ઔષધીય ગુણોનો ભંડાર છે આ ફૂલ, આના એટલા છે ફાયદા કે તમે વિચારી પણ નહીં શકો…તમે પણ જાણો તેના લાજવાબ ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નાગકેસરના ફૂલોનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે અને તેની સહાયથી અનેક રોગો મટે છે. નાગકેસર ઘણા ઔષધીય ગુણો થી પણ ભરપૂર છે. નાગકેસર ને બીજા ઘણા નામોથી ઓળખવામાં આવે છે જેવા કે નાગચંપા, ભુજંગખ્યા, હેમ અને નાગપુષ્પ પણ કહેવામાં આવે છે.

આયુર્વેદ પ્રમાણે નાગકેસર સ્વાદમાં કડવું અને તુરું, શીતળ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ-પિત્તશામક, લિવર, મગજ તથા હોજરી માટે બળપ્રદ, ગર્ભસ્થાપક, વાજીકરણ, હૃદય માટે હિતકારી તથા માનસિક નબળાઈ, ગાંડપણ, શ્વાસ, ખાંસી, અજીર્ણ, ઊલટી, રક્તવિકાર, હરસ-મસા, મરડો, રક્તપ્રદર, રતવા વગેરે અનેક દર્દો મટાડનાર છે. તો ચાલો હવે આપણે જાણીએ નાગકેસરથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.

હાથ-પગની બળતરા, આંખોમાં બળતરા, શરીરનું ગરમ રહેવું વગેરેમાં નાગકેસર લેવાથી ગરમી બળતરા દૂર થાય છે. ગરમી-પિત્તને લીધે માથું દુઃખતું હોય તો અડધી ચમચી નાગકેસર, સાકર સાથે લેવાથી તે મટે છે.

નાગકેસર ઠંડું છે. શરીરની ખોટી ગરમી દૂર કરવાનો એમાં સારો ગુણ છે. શરીરનાં કોઈપણ ભાગમાંથી લોહી પડતું હોય તો નાગકેસર તેને અટકાવે છે. હરસ-મસા દૂઝતા હોય તો અડધી ચમચી જેટલું નાગકેસર માખણ સાથે મિશ્ર કરીને ખાવાથી તરત જ લોહી પડતું બંધ થાય છે. મરડામાં લોહી પડતું હોય તો નાગકેસર, માખણ અને સાકર ત્રણે સરખા વજને લઈ એક ચમચી જેટલા આ મિશ્રણનું સેવન કરવાથી મરડો મટે છે. સ્ત્રીઓના રક્તપ્રદરને પણ તે મટાડે છે.

સ્ત્રીઓના રક્તપ્રદર ને પણ નાગકેસર મટાડે છે. જો ગેસ થયો હોય તો નાગકેસર માં હળદર, રાળ અને ખાંડ મિક્સ કરીને પાવડર તૈયાર કરો. ત્યારબાદ આ ચુર્ણને રોજ ગરમ દૂધ સાથે પીવો. આ પાવડર ખાવાથી પેટમાં ગેસ ઉત્પન્ન થતો નથી અને ગેસની સમસ્યા દુર થાય છે. નાગકેસરના મૂળ અને છાલને સારી રીતે સાફ કરો. ત્યારબાદ ગેસ પર બે ગ્લાસ પાણી ગરમ કરી તેમા મૂળ અને છાલ નાખી આ પાણીને સારી રીતે ઉકાળો. જો તમે ઇચ્છો, તો તમે તેની અંદર ખાંડ પણ ઉમેરી શકો છો. જ્યારે આ પાણી અડધું રહે છે, ત્યારબાદ ગેસ બંધ કરીને તેને ગાળી લો. તે ઠંડુ થાય તે પછી, આ ઉકાળો પીવો. દિવસમાં બે વખત આ ઉકાળો પીવાથી તમારી ઉધરસ માંથી તાત્કાલિક રાહત મળશે.

નાગકેસર હિંચકી રોકવા માટે પણ ફાયદાકારક છે અને તેને ખાવાથી હિચકી બંધ થાય છે. જો વધારે હિચકી આવતી હોય તો તમારે પીળા નાગકેસર માં મધ ઉમેરીને ખાવું જોઈએ. સાપ ના કરડવા પર, તરત જ તેના પર નાગકેસરના પાંદડાની પેસ્ટ લગાવો. અસરગ્રસ્ત વિસ્તારમાં નાગકેસરના પાંદડાની પેસ્ટ લગાવવાથી ઝેરની અસર સમાપ્ત થાય છે.

નાગકેસર આમપાચન છે. અજીર્ણને મટાડનાર છે. આમનું પાચન કરી તે જઠરાગ્નિને પણ સુધારે છે. કાયમના મરડામાં-અલ્સરેટીવ કોલાયટીસમાં નાગકેસર અને ઈન્દ્રજવ બંને આપવાથી સારો ફાયદો થાય છે. જો શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થાય છે, તો તે જગ્યાએ નાગકેસર નું તેલ લગાવો. નાગકેસર ના તેલથી માલિશ કરવાથી પીડા દૂર થશે. દુખાવા  ઉપરાંત, જો તમને ઈજા થાય છે તો ઘા પર આ તેલ લગાવો. સાંધાના દુખાવામાં તેના તેલની માલિશ પણ કરી શકાય છે.

બિજોરાનાં બીજ અને નાગકેસર સરખા ભાગે લાવી, તેમનું ચૂર્ણ બનાવી લેવું. માસિકધર્મ પછી પાંચથી છ દ્વિસ રોજ એક ગ્રામ જેટલું આ ચૂર્ણ દૂધ સાથે પીવું. એ પછી સમાગમ કરવાથી ગર્ભ રહે છે તથા કસુવાવડ થતી નથી. નાગકેસર ચહેરાની ત્વચા માટે પણ સારું માનવામાં આવે છે અને જો તેનું તેલ દરરોજ ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાનો રંગ સુધરી જાય છે અને ચહેરા પર ભેજ હંમેશા જળવાઈ રહે છે. તેથી, સુંદર ત્વચા મેળવવા માટે, તમારે તમારા ચહેરા પર તેલ લગાવવું જોઇએ.

ગર્ભવતી થવા માટે નાગકેસર ને સોપારી ના ચૂર્ણ ની સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. તેનાથી શારીરિક નબળાઈ અને અક્ષમતા પણ દુર થઇ જાય છે. જ્યારે તમને શરદી થાય છે, ત્યારે નાગકેસર ના પાન પીસી લો. ત્યારબાદ આ પેસ્ટ તમારા માથા પર લગાવો. આ પેસ્ટ લગાવતાની સાથે જ શરદી મટે છે અને નાક ખુલી જશે. જો શરીરના કોઈપણ ભાગમાં ખંજવાળ આવવાની ફરિયાદ છે, તો નાગકેસર ના તેલથી મસાજ કરો. નાગકેસર નું તેલ લગાવવાથી ખંજવાળની ​​સમસ્યા સુધરે છે અને ત્વચા નરમ પણ થાય છે.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top