Site icon Ayurvedam

ભૂખ્યા પેટે આનું સેવન કરો, જડમૂળ થી ગાયબ થઈ જશે બીપી, કોલેસ્ટ્રોલ, હદય, શ્વસન માર્ગની સમસ્યાઓ સહિત 10 થી વધુ બીમારીઓ – અહી ક્લિક કરી જાણો કઈ રીતે કરવો ઉપયોગ

શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે લસણ ખૂબ જ ફાયદાકારક છે. લસણની એક કળી નું સેવન જે વ્યક્તિ કરે છે.  તે અમૃત સમાન સાબિત થાય છે. ખાસ કરીને જો લસણને થોડું શેકી લેવામાં આવે તો તે શરીર માટે અમૃત જેવું કામ કરે છે. જે વ્યક્તિ લસણની છ કળીનું સેવન કરે છે. ત્યારબાદ આ કળી એક કલાક પછી તેના પેટમાં પહોચી જતી હોય છે.

પેટમાં પહોંચ્યા બાદ તેની પૌષ્ટિક અસર ચાલુ થાય છે. આવતા ૨ થી ૪ કલાકમાં આ લસણ માંથી નીકળતા એંટી ઓક્સીડેંટ તત્વો શરીર પોતાની અંદર શોષવા લાગે છે. લસણનું સેવન કર્યા બાદ ફક્ત ચાર કલાકમાં જ મેટાબોલિઝમ ઉપર કામ શરૂ થઈ જતું હોય છે. અને પેટમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે. છ કલાક બાદ ખાધું લસણ પેટમાં પહોંચી ને લોહીમાં રહેલ સંક્રમણને દૂર કરવાનું કાર્ય શરૂ કરી દીધું હોય છે.

લસણના સેવનના ૧૦ કલાક સુધી લસણના પોષ્ટિક લાભ મળવા લાગે છે, અને તે સમય પહેલા જ ઘણી બીમારીઓનો નાશ કરી દે છે. શેકેલું લસણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. ત્યારબાદ તે શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થ અને મળમૂત્ર દ્વારા બહાર ફેંકે છે. આ ઉપરાંત જે હાડકાને મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી શકે છે, તેથી તેના સેવનથી વજન પણ ઘટશે અને મોટાપો ઓછો થઇ જશે.

સવારે કે રાત્રે લસણ શેકીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અને તે ખાવાથી હ્રદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામવાનું ઘણે અંશે ઓછું થઇ જાય છે. તેમજ શેકેલું લસણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાંથી મળી આવતા એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ફંગલ ગુણોને લીધે જ તે શરીરની અંદરની સફાઈ કરીને બીમારીઓથી બચાવે છે.

શેકેલું લસણ શિયાળાના દીવસોમાં ઠંડી, ખાંસી અને જુકામથી બચાવે છે. તેના સેવનથી શરીરને ગરમી મળે છે. શેકેલું લસણ ખાવાથી શરીરમાં લોહીનું સર્ક્યુલેશન પણ સારું રહે છે. શરીર ની અંદર ગજબની શક્તિ આવી જાય, તો સવારે અને સાંજે લસણ અને મધનું મિશ્રણ ખાઈને તેની ઉપર ગરમ દૂધ પીવું જોઈએ. પણ એક્વાતનું ધ્યાન રાખશો કે, દૂધ ખાંડ વાળુ ન હોય.

લસણ કાર્બોહાઈટ્રેડનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેથી તેના સેવનથી શરીરને વધુ પ્રમાણમાં શક્તિ મળે છે. બ્લડ શુગર અને કબજિયાતથી પીડાતા લોકોને તેનું સેવન ફાયદો પહોંચાડી શકે છે. જે લોકોને શારીરિક થાક લાગે છે. તે ફણગાવેલા લસણને શેકીને ખાવું જોઈએ. આ માટે, લસણ જેટલું જૂનું છે, તે શરીર વધુ શક્તિ આપશે.

લસણ કેન્સર જેવા જીવલેણ રોગને મટાડવામાં પણ મદદગાર છે. જો દરરોજ બે શેકેલા લસણની કળીઓ ખાલી પેટ પર ખાવામાં આવે છે, તો પછી કેન્સરગ્રસ્ત બેક્ટેરિયા શરીરમાં ફેલાશે નહીં. આ લોહી ધમનીઓમાં થતા અવરોધને દૂર કરે છે. લસણમાં એન્ટિ બાયોટિક ગુણ હોય છે, તેથી જો ઈજા થાય છે તો શેકેલા લસણને પીસીને તેમાં મધ મિક્સ કરીને ખાઓ. આ ઇજા ઝડપથી દૂર કરે છે.

શેકેલા લસણને પીસીને દાંતમાં રાખવાથી દુખાવામાં રાહત મળે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોવાના કારણે તે મોઢાની દુર્ગંધ પણ દૂર કરે છે. શેકેલા લસણના સેવનથી શારીરિક ક્ષમતાઓ પણ વધે છે. તે પુરુષો માટે પણ ફાયદાકારક છે. જો તેઓ ઝડપથી થાકી જાય છે. અથવા નબળાઇ અનુભવે છે, શેકેલા લસણને દૂધ સાથે ચાવવું અને તેને ખાવું જોઈએ.

જે લોકોને ઝડપથી શરદી થાય છે. તેમણે શેકેલું લસણ ખાવું જોઈએ. તેનાથી શરીર ગરમ રહે છે. અને તાપમાન નિયંત્રણમાં રહે છે. જો કે, ઉનાળાની ઋતુમાં તેનું કાળજીપૂર્વક સેવન કરો, કારણ કે તેની અસર ગરમ છે. કેટલીકવાર પેટમાં એસિડ બનવાનું શરૂ થાય છે, પરંતુ તેનું સેવન કરવાથી તે પેટને એસિડ બનતા રોકે છે. અને એસિડિટી ની સમસ્યા દૂર થાય છે. જે તનાવથી પણ મુક્તિ આપે છે

3D Illustration of Human Respiratory System Lungs Anatomy

શેકેલા લસણના 6 કલાક ખાધા પછી, તે લોહીમાં રહેલા ચેપને દૂર કરવા માટે કામ કરે છે.શ્વસન માર્ગની સમસ્યાઓ  દૂર કરે છે. લસણ શ્વસન પ્રણાલી માટેખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ફેફસામાં અસ્થમા, ન્યુમોનિયા, શરદી, શ્વાસનળીનો સોજો, તીવ્ર શરદી,ભીડ અને કફ વગેરે અટકાવવામાં અને તેનાથી બચાવવામાં મદદ મળે છે

જો ઓછી ભૂખ લાગે છે. તો લસણનું સેવન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે પાચક શક્તિને સુધારે છે, જે  ભૂખ પણ વધારે છે. લસણ ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે. તે શરીરમાં ઈન્સ્યૂલિયનનું પ્રમાણ વધારે છે. આથી તે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે અને બ્લડ શુગરને નિયમિત બનાવે છે. લીવરની આસપાસ જામી ગયેલી ચરબી દૂર કરે છે.

હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે. શેકેલું લસણ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. લસણમાં એલિસીન તત્વ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ સલ્ફર પણ હોય છે. લસણને વાટીને સ્કેલ્પમાં લગાવવાથી પણ હેર ફોલ ઘટી જાય છે. લસણની 5 કળીને થોડાક પાણીમાં નાખીને પીસી લેવી અને તેમાં 10 ગ્રામ મધ મિક્ષ કરીને સવાર-સાંજ તેનું સેવન કરવું. આ ઉપાય કરવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે.

Exit mobile version