વગર ખર્ચે શરદી, કફ, તાવને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ગોળીનું સેવન, માત્ર 2 જ દિવસમાં મળશે રાહત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારે કોરોનાનું ઇન્ફેક્સન બધા લોકોને સંક્રમિત કરી રહ્યું છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ હોય તે લોકો જલદીથી સંક્રમિત નથી થતાં. વારે વારે દવાઓના ઉપયોગથી આપણું શરીર એવું ટેવાઈ ગયું છે, કે દવા લઇએ તોજ સારું થાય. પણ છેલ્લે દવાઓના વધુ પડતા સેવનથી આપણા શરીરને નુકશાન થાય છે. તો આજે અમે તમને એવી ગોળી વિશે જણાવીશું જેનાથી તમને ઘણા લાભ થશે.

ગોળ અને સૂંઠની ગોળી બનાવવાની રીત :

દેશી ગોળ – ૨૫૦ ગ્રામ, હળદર પાવડર – ૫૦ ગ્રામ, અજમા- 10 ગ્રામ, સૂંઠ પાવડર – ૫૦ ગ્રામ, કાળામરી પાવડર – ૨૦ ગ્રામ. સૌથી પહેલા દેશી ગોળ લઇને એક વાસણમાં તેને ગરમ કરવો. ગોળ ઓગળે એટલે એમાં સૂંઠ, કાળામરી અને હળદર પાવડર આ ત્રણેય વસ્તુ નાંખીને સરખું હલાવીને સારી રીતે મિક્સ કરવું. બધુ સરખી રીતે ભળી ગયા પછી એને સહેજ ઠંડુ પાડવા દો. વધારે પડતું ઠંડુ ના થઈ જાય એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે. કેમકે, જો વધારે ઠંડુ થઈ જશે તો દવા બરાબર બનશે નહિ. હવે, થોડો થોડો આ મિશ્રણ લઈને નાની નાની ગોળીઓ બનાવવી. હવે અમે તમને જણાવીશું આ ગોળી લેવાથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.

આ ગોળીનો તમારે જમવાની 10 મિનિટ પહેલા ઉપયોગ કરવો જોઈએ. આ ગોળી મોઢામાં મૂકીને ધીમે ધીમે ચાવવાની છે તેને ગળી જવાની નથી. એટલે એનો રસ આપણા શરીરની અંદર ઉતરે તો રોગપ્રતિકારક શક્તિ પાવરફુલ થાય છે. આપણે જે પાચન શક્તિ છે એ પાચન શક્તિ સક્રિય થાય છે. જો જમવાની 10 મિનિટ પહેલા ગોળી લઈશું તો આપણને ભૂખ ઊઘડે છે. એટલે કે જમ્યા પછી ગોળી લઈશું તો તે ખૂબ ઝડપથી પાચન થાય છે.

આ ગોળી જમ્યા પછી તમારે લેવી હોય તો તમે દિવસમાં ત્રણ – ચાર વખત ઉપયોગ કરવો જોઈએ. જો ગોળી મોટી હોય તો એનો ટુકડો કરી દેવાનો અને અડધી ગોળી લઈ શકો છો. જમ્યા પહેલા અને જમ્યા પછી સવારે લઈ શકો છો, બપોરે લઇ શકો છો, અને સાંજે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

દરરોજ દિવસમાં ત્રણ થી ચાર વખત આ ગોળીનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં જે કફનું પ્રમાણ છે તે ધીમે-ધીમે દૂર થશે અને આપણને શરદી, કફ અને ઉધરસ ખૂબ રાહત મળે છે. કફનું પ્રમાણ આપણા શરીરમાંથી ધીમે ધીમે દૂર થઈ જશે તો આપણે કોરોનાથી જલ્દીથી સંક્રમિત નહીં થઈએ.

આ ગોળી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના રોગો દૂર થાય છે. જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ સવારે નરણાકોઠે ગોળી લેવી જોઈએ.

આ ગોળીને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી દૂર થાય છે. સતત ઉધરસથી મેળવવા આ ગોળીનું સેવન કરવું જોઈએ. આ ગોળી દૂધમાં ઉકાળીને ઠંડુ કરીને પીવાથી હીચકી આવવાનું બંધ થઇ જાય છે. હાડકામાં દુખાવો થવા પર પાણીમાં ઉકાળીને ઠંડુ કરીને દિવસમાં ઓછામાં ઓછું ૪ વાર પીવાથી લાભ થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top