દવાખાને ગયા વગર નખ કે નયા પાકવાથી કાયમી છુટકારો, આ એક ઈલાજ છે અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણી વખત વધારે સમય પગ પાણીમાં રહેવાથી કે વધારે પડતાં ફીટ બુટ કે મોજા પહેરવાને કારણે અથવા પરસેવાને કારણે નખમાં ઇન્ફેકશન લાગી જાય છે, આ ઉપરાંત ઘણી વખત સાબુ કે ડિટર્જનની આડઅસરને કારણે પણ નખ પાકવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત, ઘણીવાર સાબુથી કપડા ધોયા પછી હાથ બરાબર સાફ ના થાય તો સાબુ નખમાં લાગી જાય છે, અને નખ પાકવાના શરુ થઇ જાય છે. નખ પાકે છે તેને ફંગલ તરીકે ઓળખવામાં આવે છે.

હાથ-પગમાં ફૂગ થવી એ એક સામાન્ય વાત છે, પરંતુ તે ખૂબ જ ખરાબ દેખાય છે અને સાથે સાથે તેમાં અસહ્ય દુખાવો પણ થાય છે અને જો એકવાર ફંગલ થાય અને તેનો ઈલાજ કરવામાં ન આવે તો તે બીજા નખ પર પણ ઇન્ફેક્શન લાગી જાય છે અને ધીમે ધીમે પરિસ્થિતિ વધી જાય છે પરિણામે નખમાં ચેકો પડાવવો પડે છે અને નખ કાળો પડી જાય છે.

મોટાભાગે વૃદ્ધ લોકોમાં ફંગલ થવાનું પ્રમાણ વધારે હોય છે, પેલા અંગૂઠાની નીચે કે આંગળીની નીચે દુખાવો થાય છે ત્યારબાદ ત્યાં એક પીળા કલરની ફોડલી થાય છે અને ધીમે ધીમે તેમાં પરુ આવવાનું શરૂ થાય છે નખમાં થતાં જ તે ખૂબ જ દુખે છે ઘણી વખત આપણે ડોકટર પાસે જઈએ તો તે ચેકો મૂકીને નખ માંથી રસી કાઢી દેતા હોય છે.

જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તે લોકોને નખ પાકવાની સમસ્યા વધુ થાય છે અથવા તો ઘણી વખત ફીટ બુટ પહેરવાથી પણ ફંગલ થવાની શક્યતા વધે છે. આ સમસ્યા માટે નાળિયેર ખૂબ જ ફાયદાકારક છે કારણ કે નારિયેળ તેલમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે નખને ફુગથી દુર રાખવા સૌપ્રથમ નખને બરાબર સાફ કરી નાળિયેર તેલને દિવસમાં ત્રણ વખત નખ પર લગાવવાથી રાહત થાય છે. આ ઉપરાંત આમળાનું તેલ પણ ખૂબ જ ફાયદાકારક છે જો નખ પાક્યો હોય તો ૧ દિવસમાં જ રાહત થઇ જાય છે.

નયુ પાક્યું હોય કે ફંગલ દૂર કરવા માટે લસણ પણ ખૂબ જ ફાયદાકારક છે જે નખમાં ફૂગ થઇ હોય તેના પર લસણનો રસ લગાવી દસથી પંદર મિનિટ માટે રહેવા દો ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લેવું તરત જ દુખાવો ગાયબ થઈ જશે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તરીકે ઓળખવામાં આવે છે લસણના રસ કાઢીને સફેદ વિનેગર મિક્સ કરી થોડીવાર સુધી આ મિશ્રણમાં નખ ડુબાડી રાખવાથી નખ કાપવા ની સમસ્યા ગાયબ થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top