શું તમે કેલ્શિયમની ખામી કે બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીથી પરેશાન  છો? તો તમારા માટે બેસ્ટ છે આનું સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે.

મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ જેવા તત્વો મખાનામાં જોવા મળે છે. જે શરીરને પોષણ આપવાનું કામ કરે છે. જીવલેણ રોગ પણ મખાના ખાવાથી ખૂબ દૂર થાય છે. વળી, જો કોઈ જીવલેણ બીમારી છે, તો તેના સેવનથી જોખમ ઓછું થાય છે.  પરંતુ આ માટે તેનું સેવન કરવાની યોગ્ય રીત જાણવી જોઈએ.

તે સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેમની અનિયમિતતાની સમસ્યા સમાપ્ત થાય છે. દરેક વ્યક્તિ પોતાને જીવંત રાખવા માંગે છે, તેથી આહારમાં મખાના ને શામેલ કરવા જ જોઈએ. તેનાથી  ચહેરા પર કરચલીઓ આવતી નથી અથવા  ઉંમર પહેલાં વાળ સફેદ થતાં નથી. તેથી હવે તેને ઝડપથી આહારમાં ઉમેરી શકો છો.

વધતી ઉંમરની અસરને દૂર કરવા માં મખાના મદદ રૂપ બને છે. મખાના ખાવાથી હૃદયરોગ થતો નથી કારણ કે તેના સેવનથી કિડની મજબૂત થાય છે. તેમજ તેમાં રહેલ ગુણધર્મો હૃદયરોગથી દૂર રાખે છે. મખાના શરીરને શરદી રોગોથી બચાવે છે.

જો હાડકાઓ નબળા પડી ગઈ હોય, તો તરત જ મખાનાનું સેવન કરવું જોઈએ, કેમ કે તે હાડકાઓને મજબૂત બનાવે છે. ઉપરાંત,  મખાના ખાવા થી કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે. મખાના માં ખાંડ ઓછી માત્રામાં હોય છે, તેથી આ કિસ્સામાં ડાયાબિટીસના દર્દીઓ તેને ખાઇ શકે છે.

આ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, જે તેમને પુષ્કળ શક્તિ આપે છે. ડાયાબિટીસના દર્દીઓ ખૂબ ભૂખ લાગે છે, આવી સ્થિતિમાં તેમણે મખાના ખાવું જોઈએ, જેની ભૂખ પણ સમાપ્ત થાય છે.પેટની સમસ્યા પણ  મખાના ખાવાથી દૂર થઈ જાય છે, કારણ કે તેમાં રહેલા ગુણધર્મો પાચન શક્તિને સરળ બનાવે છે, જે પેટની બધી સમસ્યાઓ દૂર કરે છે અને પાચન શક્તિ ને મજબૂત બનાવે છે.

મખાણાના સેવનથી તાણ ઓછી થાય છે, તેમજ ઊંઘ સારી આવે છે. રાતના સૂતી વખતે દૂધ સાથે મખાણા ખાવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. તે શીઘ્રપતનતી બચાવે છે, વીર્યની ગુણવત્તા અને માત્રાને વધારવામાં મદદ કરે છે, મખાના ખાવાથી કામેચ્છા વધે છે.

મખાણાં કોઇ સ્વાદ હોતો નથી. તેથી તેમાં મીઠું ભેળવીને ખાઇ શકાય છે. મખાણાને ધીમા તાપે ઘીમાં શેકીને મીઠું ભેળવી ખાવા. આ ઉપરાંત તેની ખીર પણ બનાવામાં આવે છે. આ ઉપરાંત મખાણાનું નિયમિત સેવન કરવાથી શરીરની કમજોરી દૂર થાય છે તેમજ સ્વસ્થ રહેવાય છે. મખાણાંમાં સમાયેલ પ્રોટીનના કારણે સ્નાયુ મજબૂત બને છે.

મકાણાં કેલરી, ચરબી અને સોડિયમની માત્રા ઓછી હોય છે, તેથી તેને કોઇ પણ સમયે ખાઇ શકાય છે. એટલું જ નહીં મખાણાના સેવનથી પેટ જલદી ભરાય છે અને ભૂખ ઓછી લાગે છે. તેમાં સોડિયમ ઓછું હોય છે, પરંતુ પોટેશિયમ અને મેગ્નેશિયમ તેમાં વધુ પ્રમાણમાં સમાયેલું હોય છે, જેથી બ્લડપ્રેશરના દરદીઓ માટે ફાયદાકારક સાબિત થયા છે મખાણામાં કેલ્શિયમ હોવાથી તે હાડકા અને દાંત માટે ગુણકારી છે.

હાઇ બ્લડસુગર માટે તે ગુણકારી છે. પરંતુ ઇન્સ્યુલિન લેતા દરદીએ મખાણાનું સેવન તબીબની સલાહ પ્રમાણે કરવું. મખાના માં સ્ટાર્ચ અને પ્રોટીન સમાયેલું હોવાથીતે ગુણકારી છે.મખાના માં એસ્ટ્રિજન્ટ હોય છે, જે કિડનીની બીમારીથી બચાવે છે. જે લોકો પોતાના શરીર પરની ચરબી ઓછી કરવા માંગે છે.  તેના માટે મખાણા કોઇ વરદાનથી ઓછા નથી. મખાના માં ચરબીનું પ્રમાણ ન હોવાથી તેના સેવનથી પેટ ભરાઇ જાય છે અને ભૂખ ઓછી લાગે છે.

મખાના ને દેશી ઘીમાં શેકીને ખાવાથી જુલાબ પર રોક લગાડી શકાય છે. ગર્ભવતી મહિલાઓ અને શિશુના જન્મબાદ કમજોરી દૂર કરવા મખાણાનું સેવન કરવું જોઇએ. કોફી પીવાની લતને ઓછી અથવા તો દૂર કરવા મખાના ખાવા જોઈએ. જો પથરી હોય તો મખાના ના ૫ થી ૬ ગ્રામ બીજ અને ખાંડ ને એક સાથે પીસી ને મિશ્રણ ત્યાર કરી, આ મિશ્રણ ને દૂધ સાથે ત્રણ દિવસ લેવાથી પથરી ના રોગ માં રાહત મળે છે. મખાના નું દરરોજ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top