માત્ર 1 દિવસમાં સાથળ અને પ્રાઇવેટ પાર્ટ માં આવતી ખંજવાળ, ખરજવું અને ધાધરમાંથી મળી જશે છુટકારો, અપનાવો માત્ર આ આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

માણસ ના શરીર માં ઘણાબધા રોગો જોવા મળે છે પણ બધા રોગો સમાન નથી હોતા અમુક રોગ બહુકષ્ઠ દાયકા હોય છે જેમ કે બન્ને પગ વચ્ચે એટલે કે સાથળની આજુ બાજુ લોકોને ખંજવાળતા સૌએ જોયું હશે. મોટાભાગે આ બીમારી ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ વળવાથી અને ચોંટવાથી જાંઘો વચ્ચે ખંજવાળ થવા લાગે છે. જાંઘની અંદર હોવાથી તે જલ્દી મટતી પણ નથી.

મહિલા અને પુરુષો બંને માં આ સમસ્યા જોવા મળે છે. સાથળ વચ્ચે આ બિમારી થવાના કારણે લોકો તેનું ખાસ ધ્યાન રાખતા નથી. જેથી આ સમસ્યામાં વધારો થાય છે.  પહેલાના જમાનામાં કોઈ દવાઓ ન હતી ત્યારે તે લોકો કોઈ પણ સમસ્યા માટે આયુર્વેદિક ઉપચાર જ અપનાવતા હતા.

ખંજવાળ થાય ત્યારે શરૂઆત માં સાવધાની તરીકે સફાઈ નું પૂરું ધ્યાન રાખવું જોઈએ. ખંજવાળ જયારે પણ ઉભી થાય, ત્યારે  તમે ચોખ્ખા અને મુલાયમ કપડાથી તે જગ્યા ને ઠંડા  કે ગરમ પાણી થી ધોઈ લો કોઈને ઠંડા પાણી થી તો કોઈને ગરમ પાણીથી આરામ મળે છે, તે માટે તમારા માટે પાણીનો ઉપયોગ સારો રહશે , સાબુનો ઉપયોગ  જેટલો ઓછો કરી શકો તેટલો ઓછો કરવો જોઈએ.

દરરોજ ની ખંજવાળ ને દૂર કરવા માટે તમારે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો. ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે.

દહીં ખાવામાં ખાટું હોય છે પરંતુ તેમા ઘણા ગુણ રહેલા છે. દહીમાં ખંજવાળ દૂર કરવાના ગુણ પણ રહેલા છે. તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે. ફુદીનાની ચા ત્વચાના કોઇપણ ભાગ પર થનારા દાદર માટે ખૂબ લાભકારી છે. તે ત્વચામાં થનારી જલન ને ઓછી કરે છે. જેના માટે ફુદીનાની ટી બેગને પાણીમાં પલાળીને પ્રભાવિત જગ્યા પર ઉપયોગ કરવો જોઇએ.

આંબળા નો ઉપયોગ વાળ માટે કરતાં હોઈએ છીએ પણ તેને ખાવાથી ઘણી બીમારીઓ માં સારું થઇ જાય છે. ખંજવાળ દુર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારીયેલનું તેલ ભેળવીને ખંજવાળ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળ મટી જશે.

કેળા ખાવામાં ખૂબ ગુણકારી હોય છે. પરંતુ તેના અન્ય ઘણા લાભ છે. કેળાને લીંબુ ના  રસમાં મિક્સ કરીને ખંજવાળ આવતી જગ્યા પર લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. પ્રાકૃતિક એલોવેરાની જેલ લગાવવાથી અથવા તેનું જ્યૂસ બનાવીને રોજ સવારે પીવાથી ખંજવાળ મૂળથી ખતમ થઈ જાય છે.

નારિયેલ તેલ જેટલું ખાવામાં ગુણકારી છે એટલું જ શરીરમાં લગાવવામાં પણ લાભકારી છે. નારિયેલના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને હળવા હાથે માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. તમારા સાથળ સતત ભીના રહેતાં હોય તે પછી પાણી હોય કે પછી પરસેવો હોય તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જે કોઈ જીવાણુંના કારણે પણ થઈ શકે છે. તેના માટે સૌથી પહેલો ઉપાય તો તમારે સુંવાળા ખુલતા વસ્ત્રો પહેરવા જોઈએ.

પીપળાની છાલ ખંજવાળ માટે રામબાણ ઈલાજ છે. આ માટે પીપળાની છાલને દેશી ઘીમાં મિક્ષ કરીને ખંજવાળ વાળી જગ્યા પર લગાવો. આ સિવાય સવાર-સાંજ પીપળાની છાલનો ઉકાળો પણ પી શકો છો જેનાથી તમારૂ સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.

કપૂરનો ઉપયોગ તમે બધાએ પૂજા ઘરમાં તો કર્યો જ હશે પણ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે કપૂરનો ઉપયોગ તમારી સ્કિન પ્રોબ્લેમ્સ ખાસ કરીને ખંજવાળ માટે રામબાણ ઘરેલુ નુસખો છે. કપૂરને ચમેલીના તેલમાં મિક્ષ કરીને શરીર પર માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થશે.

ખંજવાળ વાળી જગ્યા ઉપર ચંદનનું તેલ લગાવવાથી ખુબ ફાયદો થાય છે. દશાંગ લેપ જે આયુર્વેદ ની 10 જ્ડ્ડી બુટ્ટી થી તૈયાર કરવામાં આવે છે તે ખંજવાળ મા ઘણે અંશે ફાયદો અપાવે છે. લીંબડાનું તેલ, કે લીંબડાના પાંદડાની લુગદી થી પણ ખંજવાળ થી છુટકારો મળે છે.

૨ ચમચી નારીયેળનું તેલ લેવું, ત્યારબાદ આ તેલમાં કપૂરની ટીકડીઓને ફોડીને નાખવી અને આ બન્નેને સારી રીતે મિક્સ કરી લેવું. હવે આ કપૂર સાથે મિક્ષ કરેલા તેલને એક લીંબુના ટુકડાથી ખંજવાળ વાળી જગ્યા ઉપર તમારે લગાવવા થી ખંજવાળ દૂર થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top