શું તમે જાણો છો તમારા નખ નો રંગ સૂચવે છે આ ભયંકર બીમારી હોવાના સંકેત? નહિ !! તો અત્યારે જ જાણો અહી ક્લિક કરીને..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંગળી પરના નખ હાથની શોભા વધારે છે. પરંતુ છોકરીઓ તો હવે નખમાં નવી નવી ડિઝાઇન કરીને નખની સુંદરતા વધારે છે.  શું તમે જાણો છો કે, હાથના નખના રંગ શરીરમાં રોગ હોવાનું સૂચવે છે. નખના રંગ  શરીરના રોગનો સંકેત પણ આપે છે. વધુમાં વાત કરીએ તો નખએ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નખ સુંદરતા વધારવામાં મદદ કરે છે.

આ જ કારણ છે કે છોકરીઓ તેમના નખને સુંદર રાખવા માટે કોઈ કસર છોડતી નથી. પરંતુ નખનો બદલાતો રંગ  શરીરમાં રહેલા અનેક રોગોના સંકેત પણ આપે છે. નખ ઉપર સફેદ ડાઘ પડેલા દેખાય છે. આવા ડાઘ શરીરમાં જસતની ઓછપને કારણે થઇ શકે છે. જો આવા ડાઘ દેખાવા લાગે તો સમજી લેવું કે  લિવર નબળું પડી રહ્યું છે. જો નખનો રંગ સફેદ હોય તો લીવરનો રોગ થઈ શકે છે.

આ બીમારીથી બચવા માટે ચણા, બાજરી અને દાળનું સેવન વધારે કરવું. એનાથી ઘણો ફાયદો થવા લાગશે. નાના બાળકોમાં નખ પર સફેદી દેખાય તો એનું કારણ તેમનામાં કેલ્શિયમની ઊણપ પણ હોઇ શકે છે. કેલ્શિયમની ઊણપને દૂર કરવા બાળકોને દૂધમાંથી બનતી તમામ વસ્તુઓ જેવી કે માખણ, પનીર ખવડાવવું. જો નખ નો રંગ સફેદ હોય તો તે આંતરડા અને હૃદય રોગના લક્ષણો પણ દર્શાવે છે.

જો નખનો રંગ પીળો છે, તો તેનો અર્થ એ કે કોઈ ગંભીર રોગ થવાનો છે.  થાઇરોઇડ, સોરાયિસસ, એનિમિયા, કુપોષણ, ફંગલ ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને ફેફસાના રોગ હોય શકે છે જો નખનો રંગ વાદળી શાહી જેવો થઈ જાય છે, તો તેનો અર્થ એ છે કે  શરીરમાં ઓક્સિજનનો અભાવ છે. તે ફેફસામાં ચેપ સાથે ન્યુમોનિયા અને હૃદય રોગના સંકેતો પણ બતાવે છે.

આ ઉપરાંત જો ઘણા લોકોના નખ અડધા સફેદ અને અડધા ગુલાબી હોય છે, આનો અર્થ એ છે કે શરીરમાં બ્લડ પ્રેશરની સમસ્યા છે. જે હાઇ અને લો બ્લડ પ્રેશરના લક્ષણો માટે દર્શાવે છે. જો નખની સપાટી ક્યારેક રફ બની જતી હોય છે. આનો અર્થ એ કે શરીરમાં સોરાયિસસ અને સંધિવાની સંભાવના છે. તૂટેલા અને તિરાડવાળા નખ થાઈરોઈડ અને ફંગલ ઇન્ફેકશનના  લક્ષણો દર્શાવે છે.

કુપોષણ નખમાં ઘણા ફેરફારો કરી શકે છે. વાળની ​​જેમ, નખ પાતળા અને બરડ થઇ શકે છે, પરંતુ અન્ય લક્ષણો પણ હોઈ શકે છે. એમાંથી એક નખ છે જે ચમચી જેવા વળાંક, ખાસ કરીને તર્જની અથવા ત્રીજી આંગળી પર.એનો અર્થ એ થાય છે.  કેશરીર માં આર્યનખુબ જ ઓછું છે. નાખ ખરબચડા અંથવા નેઇલ બેડ થી અલગ થઇ શકે છે. આર્યનની સમસ્યા ઉપરાંત, નખની સમસ્યાઓમાં પ્રોટીન, કેલ્શિયમ, અથવા વિટામિન એ, બી૬, સી, અને ડી નીચલા સ્તરને કારણે થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top