શિયાળામાં દરેક રોગ અને દુખાવાથી બચવા જરૂર કરો આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો સેવન કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળામાં મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે. મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મધમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ પણ જોવા મળ્યા છે. મધમાં એન્ટીબાયોટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલાં છે. જેથી તે શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. સાથે જ શિયાળામાં મધનું સેવન કરવાથી ગજબના ફાયદા મળે છે.

મધમાં સેરોટોનિન કેમિકલ હોય છે જે મૂડને સારો કરે છે. આવામાં જો તમને અનિંદ્રાની સમસ્યા છે તો રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. ઊંઘ સારી આવશે.

એન્ટીઓક્સીડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાના કારણે મધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેના માટે સવારે ખાલી પેટ 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી મધ અને 1 લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. અડધી ચમચી તજ પાઉડર તથા એક ચમચી મધના નિયમિત પ્રયોગથી રોગપ્રતિરોધક શક્તિ વધે છે. સાયનસ તથા તીવ્ર શરદીમાં પણ લાભદાયક છે.

રોજ એક ચમચી મધ ખાવાથી કે હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.આંખોની જ્યોતિ વધારવા માટે 2 ચમચી મધને ગાજરના રસમા મેળવી નિયમિત સેવન કરો શરદી-સળેખમ, ખાંસીમાં 2 ચમચી મધને અને એટલા જ પ્રમાણમાં આદુનો રસ મેળવી વારંવાર ચાંટો.દાંત અંબાઈ જતા હોય તો મધ સાથે રોજ મીઠું મેળવી દાંત પર ઘસો.

કાળા મરીનો પાઉડર, મધ અને આદુના રસને સરખા પ્રમાણમાં લઈ દરરોજ દિવસમાં ત્રણવાર લેવાથી શ્વાસ-કફમાં આરામ મળે છે.બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે એક ચમચી લસણના રસમાં 2 ચમચી મધ મેળવી નિયમિત સેવન કરો.

એક ગ્લાસ હુંકાળા દૂધમાં 2 ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ મેળવી દરરોજ સવાર-સાંજ ખાલી પેટે લેવાતી સ્થૂળતા ઘટે છે.દરરોજ એક ચમચી મધનું સેવન કરવાથી માણસની ઉંમર લાંબી થાય છે તથા સ્વસ્થ રહી શકાય છે. કબજિયાતમાં ટમેટાના રસમાં મધ મેળવીને પીવાથી લાભ થાય છે.રોજ એક કપ દૂધમાં એક ચમચી મધ મેળવી પીવાથી અશક્તિ દૂર થાય છે.

દૂધ અને મધ સમાન માત્રામાં મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી નાખો. આમ, જો તમે રોજ આ લિકવિડથી નાહવાનું શરૂ કરશો તો શિયાળામાં તમારી સ્કિન ફાટશે નહિં. ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી તણાવ દૂર થાય છે. આ સાથે અનિદ્રા રોગને દૂર કરવાનો પણ એક પ્રાચીન ઉપાય છે.સારી ઉંઘ માટે ગરમ દૂધમાં મધ મિક્સ કરી પીવાથી લાભ થાય છે.

દૂધ અને મધ સાથે લેવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમમાં સુધારો થાય છે અને કબજીયાતની સમસ્યાથી છુટકારો મળે છે.દરરોજ એક ગ્લાસ દૂધમાં બે ચમચી મધ નાખીને પીવાથી દિવસભરની એનર્જી મળે છે. દૂધ અને મધનું કોમ્બિનેશન શરીરને હેલ્ધી બનાવી રાખવાની સાથે-સાથે સાંધાના દુખાવામાંથી પણ રાહત મળે છે.

કેટલાક પ્રારંભિક પુરાવા છે કે મધ કિમોચીકીત્સાના દર્દીઓમાં શ્વેત રક્ત કોશિકા (ડબલ્યુબીસી)નું પ્રમાણ ઘટાડી શકે છે. નાના પાયાના પ્રયોગમાં, ડબ્લ્યુબીસીની ઓછી ગણતરીના જોખમે દર્દીઓના ૪૦% દર્દીઓ કિમોચિકિત્સા દરમિયાન દરરોજ ઉપ્ચારાત્મક મધની બે ચમચી પી ગયા પછી સમસ્યાની પુનરાવૃતિ ધરાવતા ન હતા.

શરીર પર સફેદ ખાંડની નકારાત્મક અસરો વિષે ઘણું કહેવામા આવ્યું છે. મધ એક મોટી અવેજી છે જે મીઠાશ તરીકે પણ ઉપયોગમાં લેવા માટે સલામત છે. જોકે મધમાં રાસાયણિક મેકઅપમાં સાદી સાકરનો સમાવેશ થાય છે, તે સફેદ ખાંડથી અત્યંત અલગ છે તેમાં ૩૦% ગ્લુકોઝ અને ૪૦% ફ્રૂક્ટોઝ

મોનોસેકરાઈડ અથવા સાદી સાકર-૨૦% અન્ય જટિલ સાકર સાથે સમાવેશ થાય છે. મધમાં ડેક્સટ્રીન, સ્ટાર્ચી ફાઇબરનો પણ સમાવેશ થાય છે. આ સંયોજન લોહીમાં સાકરના સ્તરને નિયંત્રિત કરવા માટે શરીરને મદદ કરે છે.

પરંપરાગત દવાઓમાં, મધના સ્વાસ્થ્યના લાભોમાંનો એક લાભ શ્વસન ચેપના ઉપચારનો સમાવેશ થાય છે. મધના દૈનિક વપરાશનો ઉપયોગ અતિશય શ્લેષ્મ અને અસ્થમા જેવી સમસ્યાઓથી મુક્ત થવા માટે થાય છે.

પારંપારિક દવામાં મધના મહત્વના ઉપયોગોમાંની એક તાત્કાલિક ઉર્જા વધારનારની છે. ઉપર સુચવ્યા મુજબ, મધમાં વિવિધ પ્રકારના ખાંડના પરમાણુઓ, ખાસ કરીને ગ્લુકોઝ અને ફ્રૂક્ટોઝનો સમાવેશ થાય છે.

જો કે, સફેદ ખાંડની વિપરીત, જ્યાં ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝને સુક્રોઝ તરીકે જોડવામાં આવે છે અને પાચન પ્રક્રિયામાં વધારાના પગલાની જરૂર પડે છે, મધમાં, આ બે સાકર અલગ છે. આમ ગ્લુકોઝ ત્વરિત ઉર્જા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ હની બોર્ડ, મધના વપરાશની ભલામણ કરે છે કારણ કે તેમાં ઘણી માત્રમાં વિટામિન અને ખનિજોનો સમાવેશ થાય છે. આમાંની એક યાદી છે:  નિઆસીન, રીબોફ્લેવિન, પેંટોથેનીક એસિડ, કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફૉસ્ફરસ, પોટેશિયમ અને જસત.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top