શારીરિક શક્તિ વધારવાથી લઈને પથરી અને મહિલાઓના રોગ માટે રામબાણ છે આનું સેવન, જરૂર જાણો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કુલ્થી ને ગુજરાતી માં કળથી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કુલ્થી એ એક પ્રકાર નું કઠોળ છે. કુલ્થી એ આયુર્વેદીક ગુણો થી ભરપૂર છે જે કીડની ની પથરી ને દૂર કરવા માટે સક્ષમ છે. કુલ્થી ના સેવનથી વાત અને કફ પણ નિયંત્રણમાં આવે  છે. આ ઉપરાંત કુલ્થી યકૃત ને લગતી સમસ્યાઓ નું નિવારણ કરવા માટે પણ ઉપયોગી બને છે.

કુલ્થી દાળના ઘણા ફાયદાઑ પણ છે. પોષણથી ભરપૂર આ દાળ ખાવાથી લઇને આયુર્વેદમાં દરેક જગ્યાએ એના ઉપયોગની વાત કરવામાં આવી છે. કુલ્થીની તાસીર ગરમ હોય છે અને આ સરળતાથી પચી પણ જાય છે.

પ્રસુતિ બાદ મહિલાઓના શરીરમાં રક્ત ઓછું થઈ જાય  તે સ્વાભાવિક હોય  છે. આ ખામીના કારણે તેમનામાં આયરનની ખામી સર્જાય છે. જો કે પ્રસુતિ બાદ યોગ્ય આહાર લઈ આ ખામીને દૂર કરી શકાય છે. શરીરમાં રક્તની ખામી દૂર કરવા માટે કળથી દાળ ખાવી જોઈએ.

આ દાળનું દરરોજ  સેવન કરવાથી વધારે રક્તસ્ત્રાવથી શરીરમાં આવેલી નબળાઈ દૂર થાય છે. પ્રોટીન અને વિટામિન યુક્ત કળથીની દાળથી પ્રસુતાનું દૂધ પણ વધે છે. પ્રસુતિ બાદ 45 દિવસ સુધી આ દાળ ખાવાથી ઘણો  લાભ થાય છે.

જે લોકોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા છે એમને દરરોજ આ દાળ ખાવી જોઇએ. એમાં મોજૂદ ફોસફોરસ કેલ્શિયમ આયરન અને અમીનો એસિડ શરીરમાં સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે  છે. મહિલાઓને  માસિક દરમિયાન આ દાળનું સેવન કરવું જોઇએ. તે પીરિયડ્સમાં થનારું બ્લીડિંગને ઓછું કરે છે અને જે મહિલાઓને અનિયમિત પીરિયડ્સ થાય છે એમને પણ કલથી ખાવાથી ફાયદો થાય છે.

વજન ઘટાડવા માટે કળથી  દાળ પણ ખૂબ અસરકારક છે. આ સિવાય આ દાળમાંથી શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે. શાકાહારી માટે  કુલ્થી દાળ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે. તે પર્યાપ્ત માત્રામાં ફાઇબર, વિટામિન અને ખનિજોમાં જોવા મળે છે. વજન ઘટાડવા માટે કળથીનો ઉપયોગ કરવો જોઈએ.

શરદી અને ખાંસીમાં આ દાળનું  સૂપ પીવાથી ફાયદો મળે છે. તે નાકને સાફ કરે છે જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે સાથે જ શરીરનું ઇમ્યૂન સિસ્ટમ પણ મજબૂત કરે છે. ડાયાબિટીસના લોકો માટે આ દાળ ખૂબ લાભદાયી છે. દરરોજ એ દાળનું સેવન કરવાથી લોહીમાં ગ્યૂકોઝનું લેવલ બરાબર રહે છે

પાચન ઠીક કરવામાં આ દાળ ખૂબ જ ફાયદાકારક હોય  છે. જો પેટ ફૂલવાની સમસ્યા થતી હોય તો કલથીનું સેવન કરવાથી તેમાં ફાયદો થાય છે. અનેક મહિલાઓને પ્રસુતિ બાદ એસિડિટીની સમસ્યા થાય છે. તેનાથી વજન વધે છે, ખોરાક પચતો નથી વગેરે જેવા કારણો થી છુટકારો મેળવવા માટે કળથી નું સેવન કરવું જોઈએ.

કળથીની દાળ કે સૂપ પીવાથી મહિલાઓને લાભ થાય છે. આયુર્વેદ અનુસાર મહિલાઓએ દરરોજ એક ચમચી કુળથીની દાળનો પાવડર લેવો જોઈએ. આ પાવડરનું સેવન 45 દિવસ સુધી કરવું. તેમાં વધારે માત્રામાં આયરન હોય છે જે મહિલાઓના શરીરને શક્તિ આપે છે.

કલથી પથરીને દૂર કરવામાં મદદરપ છે. કુલ્થીમાં વિટામીન A મળી આવે છે જે પથરીને ઓગાળે છે. પથરી નિકળી ગયા બાદ પાંચ દિવસ સુધી દાળનું સેવન કરવું જોઇએ. દાળમાં ફાઇબર ખૂબ જ વધારે હોય છે. જેને હંમેશા કબજિયાતની સમસ્યા રહે છે એ લોકોએ દાળનું સેવન રોજ કરવું જોઇએ.

કલથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરે છે.આ નાડી પાચનમાં ખૂબ જ અસરકારક હોય છે, ડાયાબિટીઝવાળા લોકો માટે, આ પલ્સ એ રામબાણ છે, દરરોજ લોહીમાં લોહીમાં ગ્લુકોઝનું સ્તર યોગ્ય છે.દાળમાં ઘણાં બધાં ફાઈબર હોય છે, તેથી તે કબજિયાત માટે પણ મદદગાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top