તાવ અને દુખાવા માટે તને પણ પેઇનકિલર લઇ રહ્યા છો તો આ લેખ એકવાર જરૂર વાંચો, થઇ શકે છે ગંભીર રોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણીવાર લોકો માથાનો દુખાવો, તાવ, શરીરનો દુખાવો, ઉલ્ટીમાં પેરાસિટામોલનો ઉપયોગ કરે છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે આ દવાનો ઉપયોગ ક્યારે કેટલી માત્રામાં કરવો. જો શરીરમાં એવા લક્ષણો જોવા મળે છે જે કોઈ મોટી બીમારીનો સંકેત નથી અથવા કોઈ પણ પ્રકારનો નાનો દુખાવો થાય છે, તો તેને દબાવવા માટે લોકો ઘણી વાર પેઇનકિલર્સ ખાતા હોય છે . પરંતુ શું તમે જાણો છો કે તેમના કેટલા ગેરફાયદા છે? પેરાસિટામોલમાં સ્ટેરોઇડ્સ હોય છે, તેથી તેની અયોગ્ય માત્રા તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. જાણો પેરાસિટામોલ ખાવાથી શું છે ગેરફાયદા.

પેરાસીટામોલ ખાવાના ગેરફાયદા:

પેરાસિટામોલથી અલ્સર થવાનું જોખમ – ઘણીવાર લોકો સામાન્ય રીતે જ્યારે તાવ આવે છે ત્યારે પેરાસિટામોલ દવાનો ઉપયોગ કરે છે. પરંતુ જો ડોક્ટરને પૂછ્યા વગર અને પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો એસિડિટી અને પેટના અલ્સરનો ખતરો રહે છે. જો સ્થિતિ ગંભીર હોય તો લોહીની ઉલટી પણ થઈ શકે છે.

પેરાસિટામોલનો ઓવરડોઝ ક્યારેક સાઇડ ઇફેક્ટ્સ પેદા કરી શકે છે. તેનાથી એલર્જી, ત્વચા પર ફોલ્લીઓ, લોહીની વિકૃતિઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય પેરાસિટામોલના દુરુપયોગને કારણે લીવર અને કિડની ડેમેજ થવાનો ખતરો રહે છે. પેરાસિટામોલનો ઓવરડોઝ ઝાડા, વધુ પડતો પરસેવો થવો, ભૂખ ન લાગવી, બેચેની, ઊલટી, પેટમાં દુખાવો, સોજો, દુખાવો, પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

ઘણીવાર એક પેનકિલરથી દુખાવો ન જતો હોય તો લોકો થોડા સમય પછી બીજી પેનકીલર લઈ લે છે, જે શરીરને અંદર હાર્મ કરે છે. એક સંશોધન મુજબ એક કરતાં વધુ પેનકિલરના સાઈડ ઈફેક્ટના ખતરા વધારે હોય  છે. કોઈ પણ પેનલિકરની અસર થવામાં ઓછામાં ઓછા 30 મિનિટ લાગે છે. તેથી ધૈર્યહીન થઈને પેનકિલરની ઓવરડોજ લેવાથી તમને બ્લીડિંગ, કિડની ફેલિયર, હાર્ટ અટેક, બ્લ્ડ ક્લોટિંગ જેવા રોગોનો જોખમ તમે હોઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top