કેન્સર, ત્વચા, અસ્થમા, વજન ઘટાડવું જેવા અનેક રોગો માટે રામબાણ છે આ ફળનું સેવન, જરૂર જાણી લ્યો તેના ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લિચી પૌષ્ટિક ની સાથે એક સ્વાદિષ્ટ ફળ છે. કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે, જ્યારે લીચીને ફળોની રાણી માનવામાં આવે છે. દરેક વ્યક્તિને લીચી ખાવાનું પસંદ હોય છે. લીચીમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આજે, અમે તમને ફળની રાણી લીચીના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ વિશે માહિતી આપીશું.

લીચીની અંદર આવા ઘણા તત્વો હોય છે, જે આપણને કેન્સર જેવા જોખમી રોગથી બચાવી શકે છે. લિચીમાં મળતું ફ્લેવન્સ, કેમ્ફેફરલ, ક્યુરેસેટિન, કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે. લિચીમાં ફ્લેવોનોઇડ્સ નામનું તત્વ પણ હોય છે, જે શરીરને કેન્સરથી બચાવે છે. ખાસ કરીને લિચીમાં સ્તન કેન્સરને અટકાવવાનાં ગુણધર્મો હોય છે.

લીચી ખાવાથી પેટની સફાઇ તેમજ પેટની બળતરા પણ ઓછી થાય છે. લીચીના બીજના પાવડરની ચા પીવાથી પાચક તંત્રના તમામ રોગો મટે છે. લીચી શરીરને સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સુરક્ષિત કરે છે. દરરોજ લીચીનું સેવન કરવાથી ત્વચાને પોષણ મળે છે.

પાણીના અભાવે શરીરમાં અનેક રોગો થાય છે. લીચી શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. કિડનીમાં પથરીથી થતી પીડાથી રાહત મેળવવા માટે લીચી ખાવાથી ઘણો ફાયદો થાય છે. જો પેટમા કીડા હોય તો મધ સાથે લીચીના બીજનો પાઉડર ખાવો જોઈએ. લિચીમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જે હૃદયને તમામ રોગોથી સુરક્ષિત રાખે છે, અને હૃદયને સ્વસ્થ રાખે છે.

લીચીમાં વિટામિન સી વધુ માત્રામાં જોવા મળે છે, તેથી જ લીચી તાવ, શરદી, ખાંસી અને ગળાના ચેપને અટકાવે છે. લીચી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમા રહે છે, લીચી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ 50% ઓછું થાય છે. લીચી ખાવાથી અલ્સર અને આંતરિક બળતરા મટે છે. જો તમને સુકી ઉધરસ છે, તો લીચી ખાવાથી તેમા રાહત મળે છે.

લીચી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેના કારણે શરીરમા કોઇ રોગ થતો નથી. રોજ લીચીનો ઉપયોગ કરવાથી ચહેરાની ફોલ્લીઓ દૂર થાય છે અને ચહેરો ચમકતો બને છે. લીચી ખાવાથી પેટમાં દુખાવો અને કબજિયાતની સમસ્યા મટે છે.

વધારે વજન વધવાની સમસ્યા થી પરેશાન લોકોએ લીચી નું સેવન કરવું જોઈએ. લીચી ના અંદર ફાઈબર ની ઉચ્ચ માત્રા જોવા મળે છે જેના કારણે ભૂખ વધારે લગતી નથી અને એટલું જ નહિ લીચીમા પાણી પણ વધારે હોય છે અને તેને ખાવાથી શરીરમાં ચરબી બનતી નથી સાથે જ તેમાં કેલરી પણ બહુ ઓછી હોય છે. તેથી જે લોકો પોતાનું વજન ઓછુ કરવા માગતા હોય તેમને  ડાયેટમાં આ ફળનો સમાવેશ કરવો જોઈએ.

લીચી અસ્થમા ના રોગ માટે ફાયદાકારક સાબિત થાય છે. અસ્થમા ની બીમારી થી પીડિત લોકો એ આ ફળનું સેવન કરવું જોઈએ. આ ફળ ને ખાવાથી અસ્થમા ની બીમારી મટાડી શકાય છે. અસ્થમા સિવાય આ ફળ ને ખાવાથી શરીર નું બ્લડ સર્ક્યુલેશન પણ બરાબર રહે છે.

લીચી ને હાડકાઓ માટે ઘણું લાભદાયક માનવામાં આવે છે. આ ફળ ને ખાવાથી હાડકાઓ પર સારી અસર પડે છે અને હાડકાઓ નબળા પડતાં નથી. લીચીમા મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, આયર્ન જેવા પોષક તત્વ હોય છે અને આ બધા તત્વ હાડકાઓ ને મજબુતી પ્રદાન કરે છે. તેથી જે લોકો ને હાડકાઓ નબળા હોય છે તે લોકો ને લીચીનું સેવન જરૂર કરવું જોઈએ.

લીચીના ફાયદા ચહેરા સિવાય વાળ સાથે પણ સંકળાયેલા છે. આ ફળ ખાવાથી વાળમાં સારો વિકાસ થાય છે. અને વાળ લાંબા બને છે. તેથી જે લોકો વાળ લાંબા કરવા માગતા હોય છે તેમણે દરરોજ લીચીનો ઉપયોગ કરવો જોઈએ. લીચી ખાવાથી, શરીરમાં લાલ રક્તકણોની રચના થાય છે, જેના કારણે શરીરમાં લોહીની કમી થતી નથી.

લીચી ખાવાથી ચહેરાની કરચલીઓ દુર કરી શકાય છે. લીચીમા એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે અને એન્ટીઓક્સીડેન્ટ તત્વ કરચલીઓ ને ઓછી કરવાનું કાર્ય કરે છે. લીચી ખાવાથી ભૂખ પણ વધે છે. લીચી ખાવાથી પાચન ક્રિયા યોગ્ય રીતે કાર્ય કરે છે. લીચીમાં રહેલા ફાઈબર મેદસ્વીતા ઘટાડે છે.

ચેહરા પર ડાઘા પડવા પર લીચી નો રસ ચહેરા પર લગાવી શકો છો. લીચી નો રસ ચહેરા પર લગાવવાથી ડાઘ ની સમસ્યા થી છુટકારો મળે છે અને ચહેરો સુંદર થઈ જાય છે. એક લીચી લઈને તેનો રસ કાઢી લો. પછી આ રસ ને ચહેરા પર લગાવી લેવો.  જયારે આ રસ સુકાઈ જાય પછી પાણી ની મદદ થી ચહેરા ને સાફ કરી લેવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top