વગર ખર્ચે માત્ર 3 દિવસમાં પગની પિંડી અને ગોઠણના દુખાવા માંથી કાયમી છુટકારો મેળવવાનો 100% ફાયદાકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારનું જીવન સમય સાથે ખુબજ ઝડપી થઈ ગયું છે. આ ઝડપી જીવન માં બધાને ખુબજ  ઝડપથી નાના મોટી બીમારી ઓ પણ વધવા લાગી છે. અત્યાર નાં સમય મા તમે નાના હોય કે મોટાં બધા લોકોને પગ નાં પ્રોબલમ હોય છે. તેમાં પણ મોટાં ભાગના લોકોને ગોઠણ નાં દુખાવા નો પ્રોબલમ હોઈ છે. તો આજે અમે તમને ગોઠણનાં દુખાવાના ઘરેલુ ઉપાય જણાવીશું.

જટામાંસીના મૂળનું ચૂર્ણને ગોઠણના દુ:ખાવામાં લગાવવાથી ઘણો આરામ મળે છે, તેમાં થોડા એવા તત્વો હોય છે. જે કોઈપણ રીતે દુ:ખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. તેના મૂળમાં રહેલુ તેલ માંસપેશીઓને આરામ આપે છે અને જકડાઈ જવાને સારું કરે છે. તે ઉપરાંત જટામાંસીના મૂળને ચા તરીકે પણ લઇ શકો છો. જટામાંસીનું 1 ગ્રામ ચૂર્ણને પાણી સાથે ઉકાળો અને તેમાંથી બનેલી ચા દિવસમાં 2 થી 3 વખત પીવો.

રોજ રાત્રે 2 ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો. અને સવારે ખાલી પેટ મેથીને ચાવીને ખાવાથી અને મેથીનું પાણી પીવાથી તમને ક્યારેય પણ પિંડીનો દુઃખાવો નહી થાય. કરેણના પાંદડાને ઉકાળીને તેને તેના પાંદડાની ચટણી બનાવો અને તલના તેલમાં ભેળવીને પિંડી ઉપર માલીશ કરો આમ કરવાથી તમને દુઃખાવા માંથી મુક્તિ મળી જશે.

એક-બે ચમચા ગૌમુત્રમાં બે મોટા ચમચા દીવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી ગોઠણનો દુખાવો મટે છે. ચારથી છ ચમચી દીવેલમાં એક ચમચી સુંઠનું ચુર્ણ મેળવી પીવાથી સાઈટીકા મટે છે. એક ચમચી દીવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી ગોઠણનો દુખાવો મટે છે. ૦.૩ ગ્રામથી ૦.૫ ગ્રામ ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ લેવાથી ગોઠણનો દુખાવો મટે છે.

પારિજાત છોડના 6 થી 8 પાંદડા ને સપાટ પથરા ઉપર વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. ઉકળતા જયારે તે અડધું રહી જાય તો તેને હુંફાળું કરીને રોજ ખાલી પેટ પીવો. આમ કરવાથી શરીર અને ગોઠણના દુઃખાવામાંથી મુક્તિ મળશે. રોજ અડધુ કાચું નારીયેલ ખાવાથી ગઢપણમાં પણ ક્યારેય તમને ગોઠણ ના દુખાવાની તકલીફ નહી થાય.

દૂધ અને પાણી બરાબર માત્રામાં મિક્સ કરીને લસણ અને વાવડિંગને તેમા ઉકાળો. જ્યારે પાણી બળી જાય તો દૂધને ઉતારી લો. તેને ગાળીને ઠંડુ કરીને પીવો. આ મિશ્રણથી પિંડીના દુખાવામાં રાહત થાય છે. લસણ ને અડદના વડા બનાવીને તલના તેલમાં તળીને ખાવાથી પિંડીના દુખાવામાં રાહત મળે છે.

25 ગ્રામ અજમો, 10 ગ્રામ લવિંગ અને 50 ગ્રામ લસણ પીસીને 200 ગ્રામ સરસવના તેલમાં નાંખો અને થોડું ગરમ ​​કરો. ઠંડુ થાય એટલે તેને કાચની બોટલમાં ગાળી લો. ત્યારબાદ તેને ઘૂંટણ પર માલિશ કરો. તમે દિવસમાં ઘણી વખત આ કરી શકો છો. મસ્ટર્ડ તેલ અને લસણ અસરગ્રસ્ત ઘૂંટણમાં દુખાવો અને સોજો દૂર કરવામાં મદદ કરી શકે છે.

જાયફળના તેલને સરસિયાના તેલમાં મિક્સ કરીને પિંડીના દુખાવા પર માલિશ કરવાથી લાભ થાય છે. જેનાથી પિંડીના દુખાવાથી રાહત મળે છે. જાયફળનુ ચૂર્ણ મધ સાથે સેવન કરવાથી પિંડીનો દુખાવો દૂર થાય છે. જાયફળને બકરીના દૂધમાં ઘસીને તેને થોડુ ગરમ કરી લેપ કરવાથી પિંડીના દુખાવામાં રાહત મળે છે.

500 ગ્રામ ધતૂરના પત્તાના રસમાં 15 ગ્રામ, અફીણ, 5 ગ્રામ સીંધા લૂણ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પછી તેના વડે દિવસમાં 4 વખત માલિશ કરો અને આરામ મેળવો. તેનાથી પિંડીના દુખાવામાં રાહત મળશે. પિંડીના દુખાવામાં ગરમ પાણી વડે શેક કરવાથી ખૂબ રાહત મળે છે. 5 મિનિટ સુધી ગરમ પાણી વડે શેક કર્યા પછી 2 મિનિટ બાદ ઠંડા પાણી વડે શેક કરવો જોઇએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top