શું તમે જાણો છો આ છોડ કેટલો ફાયદાકારક છે ? આનો ઉપયોગ દરેક બીમારીમાં છે ગુણકારી, અમૂલ્ય ફાયદા જાણીને ચોંકી જાશો તમે પણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ડમરો એક છોડ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણધર્મોને લીધે તે સદીઓથી વિવિધ પ્રકારના રોગો માટે વપરાય છે. ડમરા નો સુગંધિત છોડ દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. ડમરો ઝેર, લોહીબગાડ, કોઢ, શરીરની ભીનાશ, ખંજવાળ અને ત્રીદોષ મટાડે છે. ડમરો દીપન, પાચન, યકૃત-પીત્તની સારક, વાયુને હરનાર, સોજો ઉતારનાર, તાવ મટાડનાર, મુત્ર વધારનાર તથા ગર્ભાશયને સંકોચે છે. ડમરો મળાવરોધ, તાવ, આફરો, શુળ, ત્વચાના રોગો અને રક્તવીકાર મટાડે છે. ડમરા પાસે સાપ આવતો નથી એમ કહેવાય છે. તો ચાલો હવે આપણે જાણીએ ડમરાથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.

10 ગ્રામ ડમરાના પાંદડામાં શતાવરીના મૂળનો 10 ગ્રામ પાવડર ભેળવીને એક ઉકાળો બનાવો અને આ ઉકાળો 10-20 મિલિલીટર પીવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે. નબળાઈ અને અશક્તિથી છુટકારો મળે છે. ડમરાના પાનનો ઉકાળો બનાવવો અને તેને 10-20 મિલીલીટર પીવાથી તાવ મટે છે. આ પાનનો ઉકાળો પીવાથી મેલેરીયા, ટાઈફોડ, ડેન્ગ્યુ જેવા તાવમાં રાહત મેળવી શકાય છે.

ડમરાના પાંદડા પીસીને પેટ પર લગાવવાથી યકૃતના રોગો ઓછા થાય છે. ડમરાના પાનના ચૂર્ણમાં 1 ગ્રામ સૂંઠ નાખીને ઉકાળો બનાવીને પીવાથી ગર્ભાશયના દુખાવામાં રાહત મળે છે. ડમરાના તેલમાં ખાંડ મિક્સ કરીને તેનો ઉપયોગ કમળો અને યકૃતના અન્ય રોગોમાં ફાયદાકારક છે. જો યકૃતના રોગોથી પરેશાન છો તો પછી આ રીતે ડમરાનો ઉપયોગ કરવાથી ઝડપી રાહત મળે છે.

કાનના દુખાવામાં રાહત માટે ડમરા નો ઉપયોગ વધુ અસરકારક છે. ડમરાના પાનના રસના 1-2 ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત મળે છે. જો કોઈ પણ રીતે બાળકની ખાંસી ઓછી થતી નથી, તો ડમરાના પાનના 5-10 મિલીલીટરનો ઉકાળો આપવાથી ઉધરસ મટે છે.

ડમરાની છાલ પીપરીમૂળ, સાજીખાર, જવખાર, સૂંઠ, કાળા મરી, લીંડીપીપર, અજમોદ અને હિંગ એ દરેક ૨૦ ગ્રામ,ચિત્રક, દસ ગ્રામ કાકડાશિંગી ૩૦ ગ્રામ, મોથ- ૪૦ ગ્રામ તથા અતિવિષ ૨૦ ગ્રામ લઈ મધ અને સાકર જરૂરિયાત મુજબનું લઈ ચાસણી કરવી. આ પાક ખાવાથી અપચો મટે છે. આફરો દૂર થાય છે તથા જીર્ણ ઝાડાનો રોગ મટાડવા માટે વપરાય છે.

ડમરાના ઔષધીય ગુણધર્મો ના ફાયદા મેળવવા માટે તેના પાંદડા પીસીને લેપ કરવાથી લોહીની સમસ્યા અને જખમોને ઝડપથી મટાડવામાં મદદ મળે છે. જો તમને કોઈ રોગને લીધે એલર્જીથી પરેશાન છો તો ડમરાના છોડનો ઉપયોગ કરી શકાય છે. ડમરાના ફૂલનો આગળનો ભાગ અને પાંદડામાંથી બનેલો ઉકાળો 10-20 મિલી લેવાથી માસિક રોગો રોગોમાં ફાયદો થાય છે.

ડમરાના ફૂલ, રાળ,પાખંડભેદ, એલચી દરેક અઢી તોલા, લીમડાંની છાલ, કરિયાતું, દરેક અઢી તોલા, સાકર પાંચ તોલા દરેકનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી દસથી બાર ઘઉં ભાર આપવાથી હરસ બહાર હોય એને કાઢ્યા વગર દૂર કરવા હોય અથવા લોહી પડતું બંધ થાય છે.

ડમરાના પાનનો 10-15 મિલિલીટર ઉકાળો પીવાથી પેટના કીડા અને પેટના દુખાવાથી રાહત મળે છે. ડમરાના પાંદડાના  ઉકાળામાં 1 ગ્રામ તજ પાવડર પીવાથી પેટનો દુખાવો ઓછો થાય છે.પેટમાં દુખાવો થતો હોય તો ડમરાના ગુણધર્મો અસરકારક રીતે કાર્ય કરે છે.

ડમરાના પાન, રસવંતી બે ચમચી, તાંદળજાનો રસ એક તોલો એ તમામ એકત્ર કરવું. આ ઔષધ પીવાથી સ્ત્રીનો રક્ત પ્રદર તથા પુરુષનો પ્રમેહ મટે છે. રસવંતી , કડાછાલ, સૂંઠ, ઈંદ્રજવ, બીલીપાઠા મોથ, અતિવિષ, ઘાવડીનાં ફૂલ અને કડુ એ દરેક પા તોલો લઈ એનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ફાકવાથી અર્શ, ગડગૂમડાં, રક્તથી ઉત્પન્ન થયેલા દરદો ઉપરાંત પિત્તથી ઉત્પન્ન થયેલો ગ્રહણી રોગ, અર્શ વગેરે મટે છે.

 

 

 

Scroll to Top