Site icon Ayurvedam

માત્ર 3 દિવસમાં આ લાડુથી નબળાઈ, દુખાવા, અનિદ્રા, અને થાકથી 100% જડમૂળથી છુટકારો

આજકાલ ની લાઈફસ્ટાયલને કારણે લોકોમાં અવનવા રોગો ઉદ્ભવે છે, જેમાં મોટા ભાગે અનિંદ્રા, થાક, નબળાઈ અને હાથ-પણ અને સાંધાના દુખાવાનો સમાવેશ થાય છે, આ સમસ્યાઓના સમાધાન માટે આજે અમે લઈને આવ્યા છીએ એક એવો દેશી ઈલાજ કે જેનાથી કોઈપણ પ્રકારની દવા વગર આ બધી સમસ્યા માંથી મઠ થોડા સમયમાં મળી જશે રાહત.

જો તમને વારંવાર થોડું કામ કરીને થાક લાગી નબળાઈ આવી જતી હોય કે વધતી ઉમરના કારણે સાંધાના દુખાવા થતા હોય તો અહીં જણાવેલ આ લાડુ આજે જ બનાવી લ્યો અને માત્ર થોડા દિવસમાં જ મેળવી લ્યો છુટકારો.

લાડુ બનાવવવા માટેની સામગ્રી :
અખરોટ – 300 ગ્રામ, કાળા તલ – 75 ગ્રામ, મગફળીના દાણા – 150 ગ્રામ અને ઘી 100 ગ્રામ, ૩૦૦ ગ્રામ – ગોળ

લાડુ બનાવવાની રીત :
લાડુ બનાવવા માટે સૌ પ્રથમ અખરોટને મિક્સર જારમાં નાખીને અચકચરા પીસો. અખરોટમાં મેગ્નેસિયમ, સલ્ફર અને આયર્ન હોય છે જે લોહી વધારવામાં અને શરીરને સ્ફૂર્તિદાયક બનાવી સાંધાના દુખાવામાં ખુજ અસર કરે છે. ત્યારબાદ હવે કાળા તલને પેનમાં લગભગ એક થી દોઢ મિનિટ શેકીને ઠંડા થવા દો. જયારે ઠંડા થઇ જાય ત્યારે તલને પણ અખરોટ ની જેમ અચકચરા પીસી લો.

હવે મગફળીને પણ શકીને તેના ફોતરાં કાઢી તેને પણ મિક્સચરમાં અધકચરા પીસી લ્યો મગફળીની ન્યુટ્રીશન વેલ્યુ કાજુ – બદામ જેટલી જ હોય છે. તેથી અહીંયા મગફળીનો ઉપયોગ કરેલો છે. હવે ગેસ પર તેવી મૂકી તેમાં ઘી અને ગોળ નાખી ગરમ કરો ગોળ ગરમ થાય એટલે તેમાં અધકચરા પીસેલા અખરોટ, તલ અને શીંગદાણા નાખી બરાબર મિક્સ કરો અને ૫ મિનિટ પછી તેના નાના-નાના લાડુ બનાવી લ્યો.

આ લાડુને એક ડબ્બામાં ભરી દરરોજ સવારે તેનું સેવન કરો દિવસમાં ૨-૩ લાડુ ખાવ જેનાથી તમને માત્ર થોડા દિવસમાં તમારા શરીર માં ફેરફાર જોવા મળશે અને સાંધાના દુખાવા પણ ઓછા થવા લાગશે.

Exit mobile version