અઠવાડિયામાં એકવાર કરી લ્યો આ શક્તિશાળી ફળનું સેવન, જીવો ત્યાં સુધી લોહી જાડું થઇ ગંઠાશે નહિ, 100 થી વધુ રોગોને રાખશે કાયમી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કિવી એક એવું ફળ છે જેના વિશે લોકો પહેલા વધારે જાણતા ન હતા. પરંતુ હવે તે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. કીવી મુખ્યત્વે ચીનમાં થાય છે. તે ચીનનું રાષ્ટ્રીય ફળ છે. કેટલાક અન્ય દેશોમાં પણ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે, પરંતુ આજે પણ ચીન વિશ્વભરમાં સૌથી વધુ 56 ટકા કિવીનું ઉત્પાદન કરે છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં તેની ખેતી શરૂ થઈ ગઈ છે, પરંતુ મુખ્યત્વે તે હજી પણ અન્ય દેશોમાંથી આવે છે. તો અન્ય ફળોની સરખામણીએ તે ખર્ચાળ છે, પરંતુ તે સ્વાસ્થ્યનો ખજાનો છે. તેના વિશે કહેવામાં આવે છે કે શરીરમાં જે પણ ઉણપ છે, તે તેને પૂર્ણ કરે છે.

કીવીમાં વિટામિન સી, ફાઇબર, વિટામિન ઇ, પોટેશિયમ, સોડિયમ, કોપર અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. કિવી ફળ માત્ર પર્વતો પર જ ઉગાડી શકાય છે, તેથી ઠંડા દેશોમાં તેની ઉપજ વધુ હોય છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર લાગે છે. 

કીવી ખાવાથી થતા ફાયદા:

કિવીનું સેવન કરવાથી લોહી ગંઠાઈ જવાની શક્યતા ઘટી જાય છે અને ટ્રાઇગ્લિસરાઇડ્સમાં પણ 15 ટકાનો ઘટાડો થાય છે કારણ કે તેનાથી એન્ટિ-દૂષક લાભ થાય છે. જે લોકોને લોહી જાડું થતું હોય અને ગંઠાઈ જતું હોય તેમને નિયમિન સવારે એક કીવીનું સેવન કરવું જોઈએ જેનાથી દવા વગર લોહીને પાતળું કરી થોડા સમયમાં હૃદયરોગ જેવા ગંભીર રોગથી બચી શકાય છે. 

કિવી હાર્મોન્સમાં થતા ફેરફારને પણ દૂર કરે છે. રોજ કીવી ખાવાથી હોર્મોન્સનું સંતુલન બગડતું નથી અને ઘણા પ્રકારના હોર્મોનલ રોગોથી બચી શકાય છે. કિવિ એ વિટામિન સીનો સમૃદ્ધ સ્રોત છે જે મુક્ત રેડિકલ્સનો નાશ કરી ફાયદો કરે છે, જે  કોષોને નુકસાન પહોંચાડે છે અને ત્વચાના કેન્સરનું કારણ બની શકે છે. તે પેટના કેન્સરને પણ અટકાવે છે. આ ફળના પલ્પમાં દ્રાવ્ય તંતુઓ હોય છે જે કોલોનમાં સારા બેક્ટેરિયાના વિકાસ માટે ખુબ ફાયદાકારક છે જે પેટના કેન્સરને ઘટાડે છે.

ખરતા વાળ, ખોડો જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો નાસ્તામાં કિવી જરૂર ખાવ. કીવી ખાવાથી વિટામિન સી અને વિટામિન ઇ મળે છે. જેના કારણે વાળમાં ભેજ આવે છે અને વાળ મજબૂત બને છે. સાથે જ કીવી ખાવાથી વાળના રંગ પણ સુધારે છે.

ગર્ભાવસ્થા દરમિયાન કીવીના સેવનથી ગર્ભવતી મહિલા અને ગર્ભને પણ ફાયદો થાય છે. તે કસુવાવડના જોખમને ઘટાડે છે. તે બાળકમાં મગજ અને કરોડરજ્જુના રોગનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. કિવીમાં એટલા બધા પ્રકારના પોષક તત્વો હોય છે કે તેઓ દરરોજ તેનું સેવન કરવાથી થાક લાગતો નથી અને નબળાઈ આવતી નથી કિવીનું સેવન કરીને હંમેશા તાજગી અનુભવશો.

કીવીમાં એટલા બધા વિટામિન્સ, પ્રોટીન અને મિનરલ્સ હોય છે જેનું નિયમિત સેવન કરવામાં આવે તો તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડે છે અને ત્વચાને પણ યુવાન રાખે છે. વરસાદની ઋતુમાં ચેપનું જોખમ વધી જાય છે. તેનાથી બચવા માટે કિવીને દરરોજ ભોજનમાં સામેલ કરવું જોઈએ . કીવીમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન સી અને ઘણા આવશ્યક પોષક તત્વો હોય છે, જે શરીરને મોસમી ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top