Site icon Ayurvedam

કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા અને ગેસમાંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ માત્ર 20 દાણાનું સેવન..

ઘણીવાર આપણામાંથી ઘણા રાત્રે બદામ પલાળીને સવારે ખાય છે, કારણ કે બદામના એક કરતા વધારે ફાયદાઓ છે જે શરીરને  સ્વસ્થ રાખે છે. પરંતુ શું તમે ક્યારેય બદામને બદલે મગફળીનો પ્રયત્ન કર્યો છે? જો રાત્રે પલાળીને મગફળીનું સેવન સવારે કરવામાં આવે તો ઘણા સારા સ્વાસ્થ્ય લાભ જોઈ શકાય છે.

લોકો સામાન્ય રીતે શિયાળામાં મગફળીનું વધુ સેવન કરે છે. પરંતુ દરરોજ પલાળીને મગફળીના થોડા દાણા ખાવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ માંથી રાહત મળે છે. તેને પલાળીને ખાવાથી  તેમા રહેલા પોષક તત્ત્વો અને આયર્ન લોહીનું પરિભ્રમણ સરખું રાખે છે અને હૃદયના અનેક રોગોથી બચાવે છે. પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, આયર્ન અને સેલેનિયમ જેવા ગુણધર્મોથી ભરપૂર મગફળીને પલાળીને રાખવું એ એનું મૂલ્ય વધારે વધારે છે.

ચાલો આપણે જાણીએ કે રોજ પલાળીને મગફળી ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે. રાતના એક મુઠી સીંગદાણાને પલાળી દો, બીજા દિવસે તેને કાચા અથવા તો બાફીને ગોળ સાથે સેવન કરો. ગોળ અને સીંગદાણા ખાવાથી જબરદસ્ત ફાયદો થાય છે. તમારા શરીરમાં લોહીની ઉણપને પુરી કરી, ઇમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે-સાથે ઘણી બીમારીઓને પણ હરાવી શકાય છે.

પલાળીને મગફળીનું દૈનિક સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. આની મદદથી ડાયાબિટીસ જેવા રોગોથી સુરક્ષિત થઈ શકો છો.  જો ડાયાબિટીસ સમસ્યા છે, તો પછી દરરોજ સવારે પાણીમાં પલાળીને પચાસ ગ્રામ મગફળી ખાવી. ફાઈબરથી સમૃદ્ધ મગફળીને પલાળીને અને તેનું સેવન કરવાથી પાચનતંત્ર બરાબર છે. શિયાળામાં, તેનું સેવન શરીરને અંદરથી ગરમી અને શક્તિ આપે છે.

પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ પર ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે. બાળકોને સવારે પલાળીને મગફળીના કેટલાક દાણા ખવડાવવાથી તેમાં હાજર વિટામિન આંખોની રોશની અને યાદશક્તિને વધારે છે.

મગફળી ખાવાથી શરીરમાં લોહીની ખોટ પણ પૂર્ણ થાય છે. આ સિવાય તે શારીરિક ઉર્જા અને સ્ફૂર્તિ પણ જાળવે છે. મગફળીને ઘણી વાર આ ગુણોના કારણે ગરીબોની બદામ કહેવામાં આવે છે. મગફળીમાં હાજર તૈલીય ભાગ ભીની ઉધરસ અને ભૂખ ઓછી થવાની સમસ્યાથી રાહત આપે છે.

દરરોજ ઓછામાં ઓછા પલાળેલી મગફળીના 20 દાણા ખાવાથી સ્ત્રીઓ કેન્સરથી દૂર રહે છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટો, આયર્ન, નિયાસિન, ફોલેટ, કેલ્શિયમ અને ઝિંક શરીરને કેન્સરના કોષો સામે લડવામાં મદદ કરે છે. મગફળીની વિશેષ ગુણવત્તા એ છે કે તે શરીર પર ખુબ જ સારી રીતે કાર્ય કરે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

મગફળીમાં માં મોનો-અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને ખાસ કરીને ઓલિક એસિડ હોય છે, જે હૃદય સંબંધિત રોગોથી રાહત આપે છે. મગફળીમાં પર્યાપ્ત માત્રામાં રેસા હોવાને કારણે તે પાચક શક્તિમાં વધારો કરે છે. તેના નિયમિત સેવનથી કબજિયાત દૂર થાય છે અને તે જ સમયે,ગેસ અને એસિડિટીની સમસ્યાથી પણ રાહત મળે છે.

પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ રહેતાં હોય છે, જે ચામડીને સારી રાખે છે. ચામડીનો રંગ ચોખ્ખો રાખે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશન ને રોકે છે, સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. પલાળેલી મગફળીના દાણામાં વિટામીન બી6 રહેલું છે, ખોરાકમાં નિયમિત લેવાથી મગજની તાકાત પણ વધે છે.

કોઈ પણ વ્યક્તિને સાંધાનો દુખાવો થતો હોય તો એમણે પલાળેલી મગફળી જરૂર ખાવી જોઈએ, જે સાંધામાં થતાં દુખાવો દુર કરે છે. જો જીમમાં જતા હોય તો સવારે પલાળેલી મગફળી ખાવી જોઈએ. કારણ કે જિમ ગયા પછી શરીરને પ્રોટીન અને  કેલ્શિયમની જરૂર હોય છે. તે સ્નાયુઓને ટોન કરે છે. તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ્સ હોય છે. તે ત્વચાના કોષો માટે ખૂબ ફાયદાકારક છે.

દરેક વ્યક્તિ પોતાની ત્વચાને ચમકદાર બનાવી રાખવા માટે વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પલાળેલી મગફળીનું સેવન કરવાથી ત્વચાને ઘણા પ્રકારે લાભ મળે છે. મગફળીમાં એન્ટિ ઓક્સિડન્ટ ની માત્રા મળી આવે છે જેના કારણે રાત્રે પલાળીને સવારે સેવન કરવાથી ત્વચામાં તાજગી જળવાઈ રહે છે.

Exit mobile version