પૂરતું કામ નથી કરી શકતા? થોડા સમય માં થાકી જાવ છો? તો આ લેખ તમારા માટે છે, જરૂર વાંચો અને શેર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સ્ટેમિના એટલે તમારી કામ કરવાની સહન શક્તિ. તમે જેટલું વધારે કામ કરી શકો એટલો તમારો સ્ટેમિના વધારે ગણાય. આના માટે તમારી રોગપ્રતિકારક શક્તિ તમારે મજબૂત બનાવવી જોઈએ. તમારો સ્ટેમિના જેટલો સારો હશે એટલા તમે શારીરિક અને માનસિક તંદુરસ્ત રહી શકશો.

સ્ટેમિના ની તકલીફો મોટાભાગે યુવાન વય ના વ્યક્તિઓ મા જોવા મળે છે.તેઓ મા આ ફરીયાદ રહેતી હોય છે કે તેઓ વાંચી શકતા નથી. થોડુ એક્સ્ટ્રા વર્ક કરે તો થાકી જાય છે. આમ તેમના મા સ્ટેમીના પાવર ખુબ જ ઓછો અનુભવાય છે.

પેલી કહેવત યાદ છે ને ‘ઉતાવળે આંબા ના પાકે’ અહી તમને તમારો ‘સ્ટેમીના’ વધારવા માટે હવે જે કઈ સૂચના આપવામાં તેનો અમલ ‘ધીરે ધીરે’ કરશો ઉતાવળ ના કરશો.લાંબા સમયે તમને ફાયદો જણાશે.

લીલા શાકભાજી અને તાજા ફળો જેમાં સફરજન, ચીકુ, તરબૂચ, અને શાકભાજી ગાજર, બિટ, રીંગણાં, શક્કરીયા, બધા જ પ્રકારની ભાજી અને અને એમ પણ મેથી ની ભાજી ખાસ લેવી જોઇએ. મેંદો અને ખાંડ બને તેટલા ઓછા કરી ને વધુ કાર્બોહાયડ્રેટ મળે તેવો ખોરાક ખાવો જોઈએ.

સાલમ નો ઉપયોગ :

સાલમ નામની વનસ્પતિ હિમાલય અને તિબેટની ૧૦૦૦ થી ૧૨૦૦ ફૂટની ઊંચાઈએ થાય છે. મહારાષ્ટ્રીયનો જેને સામીશ્રીના નામથી ઓળખે છે તેને સંસ્કૃતના પંડિતોએ પીપૂષોત્થ નામ પણ આપ્યું છે પીષૂષનો અર્થ થાય છે, અમૃત. અમૃતમાંથી પેદા થયેલું.આપણે ત્યાં આવતું સાલમ મોટેભાગે ઈરાન, અફઘાનિસ્તાનથી આવે છે. વૈદ્યકીય દૃષ્ટિએ પંજા આકારનો સાલમ ઉત્તમ મનાય છે. સાલમના મૂળ માણસના પંજા આકારના હોય છે.બલ્ય- સાલમ બળ આપનાર છે અર્થાત શરીરમાં શક્તિનો સંચય કરીને રોગોનો પ્રતિકાર કરવાનું કાર્ય એ કરે છે.

સાલમ મગજના કોષોને અને જ્ઞાન તંતુંઓને બળ પૂરું પાડે છે. એટલે આખો દિવસનો કંટાળો, થાક દૂર કરીને શરીરને સ્ફૂર્તિલું બનાવે છે. સાલમનો એક ગુણ વય-સ્થાપન છે એટલે કે ઉંમર વધવા છતાં ઘડપણનાં ચિહ્નોને દૂર રાખે છે.

નિયમિત કસરત :

નિયમિત ૩૦થી ૪૦ મિનિટની કસરત કરવામાં આવે એટલે શ્વાસ વધારે લેવો પડશે અને પરસેવો પડશે એટલે ફેફસાની કેપેસિટી સુધરશે તેમજ શરીર નો કચરો પરસેવા વાતે બહાર નીકળશે.  રોજ ૬થી ૮ કલાકની ઊંઘ (આરામ) દરેક વ્યક્તિ એ લેવી  જોઇએ. આટલો આરામ ના મળે તો આરોગ્યના ઘણા પ્રોબ્લેમ્સ થઇ શકે.

પૂરતા પ્રમાણમા પાણી :

પૂરતું પાણી પીવું જોઈએ. યાદ રાખો શરીર માં વધારે ભાગ પાણી નો છે. જો તમારા શરીર માં પાણી ની અછત અનુભવશે તો એ અનેક રોગો નું કારણ બની શકશે. જે તમારા જીવનમાં બની ગયું છે તે અને ભવિષ્યમાં બનવાનું છે તે ઇશ્વરની મરજી એમ માની ને સ્વીકારી લો. તમારી પાસે છે તે બધુ જ શ્રેષ્ઠ છે તેમ માનો. કોઈ પણ સંજોગોમાં મન ને નબળું ના પડવા દો.

ખોટા અશુભ વિચારો ના કરો. જન્મ તમારા હાથમાં નથી, મૃત્યુ પણ તમારા હાથમાં નથી વચ્ચેનો ગાળો તમારા હાથમાં છે તે દરમ્યાન જીવન જીવી જાણો. જ્યારે તમે ઉર્જા ઓછી અનુભવતા હો ત્યારે યોગ કરો, યોગ કરવાથી તમારી શારીરિક અને માનસિક સહનશક્તિ વધારવામાં મદદ મળશે.

કેફીન પર વધારે પડતો વિશ્વાસ ન કરવાનો પ્રયાસ કરો, કારણ કે તમે સહનશીલતા વધારી શકો છો. તમારે કેફીન સ્રોતોથી પણ દૂર રહેવું જોઈએ જેમાં ખાંડ અથવા કૃત્રિમ સ્વાદનો સ્વાદ ઘણો હોય છે.

અશ્વગંધા નો ઉપયોગ :

અશ્વગંધા એક એવી ઉત્તમ ઔષધિ છે કે જેનો ઉપયોગ સારું સ્વાસ્થ્ય અને બળ વધારવા માટે થાય છે. તેનો ઉપયોગ  કાર્યને વેગ આપવા અને તણાવ ઘટાડવા માટે પણ થઈ શકે છે. અશ્વગંધા પણ ઊર્જાના સ્તરને વેગ આપવા માટે બતાવવામાં આવે છે.

જો તમને લાગે છે કે તમે કોઈ પરિણામ લીધા વિના તમારા સ્ટેમિનામાં વધારો કરવા માટે ફેરફારો કરી રહ્યાં છો, તો તમે ડ seeક્ટરને મળવાની ઇચ્છા કરી શકો છો. તમારા ડોક્ટર તે નક્કી કરી શકે છે કે તમારી પાસે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાઓ છે કે જે તમારા પ્રભાવને અસર કરે છે. એકંદર સુખાકારી માટે તમારી આદર્શ યોજના પર કેન્દ્રિત રહો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top