Site icon Ayurvedam

માથા માં ખંજવાળ આવે છે તો અપનાવો આ ઘરેલુ ઉપાય

વાળના મૂળમાં ખંજવાળની સમસ્યા થવાનું એક સામાન્ય વાત છે પરંતુ કેટલાક લોકોમાં આ સમસ્યા વરસાદના સમયમાં વધારે વધી જાય છે વાળના મૂળમાં તેજ ખંજવાળ અથવા ઇરિતેટેડ નું સૌથી મોટું કારણ હોય છે બદલતી ઋતુ.જેના કારણે ક્યારેક ક્યારેક વાળમાંથી દૂગંર્ધ પણ આવે છે.

માથામાં ખોડો, પરસેવો, માથાની રુક્ષ ત્વચા ખંજવાળનું કારણ બની શકે છે.માથામાં ખોડા ના કારણે વાળના મૂળમાં સુખાપન થાય છે આ સુખપન ને કારણે માથામાં ખંજવાળ થવા લાગે છે ઘણી વખત આ ખંજવાળ શરમિંદગી નું કારણ પણ બની જાય છે.માથાની ખંજવાળની સમસ્યા ઓછીથી લઈને ખૂબ વધારે સુધી હોઈ શકે છે અને આ જ કારણ છે કે તેના માટે પર્યાપ્ત દેખભાળ અને ઉપાયની જરૂરિયાત હોય છે.

ઘરગથ્થું ઉપાયો :

બેકિંગ સોડા:

બધા ઘરે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે.  બેકિંગ સોડાનો ઉપયોગ કરીને સારો હેર પેક બનાવી શકાય છે. એક કટોરામાં ૪-૫ ચમચી બેકિંગ સોડા લઈ તેમાં પાણી મેળવી, સામગ્રીઓને સારી રીતે મિક્સ કરવી.  ધ્યાન રહે કે પેસ્ટ ના તો વધુ ગાઢ થાય કે ના વધારે પાતળી. આ પેસ્ટને માથાની ત્વચા પર લગાવવી અને થોડા સમય માટે રાખી, ૨૦-૨૫ મિનીટ પછી ધોઈ લેવું. એક દિવસના અંતર પછી આ પ્રક્રિયાને ફરીથી કરવાથી  માથાની ખંજવાળથી પૂરી રીતે છુટકારો મેળવી શકાય છે.

 

લીંબુનો રસ:

લીંબુ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. લીંબુમાં ઉપસ્થિત એન્ટીસેપ્ટિક ગુણોના કારણે તેનો ઉપયોગ માથાની ખંજવાળ દૂર કરવા માટે કરવામાં આવે છે. કેટલાક વિશેષજ્ઞ સલાહ આપે છે કે જો  એક કે બે મહિના સુધી લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યાથી પૂરી રીતે છુટકારો મેળવી શકાય છે. ૨-૩ લીંબુ નો રસ કાઢી,તેને એક કટરોમાં ભેગો કરી, કોટન ની મદદથી તેને માથાની ત્વચા પર લગાડવું  અને ધ્યાન રહે કે વાળની જડોથી આંરભ કરવો. માથાની ત્વચા પર લીંબુ લગાવવાથી ડૈંડફથી પણ રાહત મળે છે. તેને ૧૦ મિનીટ પછી ધોઈ લેવું. લીંબુ એક કન્ડીશનરની જેમ પણ કામ કરે છે.

નારિયેળ તેલ:

નારિયેળ તેલ મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે. નારિયેળ તેલ માથાની ત્વચા પર ખૂબ સારી રીતે કામ કરે છે અનેઆ કારણ છે કે માથાની ત્વચાની ખંજવાળ દૂર કરવાનો આ એક સારો વિકલ્પ છે.દરેક વખતે તમારા શેમ્પુમાં ૨-૩ ટીંપા નારિયેળ તેલના મિક્સ કરી અને પછી તેનાથી વાળ ધોવા. કે પછી એક દિવસના અંતરે વાળમાં નારિયેળ તેલથી મસાજ કરી શકાય. નારિયેળનું તેલ માથાની ત્વચામાં થનાર ફંગલ અને અન્ય પ્રકારના સંક્રમણો સામે લડવામાં મદદરૂપ થાય છે. એક વખથ જ્યારે તેલ સેટ થઈ જાય તેના પછી  શેમ્પુંથી વાળ ધોઈ શકાય.

એપ્પલ સાઈડર વિનેગર:

ઘરે હેર સ્પ્રે બનાવી માથાની ત્વચાની ખંજવાળથી પણ આરામ મેળવી શકાય છે. એક ડબ્બા માં એપ્પલ સાઈડર વિનેગર લઈ તેને અડધો ભરી બાકીની અડધી બોટલમાં પાણી ભરી અને ડબ્બાને સારી રીતે મિક્સ કરી આ હેર સ્પ્રેનો ઉપયોગ દરરોજ સ્નાન કરતા પહેલા કરી અને નહાતી વખતે તેને ધોઈ લેવું. આ સ્પ્રેને બધા વાળ પર છાંટી અને ૨૦ મિનીટ પછી ધોઈ લેવું. એપ્પલ સાઈડર વિનેગર ડૈંડફના ઉપાયમાં પણ મદદરૂપ થાય છે અને વાળની જડોને મજબૂત બનાવે છે.

તલનું તેલ:

હીલિંગ અને લુબ્રિકેટિંગ ગુણોના કારણે તલનું તેલ માથાની ખંજવાળના ઉપાયમાં ખૂબ ફાયદાકારક હોય છે. એક ડબ્બામાં ખૂબ ઓછી માત્રામાં તલનું તેલ લઈ  થોડીવાર ગરમ કરી આ તેલથી ૧૫-૨૦ મિનીટ સુધી માથાની ત્વચાની માલિશ કરવી. પછી વાળને શેમ્પુથી ધોઈ લેવા. હંમેશા આ સલાહ આપવામાં આવે છે કે  રાત્રે તલનું તેલ લગાવવું અને આખી રાત વાળમાં રહેવા દેવુ. આવું કરાવથી તલનું તેલ માથાની ત્વચામાં સારી રીતે ઉતરી જાય છે અને માથાની ખંજવાળ પૂરી રીતે ઠીક કરી દે છે.

બ્રોકલી પ્યૂરી:

બ્રોકલીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે માથાની ત્વચા પર થનાર ફંગસને રોકવામાં મદદરૂપ હોય છે. તેના ઉપરાંત તે વાળની જડોને મજબૂત બનાવે છે જે વાળના વિકાસમાં મદદરૂપ હોય છે.એક મુઠ્ઠી ભરીને બ્રોકલી ને  થોડા સમય માટે ઉકાળી પીસીને તેની પેસ્ટ બનાવવી. જો જરૂરી હોય તો તેમાં થોડા ટીંપા લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ મિક્સ કરી શકો છો.તેને માથાની ત્વચા પર લગાવી ને 20-25 મિનિટ પછી વાળ ને ધોઈ લેવા.

Exit mobile version