોટ ભેળવીને તે લોટમાંથી બનેલી રોટલીઓ ખાવાથી આ રોગમાં ઘણી રાહત મળે છે.

એક કપ દૂધમાં અડધી ચમચી અળસી નાંખીને 3 થી 4 વખત ઉભરો આવે તે રીતે ઉકાળો. આ દૂધમાં અડધી ચમચી ખાંડ નાંખીને તેને થોડું ગરમ જ પીઓ. તેનું રોજ એકવાર સેવન કરવાથી મહિનામાં ફરક દેખાશે. 250 ગ્રામ અળસીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરો. તેને એકદમ ઝીણો વાટો. રોજ સવારે એક ચમચી અળસીનો પાઉડર ખાવાથી થાઇરોઇડ કંટ્રોલમાં આવશે.

થાઈરોઈડની સમસ્યાથી પીડાતા લોકોને દહીં અને દૂધનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. દૂધ અને દહીંમાં રહેલ કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સ થાઈરોઈડથી પીડાતા લોકોને સ્વસ્થ બનાવી રાખે છે. થાઈરોઈડના દર્દીઓને થાક વધુ લાગે છે મુલેઠીનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે. મુલેઠીમાં રહેલ તત્ત્વ થાયરોઇડ ગ્રંથિને સંતુલિત રાખે છે. તે થકાવટને ઊર્જામાં ફેરવી દે છે. થાઈરોઈડની સમસ્યામાં મુલેઠી કેન્સરના જોખમને પણ ઘટાડી દે છે.

સવારે ઉઠતા જ ખાલી પેટ એક ચમચી મધમાં ૫-૧૦ ગ્રામ આંબળા ચૂર્ણ ઉમેરીને આંગળીથી ચાટો. આ પ્રક્રિયા રાત્રી ભોજનના ૨ કલાક પછી કે સુતી વખતે ફરીથી કરો. આનાથી થાઈરોઈડની સમસ્યામાં રાહત મળે છે. રોજ સવારે ખાલી પેટ દૂધીનુ જ્યુસ પીવાથી પણ થાઈરોઈડ ખતમ કરવામાં મદદ મળે છે.

કાળા મરી થાઈરોઈડનાના ઉપચારમાં ખૂબ લાભકારી છે. રાત્રે સૂતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂરણ ગાયના કુણા દૂધ સાથે સેવન કરો. બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરા જ્યુસ મિક્સ કરવુ પણ થાઈરોઈડની બીમારીથી છુટકારો મેળવવાનો ઉત્તમ ઉપાય છે. થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે તમે રોજ દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવો. જો હળદરવાળુ દૂધ ન પીવો તો હળદર સેકીને તેનુ સેવન કરો.

150 ગ્રામ અળસીના બીજને મિક્સરમાં પીસીને એક ચમચી ઘી અને એક ચમચી પાણી નાંખીને લોટની જેમ બાંધીને તેની ગોળી બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. આનાથી થાઈરોઈડ દૂર થાય છે. બ્રાહ્મી, આંબળા, ગુગળ અને શિલાજીત પણ ખુબ ફાયદાકારક હોય છે. 11 થી 22 ગ્રામ જળકુમ્ભીની પેસ્ટ બનાવીને થાઈરોઈડ વાળી જગ્યા ઉપર ઘણો ફાયદો થાય છે. ડુંગળીને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો અને રાત્રે સૂતા પહેલા થાઈરોઈડ ગ્રંથિની આસપાસ મસાજ કરવાથી આરામ મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top