શરીરની ધ્રુજારી, દાંત, કમરના દુખાવા જેવા અનેક રોગનો સૌથી અસરકારક ઉપચાર છે આ ઔષધિના મૂળ નો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રાસ્ના એક છોડની જડ છે. તે સ્વાદે તમતમતી હોય છે. તેની દાંડી ફણગાવાળી હોય છે. પાન પહોળા તથા લાંબા હોય છે. એની પેદાશ ખાસ કરીને પહાડી જગ્યા કે પથ્થરવાળી જમીનમાં થાય છે. તેના જડ ગરમીની મોસમમાં કાઢવામાં આવે છે. એના પંચાંગનો ઉપયોગ દવામાં કરાય છે. એની જડનો ઉપરનો ભાગ ઘણો મજબૂત હોય છે.

જે રાસ્ના લીલાશ પડતી, તાજી હોય તેવી રાસ્ના સારી ગણાય છે. એની જડ ઝૂડી રૂપે વેચાય છે. તે લગભગ છ સાત ઇંચ લાંબી હોય છે. તેના ઉપર રૂંવાટી હોય છે. સ્વાદમાં કડવી તથા વાસમાં જટામાંસીને મળતી આવે છે. રાસ્ના ગુણમાં પાચન, કડવી તથા ઉત્તેજક છે. કફ, ખાંસી, શ્વાસ, તાવ, સોજા તથા ચામડીના રોગ મટાડવાનો એમાં ગુણ છે. આમાશય, મૂત્રપિંડ તથા ગર્ભાશય ઉપર તેની ઉત્તેજક અસર થાય છે.

રાસ્નાનો ઉપયોગ એકલો નહીં પણ અન્ય દવાઓ સાથે કવાથના રૂપમાં કરવામાં આવે છે. તેમાં પાચનશક્તિને, વીર્યબળને તથા મૂત્રાશયને કૌવત આપવાનો ગુણ રહેલો છે. એનાથી ઘેલછાપણું, ભય, ગમ વગેરે દૂર થાય છે. યકૃતની વ્યાધિમાં પણ એ ગુણકારી છે. એનાથી આફરો મટે છે. સાંધાનાં દર્દ  માટે, કમરનાં દર્દ માટે તે ઉપયોગી છે.

રાસ્નાની ધુમાડો દાંતને આપવાથી દાંતના કીડા ખરી જાય છે. એના ઉકાળાનો લેપ કરવાથી આધાશીશી, અપસ્માર આ તમામ જાતના દુખાવામાં લાભ થાય છે. મહારાસ્નાદી કવાથને યોગરાજ ગૂગળ સાથે પીવાથી ધ્રૂજારી તથા કંપવાયુ મટે છે. એનાથી વાયુના તમામ પ્રકારના રોગો મટે છે. રાસ્ના પંચક વાના રોગ ઉપર ઉત્તમ ગુણ ધરાવે છે. સંધિવામાં પણ તે સારી અસર બતાવે છે. રાસ્ના, સુંઠ અને પીપરને ગરમ પાણીસાથે પાવાથી શ્વાસ, કાસ તથા જ્વર મટાડવા ઉપયોગી નીવડે છે. વધરાવળમાં પણ તેની સારી અસર થાય છે.

રાસ્ના, ગોખરું, દેવદાર, એરંડમૂળ, પુનર્નવા, ગળી અને ગરમાળો એ સાતેયના ચૂર્ણને સૂંઠના ચૂર્ણ સાથે મેળવીને પાણી સાથે પીવાથી પગની પાની, કમર, પાંસળી, તથા જાંઘનો તમામ શૂળનો નાશ થાય છે. રાસ્નાનો કવાથ બનાવીને પીવાથી વાયુ માં આરામ મળે છે. રાસ્નાને ગૂગળ સમભાગે લઈ ગોળી બનાવવી. આ ગોળીના સેવનથી વાતરોગ મટે છે.

રાસ્ના, ધમાસો, દરેક ૧૦-૧૦ ગ્રામ એરંડમૂળ, ગોયોદેવદાર, કચૂરો, લીલી અરડૂસી, સૂંઠ, હરડે, ચવક, મોથ, પુનર્નવા, લીલી ગળો, ગોખરું, અશ્વગંધા, હળદર, ધાણા, ભોરીંગણી. દરેક પાંચ પાંચ ગ્રામ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું. તેના ચાર પડીકા બનાવી રોજ એક પડીકાનો કવાથ બનાવી પીવો. આનાથી વાયુના તથા શૂળનાં દર્દો મટે છે. રાસ્ના જ્ઞાનતંતુઓની વિકૃતિથી થયેલા અર્ધગવાયુમાં ઘણું સારું કામ કરનારી દવા છે. તે આમવાત માટે પણ ઉપયોગી છે.

લોહીમાં રહેલા અસ્લરસ ને તે દૂર કરે છે. તેમાં મૂત્રલ, શોધક તથા સારક દવાઓ નાખવી જેથી વાયુના બધાં દર્દ મટે છે. 50 ગ્રામ રસના, 50 ગ્રામ દેવદાર, 50 ગ્રામ એરંડાની મૂળના 12 પડીકાં બનાવો. એક પડીકું  દરરોજ રાત્રે 200 મિલી પાણીમાં પલાળો. તેને સવારે ઉકાળો, જ્યારે પાણી થોડું બાકી રહે છે, ત્યારબાદ નવશેકું પીવાથી વાયુના વિકારો (ગેસના રોગો) દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top