Site icon Ayurvedam

મળી ગયો 100% અસરકારક અશક્તિ, નબળાઈ, કમજોરી અને હાડકાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

અંજીર એ ફળનો એક પ્રકાર છે. જે ઘણી પ્રકારની દવાઓ બનાવવામાં પણ વપરાય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. અંજીર એ વિશ્વના સૌથી પ્રાચીન ફળોમાંનું એક માનવામાં આવે છે અને તેમાં કેલ્શિયમ અને વિટામિન એ અને બી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો તમે અંજીરને પલાળીને પણ ખાઈ શકો છો અને જો તમે ઇચ્છો તો દૂધ ઉમેરીને તેનું સેવન પણ કરી શકો છો. તો ચાલો આજે આપણે જાણીશું પલાળેલા અંજીરથી થતાં ફાયદાઓ વિશે.

અંજીરનાં 5 થી 6 ટુકડા 250 મિલી પાણીમાં ઉકાળો. પછી પાણીને ગાળીને પીવાથી કબજિયાત મટે છે. અથવા, રાત્રે ૨ અંજીરને પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ચાવવું અને ઉપરથી પાણી પીવો, તેનાથી પેટ સાફ રહે છે. પલાળેલા અંજીરમાંથી મળતું ફાઇબર મેદસ્વીપણાને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેતી ઉચ્ચ કેલરી તમને વજન વધારવામાં પણ મદદ કરે છે. જો તમારે વજન વધારવું હોય તો દૂધ સાથે તેનું સેવન કરો.

અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે લોકોના હાડકા નબળા હોય તેને દરરોજ પલાળેલા અંજીરનું સેવન કરવું જોઈએ. દરરોજ અંજીરનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફાઈબર મેળવવામાં આવે છે. જે લોકોને એનિમિયાથી છુટકારો મેળવવો હોય તેને દરરોજ અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરને દૂધ સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

પલાળેલા અંજીરમાં અનેક પ્રકારના ગુણો હોય છે. જે લોકો પાઈલ્સની બીમારી હોય તેને અંજીરનું સેવન કરવું જોઈએ. આ રોગથી છુટકારો મેળવવા માટે કહેલી પેટે હૂંફાળા પાણી સાથે અંજીરનું સેવન ફાયદાકારક છે. અંજીરના નાના કટકા કરી પાણીમાં એનો ઉકાળો કરી હુંફાળુ થાય ત્યારે તેમાં ચપટી જેઠીમધ અને હળદર મેળવી ગળાને સ્પર્શ થાય એ રીતે થોડી મિનિટો માટે કોગળો ધારણ કરી રાખવો. ત્યારબાદ થૂંકી નાખવો. દિવસમાં બે થી ત્રણ વખત આમ કરવું. આનાથી ગાળાનો સોજો દૂર થાય છે.

મહિલાઓને માસિકનો પ્રોબ્લેમ હોય કે જેમાં માસિક અનિયમિત આવતું હોય તેમના માટે પાલળેલા અંજીર લાભદાયી પુરવાર થાય છે. બાળકની માતાનું દૂધ પણ અંજીરના સેવનથી વધે છે. સ્ત્રીઓને લાંબી ઉંમરે થતા કમરના દુખાવામાં પલાળેલા અંજીર ગુણકારી છે. મોટી ઉંમર થયા પછી ઘણા લોકોને શ્વાસ તેમજ દમની સમસ્યા થતી હોય છે. પલાળેલા અંજીર શરીરમાં રહેલા વાયુનો નાશ કરનાર હોવાથી દમ તેમજ શ્વાસના દર્દીઓ માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે.

આજકાલ સ્ત્રીઓમાં સ્તન કેન્સર જેવા રોગો વધી રહ્યા છે. જો દરરોજ પલાળેલા અંજીરનું સેવન કરવામાં આવે તો હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. અંજીરમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં છે, તેથી જ તે હાડકાંને મજબૂત અને મજબૂત બનાવે છે. અંજીરમાં પોટેશિયમ હોવાને કારણે તે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.

કેટલાક દિવસો માટે સવારે અને સાંજે પલાળેલા અંજીર ખાવા અને પાણી પીવાથી હરસમાં ફાયદો થાય છે. અંજીરમાં પેક્ટીન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે જે લોહીમાં હાજર ખરાબ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે. ઉપરાંત, અંજીરના ફાઇબર ગુણધર્મો પાચક સિસ્ટમમાંથી વધુ કોલેસ્ટ્રોલને સાફ કરી શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version