મળી ગયો સાંધા નો દુખાવો, કોલેસ્ટ્રોલ, બ્લડ ક્લોટિંગ અને ચામડીના દરેક રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે જયારે ઘાસ ઉગાડીએ ત્યારે અનેક નિંદામણને કાઢી નાખતા હોય છે. તેમાં પણ અનેક ઔષધીય ઉપચાર રહેલા છે. આ ઔષધીય ઉપચાર ગમે તેવા મોટા રોગને પણ દુર કરવામાં ઉપયોગી બને છે. જે રોગ દવાથી ન મટે તે નિંદામણથી મટી જાય છે. ઘણા વર્ષોથી ભારતના લોકો આર્યુવેદિક જડીબુટ્ટીઓ દ્વારા તેમનું જીવન પસાર કરે છે. આજે એવી જ એક ઔષધીય વિષે આપણે વાત કરીશું જે મોટામાં મોટા રોગને દુર કરવામાં ખુબ ઉપયોગી બને છે. જે વનસ્પતિ છે “લુણી”. બધા લોકો તેને લાખાલુણી તરીકે ઓળખે છે. તો ચાલો હવે આપણે જાણીએ લાખાલુણીના ફાયદાઓ વિશે.

આપણા હાડકાને મજૂબત બનાવવા માટે લાખાલુણી ઉપયોગ થાય છે. તેના છોડમાં કેલ્શિયમ ભરપુર પ્રમાણમાં જોવા મળે છે. જેથી તે આપણા હાડકાને મજબુત બનાવે છે. નિયમિત લાખાલુણીના પાનમાં ગોળ, દૂધ નાખી તેનું ગુલકંદ બનાવીને ખાવાથી આપણા હાડકા મજબુત રહે છે. તે ઉપરાંત આપણા દાંતને પણ મજબુત બનાવે છે.

હાઈ કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શનને નિયંત્રિત કરવા માટે લાખાલુણીના પાંદડાનો રસ પીવો તેમજ લાખાલુણીના બીજને ચાવીને ખાઈ જાઓ. લાખાલુણી બ્લડ કલોટીંગ સમસ્યા દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. લુણીનું સેવન એલડીએલ અને એચડીએલ લેવલને નિયંત્રિત કરવામાં ઉપયોગી છે. તે બ્રેન સ્ટ્રોક, હાર્ટએટેકના જોખમને ઘટાડવામાં ઉપયોગી છે.

લીવર કેન્સર, સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ફેફસાના કેન્સરને દુર કરવામાં લાખાલુણીના પાન ખુબ ઉપયોગી બને છે. તેના માટે તેના પાન ચાવીને ,તેનું સલાડ બનાવીને, શાકભાજી અથવા તેની રાબ બનાવીને ખાવાથી તે કેન્સર જેવા મોટા રોગ સામે આપણું રક્ષણ કરે છે. તે કેન્સરના વિકારને જલ્દીથી દુર કરે છે.

પેશાબની બળતરા મટાડવા માટે લાખાલુણી ઉપયોગી થાય છે. લાખાલુણીના પાંદડા લઈને તેનો રસ લાખીને તેનું સેવન કરવાથી, લાખાલુણીના થેપલા બનાવીને ખાવાથી અને તેના પાંદડાનો પેસ્ટ કરીને યોની કે શિશ્ન પર લગાવવાથી પેશાબના રોગો મટે છે. તેના બીજનું સેવન ગરમ પાણી સાથે કરવાથી વજન ઘટાડવામાં પણ ઉપયોગી બને છે. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને દુર કરે છે. તેમાં ફાયબર રહેલું છે. તેમાં કેલેરીની માત્ર ઓછી હોય છે. તેથી તે આપણા વજનને ખુબ જલ્દીથી ઘટાડે છે.

લાખાલુણી ચામડીના રોગો માટે ઉપયોગી છે. તે ચામડીના રોગોનો ઈલાજ એક મલમની જેમ અને દવા કરતા પણ વહેલા ચામડીના રોગને મટાડી શકે છે. આ સિવાય સૌપ્રથમ ચામડી પર જ્યાં પર રોગ હોય તેને ગરમ પાણીથી ધોઈ લો. આ જગ્યા ધોઈ લીધા પછી ત્યાં આ લાખાલુણીમાંથી રસ કાઢીને એ ભાગ પર લગાવો. આવી રીતે ચામડી સુકાયા જાઈ પછી ત્યાં લાખાલુણીનો રસ લગાવવાથી ચામડીનું સંક્રમણ, બેક્ટેરિયા એલર્જી વગેરેમાં સુધારો કરીને રોગને દૂર કરે છે.

લુણીના છોડમાં ભરપૂર માત્રામાં વિટામીન, કેલ્શિયમ, પ્રોટીન અને ઇમ્યુનિટી વર્ધક દ્રવ્યો હોય છે જે શરીરને જરૂરી દરેક પોષક તત્વો પૂરા પાડે છે. અને આથી જ આ લુણી નું સેવન કરવાથી કાયમી માટે સ્વસ્થ રહી શકાય છે. જો શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી હોય તો આ લુણીના છોડ નું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીન ની માત્રા વધી જશે અને આથી જ શરીરમાં નવું લોહી બનવાની શરૂઆત થશે.

લાખાલુણીનું સેવન યાદ શક્તિ વધારે છે. તે બાળકોને ભૂખ મટાડવા, આંખની રોશની વધારવા, પેટની પાચન સમસ્યા ઠીક કરવામાં ઉપયોગી થાય છે. લાખાલુણી બધા જ પ્રકારના ઝેરનો નાશ કરવા માટે ઉપયોગી છે. તે સાપ, વિછી, જીવજંતુ, પતંગિયું, ભમરી, કાંડર, મધમાખી વગેરેના ઝેરનો નાશ કરવા માટે ઉપયોગી છે. લાખાલુણીના પાંદડાને તોડીને તેને ખાવાથી ઝેરનો નાશ થાય છે. અને ઝેર શરીરમાંથી બહાર નીકળી જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top