માત્ર કરી લ્યો આનું સેવન જીવો ત્યાં સુધી પથરી અને ડાયાબિટીસ વગર દવાએ થઈ જશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પેટ સંબંધી અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે લીમડાના પાન અત્યંત ઉપયોગી છે. લીમડાના પાનના રસમાં મધ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી પેટ સાફ થાય છે. આ સિવાય પણ લીમડાના પાનના અનેક ફાયદા છે.

ખીલ માટે

લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને પાણી ઠંડુ થાય તો તેનાથી મોઢું ધોઈ કાઢો. આનાથી ખીલની સમસ્યા દૂર થશે. વાળ ખરવાની સમસ્યા જો વાળ ખરવાની સમસ્યા હોય તો લીમડાના પાનનો લેપ વાળમાં લગાવો. આનાથી વાળ ખરવાની સમસ્યા ઘણી ઓછી થઈ જશે.

પથરી

પથરીની સમસ્યાથી બચવા માટે લગભગ 150 ગ્રામ લીમડાના પાનને 1 લીટર પાણીમાં ઉકાળો. આ પાણી પીવાલાયક ઠંડુ થાય તો પીઓ. નિયમિત આ પ્રયોગ કરવાથી પથરી નીકળી શકે છે. જો પથરી કિડનીમાં હોય તો રોજ લીમડાના પાનની લગભગ 2 ગ્રામ રાખ પાણી સાથે લો, ફાયદો થશે.

કાન અને દાંતના રોગ

કાનમાં લીમડાનું તેલ નાખવાથી કાનનો દુખાવો અથવા કાનમાંથી પાણી નીકળવાની સમસ્યાથી રાહત મળે છે. આ સિવાય લીમડો દાંત માટે પણ અત્યંત લાભકારક છે. લીમડાના દાતણનો નિયમિત ઉપયોગ કરવાથી કીટાણુનો નાશ થાય છે અને દાંત ચમકદાર રહે છે. આ સિવાય પેઢા મજબૂત થાય છે.

દાઝી ગયેલી ત્વચા માટે

દાઝી ગયા હોવ ત્યાં લીમડાનું તેલ અથવા પાન પીસીને તૈયાર કરવામાં આવેલી પેસ્ટ લગાવવાથી આરામ મળે ચે. લીમડામાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, તેના કારણે ઈજા થઈ હોય ત્યારે તેનું તેલ લગાવવાથી ટેટનેસની બીક નથી રહેતી. આ સિવાય જો તમને શરીર પર અથવા ચહેરા પર ફોલ્લીઓ થતી હોય તો લીમડાના પાન, છાલ અને લીંબોડીને એકસરખા પ્રમાણમાં પીસી લો અને પેસ્ટને ત્વચા પર લગાવો. આનાથી સમસ્યાથી છૂટકારો મળશે.

કમળો

જૉન્ડિસમાં લીમડો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. પિત્તાશયથી આંતરડામાં જતા પિત્તમાં અડચણ આવવાને કારણે કમળો થતો હોય છે. આ રોગમાં લીમડાના પાનના રસમાં સૂંઠ પાવડર મિક્સ કરીને પીવો. અથવા તો 2 ભાગ લીમડાના પાનનો રસ અને 1 ભાગ મધ મિક્સ કરીને પીવાથી પણ ઘણી રાહત થાય છે.

લોહીને લગતી બીમારીઓ-  લીમડાના પાન ચાવવાથી લોહીમાં રહેલા અનેક પ્રકારના હાનિકારક તત્વો દૂર થાય છે. આના કારણે ચહેરા પર નવી ચમક પણ આવે છે અને લોહીને લગતી બીમારીઓ દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top