Site icon Ayurvedam

પાણીમાં માત્ર આ વસ્તુ ઉમેરવાથી બની જશે અમૃત સમાન, પુરુષોના દરેક રોગ, જાડું થતું લોહી અને કોલેસ્ટ્રોલ જીવનભર ગાયબ

લસણ વાનગીઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાંનો એક છે. તેનો ઉપયોગ ઘણી વખત સલાડ ડ્રેસિંગ્સ, સોસ, સૂપ, શાકભાજી,  સહિતના ઘણા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ રસોઈ ઉપરાંતન દવામાં પણ થાય છે. આજે આપણે આ લેખ દ્વારા લસણના પાણીના ફાયદા વિશે જાણીશું. સ્વાસ્થ્યને સુધારવા માટે લસણને તમારા આહારમાં શામેલ કરવાની આ કદાચ એક સરસ રીત છે.

લસણના પાણીના ફાયદા:

લસણનું પાણી શરીરને ડિટોક્સિફાઇ કરે છે, રક્તશર્કરાનું સ્તર સામાન્ય રાખે છે, ટીબીના દર્દીઓને મદદ કરે છે, ઉધરસ, અસ્થમા અને સામાન્ય શરદીના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે, કોલેસ્ટ્રોલ, આંખના આરોગ્યમાં પેશાબની નળીઓના ચેપ અને કિડનીના ચેપને ઘટાડવામાં મદદ કરે છે, વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, લોહીના ગંઠાઈ જવા સામે લડવામાં મદદ કરે છે અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે. આવો જાણીએ તેના કેટલાક ફાયદાઓ વિશે.

લસણ હૃદયની તંદુરસ્તી વધારવા સૌથી વધુ વપરાય છે. એલિસિનથી ભરપૂર લસણનું પાણી રક્ત પરિભ્રમણને વધારે છે, ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ)ના સ્તરને ઘટાડે છે અને ધમનીઓને અવરોધિત કરતા અટકાવે છે, જેથી હૃદયરોગનું જોખમ ઘટે છે. લસણમાં ઘણા બધા વિટામિન અને સેલેનિયમ પણ હોય છે, જે વીર્યની ગુણવત્તામાં વધારો કરે છે. તેથી, તેથી પુરુષોએ રાત્રે સૂતા પહેલા લસણની પાંચ કળીઓ ગરમ પાણી સાથે ખાવી જોઈએ.

લસણની એલિસિન તેના એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મો સાથે રેડિકલ્સ સામે લડવામાં મદદ કરી શકે છે. તે માત્ર તમારા શરીરને બેક્ટેરિયા અને અન્ય જીવલેણ પેથોજેન્સથી જ રક્ષણ નથી આપતું, પરંતુ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત રાખે છે. આ માટે  સવારે ખાલી પેટ લસણનું પાણી પી શકો છો.

જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો લસણનું પાણી તેની માટે બેસ્ટ ઉપાય છે. લસણનું પાણી ચરબીને ઘટાડે છે, પાચનતંત્રને સુધારીને ભૂખને દબાવવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીઝ વાળા વ્યક્તિને બીજી ઘણી બીમારીઓનું જોખમ વધે છે, કારણ કે ડાયાબિટીઝનો ભોગ બન્યા પછી, વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ અન્ય તંદુરસ્ત વ્યક્તિની તુલનામાં ઘણી નબળી પડે છે. જ્યારે લસણમાં હાજર એન્ટિ ડાયાબિટીક ગુણધર્મો શરીરને ડાયાબિટીઝના જોખમની સાથે સાથે અન્ય રોગોથી રક્ષણ પૂરું પાડે છે.

આ ઉપરાંત, હૃદય રોગ, જાડું થતું લોહી, અને કોલેસ્ટ્રોલને ઘટાડવા સવારે જાણીને નરણા કોઠે ગરમ પાણી સાથે લસણની 2-3 કળી ગળવાથી થોડા સમયમાં જ આ દરેક સમસ્યા કાબુમાં આવી ધીમે ધીમે તેમાંથી છુટકારો મળશે. લસણ વાળું પાણી પીવાથી પુરુષોની મોટાભાગની સમસ્યા માંથી પણ માત્ર થોડા દિવસમાં છુટકારો મળે છે અને શુક્રાણુની સંખ્યમાં વધારો થાય છે.

બનાવવવાની રીત:

લસણની કળીઓને છીણી, એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને રાત્રે રાખો. બીજા દિવસે સવારે આ પાણી પીવો.

Exit mobile version