શું તમે પણ વાપરી રહ્યા છો સેનિટાયજર ? તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કેટલાક લોકો ની ટેવ હોય છે કે વારે ઘડીએ હેન્ડ સેનીટાઇઝર વાપરવાથી હાથ હમેશા ચોખ્ખા રહે છે.ભોજન પહેલા કે ટોયલેટ કર્યા પછી ઘણા લોકો પોતાના હાથ સેનીટાઇઝર થી ધોવે છે.  તેઓ માને છે કે હેન્ડ વોશ અને સફાઈ માટે આ શ્રેષ્ટ વિકલ્પ છે. પણ આવું નથી, તાજેતરના સંશોધનોથી જાહેર કરાયું છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે સેનેટાઈઝર ખૂબ જ નુકસાનકારક છે.

મોટાભાગના લોકો માને છે કે સેનીટાઇઝર ના એક ડ્રોપ થી બધા જીવ જંતુઓ મરી જાય છે અને હાથ સ્વચ્છ થઇ જાય છે. પણ આવું નથી સેનીટાઇઝર માં ૬૦ % જેટલું આલ્કોહોલ હોય છે જે બધા જીવ જંતુ કીટાણુંઓ ને ખત્મ નથી કરી શકતા. આવામાં હાથને સાબુ થી ધોવુ એક સારો વિકલ્પ બને છે.

આપણે બધા જાણીએ છીએ કે શરીરમાં સારા અને ખરાબ બન્ને ટાઇપ ના બેક્ટીરિયા હોય છે .જે આપણને તંદુરસ્ત રાખે છે પરંતુ સેનીટાઇઝર બન્ને સારા અને ખરાબ બેક્ટેરિયાને મારી નાખે છે. આ શરીરની રોગ પ્રતિરક્ષા ઘટાડે છે. અને શરીર ની ચામડી ને નુકસાન પણ કરે છે.

આલ્કોહોલ ની સાથે-સાથે સેનીટાઇઝર માં ટ્રાઈક્લોસન નામનું કેમિકલ પણ વધારે માત્રા માં હોય છે. ટ્રાઈક્લોસન એક પાવરફુલ એન્ટીબેક્ટીરીયલ એજન્ટ છે. દરરોજ સેનીટાઇઝર વાપરવાથી તમને ખાંસી, શરર્દી જેવી અન્ય બીમારિયો થવાની સંભાવના વધુ થઇ જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે સેનીટાઇઝર ના ઉપયોગથી ફર્ટીલીટી પર પણ નુકસાન થાય છે. કારણકે, સેનીટાઇઝર માં ફોલેટસ જેવા કેમિકલ નો પણ મોટા પ્રમાણ વપરાશ થાય છે જે હેલ્થ માટે ખૂબ નુક્સાનકારક હોય છે. રેગ્યુલર સેનીટાઇઝર વાપરવાથી તમારી સ્કીન ડ્રાય જલ્દી થઇ જાય છે. અને ભવિષ્યમાં તમને સ્કીન સંબંધિતના રોગો થવાની સંભાવના વધી જાય છે.

યૂનિવર્સિટી ઓફ મેલબર્નના રિસર્ચ પ્રમાણે માનવમાં આવ્યું છે કે, હેન્ડ સેનેટાઈઝર એ બીમારીઓને  નોતરે છે સાથે જ તમારા ફેમિલી પ્લાનિંગના સપનાને પણ ચકનાચૂર કરી શકે છે. એટલે જ યોગ્ય રહેશે કે જો તમે સેનેટાઈઝરથી હાથ સાફ કરવાના બદલે સાબુથી હાથ ધોવો. સેનેટાઈઝર ખરાબ  બેક્ટેરિયાની સાથે સારા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.

હેન્ડ સેનેટાઈઝરનો વધુ પડતો ઉપયોગ કરવાથી તે એન્ટીબાયોટિક્સની અસર ઘટાડી દે છે. એટલે કે ટ્રાઈક્લોસન તમને ખાંસી કે શરદી જેવી સામાન્ય બીમારીઓની વધુ નજીક લઈ જાય છે, જેથી તમને વારંવાર શરદી-ખાંસી થઈ શકે છે. તો આલ્કોહોલ બેઝ્ડ સેનેટાઈઝર સિંપલ બેક્ટેરિયાને સુપરબગમાં બદલી નાખે છે.

હેન્ડ સેનેટાઈઝરમાં ફાલેટ્સ હોય છે જે સૂંઘવાથી નુકસાન થાય છે. હેંડ સેનેટાઈઝરનો લાંબો સમય સુધી ઉપયોગ કરવાના કારણે સ્કિન ડ્રાય અને રફ થઈ જાય છે. એટલું જ નહીં આના કારણે સ્કીન ડિસિઝ થવાની શક્યતા પણ રહે છે.

બિસફેનોલ એક પ્રકારનું રસાયણ છે, જે કેન્સરનું કારણ બની શકે છે. રિસર્ચ પ્રમાણે હેન્ડ સેનેટાઈઝરના ઉપયોગ પછી તરત જ બિસફેનોલ એ યુક્ત કોઈપણ વસ્તુને હાથ લગાવવાથી તે શરીરમાં પ્રવેશે તેવી પૂરી સંભાવના હોય છે.

સેનિટાઈઝર બનાવતી કંપનીઓએ કોરોના વાયરસની મહામારીનો ભરપૂર ફાયદો ઉઠાવી ભાવ વધારો કરી ને રોકડી કરવાનું ચાલુ કરી દીધુ છે તેવામાં બેંગ્લુરૂના સંશોધકોની એક ટીમે એક રીસર્ચ પછી એવો અહેવાલ બાર પડ્યો છે કે સેનિટાઈઝર નો વધુ પડતો ઉપયોગ કરવાથી આંખ ને ખુબજ નુકસાન થાય છે. આંખમાં થતો દુખાવો અને જોવામાં પડતી મુશ્કેલી ના આધાર પરથી બેંગ્લુરૂના સંશોધકો રીસર્ચ ટીમે અહેવાલ બહાર પડ્યો કે આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝર ને કારણે આંખ પર જોખમ ઊભું થયું છે.

આલ્કોહોલ મિશ્રિત સેનિટાઈઝરનો વધુ ઉપયોગ કરવાથી તેમાંથી એરોસોલ પેદા થાય  છે અને આ એરોસોલ આંખની ચામડીનાં સૌથી ઉપરના સ્તરને નુકસાન કરે છે અને તેનાથી એક થી વધારે આડઅસરો  આંખને થાય છે.

એક મહિલાએ જણાવ્યું હતું કે તે દર કલાકે હાથ ધોવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરતી હતી. પછી રિસેર્ચ ટીમે સેનિટાઈઝર અને આંખ વચ્ચે શુ લિંક છે તેની તાપસ હાથ ધરી રિસેર્ચ ટીમ ને દરરોજ ના આઠ એવા કેસ જોવા મળતા જેમાં દર્દીની આંખ લાલ થઇ ગઈ હોય અને પછી આ આંકડો બસો ની સંખ્યા સુધી પહોંચી ગયો હતો  અને આ તમામ કેસ લોકડાઉં બાદ ના હતા. કોઈ પણ પ્રકાર નું સેનિટાઈઝર હોય તેમાં આલ્કોહોલ મુખ્ય ભાગ હોય  છે. આલ્કોહોલ ચામડી માં રહેલા ભેજ ને શોષી લે છે. અને તેનાથી ચામડી સુકાઈ જય છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top