સીજેરિયન વગર પ્રસૂતી દરમિયાન  સ્ત્રીને થતાં દરેક રોગો અને સમસ્યાને દૂર કરવા જરૂર અપનાવો આ ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્ત્રીઓનો હિસ્ટીરિયા મટે છે. લસણને પીસીને સૂંઘવાથી હિસ્ટીરિયાની મૂર્છા મટે છે. પાકાં કેળાં, આમળાના રસ માં સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને  જીરા અને સાકરનું ચૂર્ણ પાવલીભાર પીવાથી અને બહુમૂત્રરોગ મટે છે.

કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી. માસિક સમયે વધારે રકતસ્ત્રાવ થતો હોય અને ચકકર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે. સુવાવડમાં તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડઘી ચમચી, સૂંઠ અડઘી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.

લવિંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી મટે છે. ધાણાનું ચૂર્ણ અડધો તોલો અને સાકર એક તોલો ચોખાના પાણીમાં નાખી પીવાથી પણ ઊલટી મટે છે. નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે. સુવાવડી સ્ત્રીને કયારેક ધાવણનો વેગ ચઢી જતાં, કોઈવાર સ્તનનો સોજો આવે છે. અને વેદના થાય છે. તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છૂટું પડી જાય છે અને સોજો ઊતરી જાય છે ને પીડા મટે છે.

ઘઉ ની સેવને પાણીમાં બાફી તે પાણી કપડાથી ગાળી લઈને ૨૦૦ ગ્રામ, પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્ખું ઘી નાખી પ્રસવ થનાર પ્રસૂતી સરળતાથી અને જલદી થાય છે. સ્ત્રીને આ મિશ્રણ પાવાથી પ્રસૂતી સરળતાથી અને જલ્દી થાય છે. તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્ત્રીઓનો રકતસ્ત્રાવ બંધ થાય છે.

સ્ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા. એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું. પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે. દરરોજ ગાજરનો ૧૦૦ ગ્રામ રસ પીવાથી સ્ત્રીઓને લોહીવા (૨કતપ્રદર)માં તરત જ ફાયદો થાય છે અને કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી સ્ત્રીઓના ગર્ભાશયની પૂરેપૂરી શુદ્ધિ થાય છે.

જીરાની ફાકી મારવાથી સ્ત્રીનું ધાવણ વધે છે. ઘી માં શેકેલી હિંગ ખાવાથી સુવાવડી સ્ત્રીને આવતાં ચકકરને શૂળ મટે છે. સુવાવડ માં સ્ત્રીઓએ સુવાદાણા નો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુઃખતી નથી અને ખાધેલું પાચન થાય છે. તાંદળજાના મુળ વાટીને ચોખાના ઓસામણમાં ભેળવીને પીવાથી સુવાવડી અને સગર્ભાનો રકતસ્ત્રાવ મટે છે.

મહિલાઓ માટે પણ મેથી ખૂબ ફાયદાકારક છે કસુરી મેથીમાં જોવા મળતા એક પ્રકારનું કમ્પાઉન્ડ સ્તનપાન કરાવતી મહિલાઓના દૂધનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. મેથી મેનોપોઝમાં મહિલાઓને પડતી સૌથી મોટી સમસ્યા દૂર કરે છે કસુરી મેથીમાં ફાયટોસ્ટ્રોજન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે જે મેનોપોઝ દરમિયાન થતા હોર્મોનલ ફેરફારોને નિયંત્રિત કરે છે.

વધતી ઉંમર ની સાથે મહિલાઓ ના શરીર ના હોર્મોન માં બદલાવ આવવા લાગે છે અને હોર્મોન માં બદલાવ આવવાથી ઘણી વખત વજન એકદમ વધી જાય છે જો તમારા પણ હોર્મોન સંતુલિત નથી તો કસૂરી મેથી નું સેવન કરવાનું શરૂ કરી દો.  કસૂરી મેથી ને ખાવાથી હોર્મોન એકદમ બરાબર થઇ જાય છે.

સુવાવડી સ્ત્રીને ભૂખ ન લાગતી હોય તો અડધો ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે. તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે. છે અંધી ચમચી સુંઠનું ચૂર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોષો મટે છે અને ગર્ભાશય મજબૂત બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top