ચરબીની ગાંઠ, બ્લડપ્રેશર અને શિયાળામાં થતાં ચામડીના રોગથી માત્ર 24 કલાકમાં કાયમી છુટકારો કરતી આયુર્વેદની બેસ્ટ ઔષધિ છે આ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા હતાં.

કાંચનાર એ ગીરનારમાં મળનારી અલભ્ય વનસ્પતિઓમાંની એક છે. આ વનસ્પતિને લાટીનમાં બોહિનીયા વેરિયેગેટા કહેવામાં આવે છે. મોટા વૃક્ષના સ્વરૂપમાં જોવા મળતી આ વનસ્પતિના લાકડા લાલ રંગના હોય છે. કાંચનાર કૃમિ, કફ, પિત, રક્તપિત્ત અને કોઢ જેવા રોગોમાં ફાયદા કારક છે. કંચનારની છાલને ઘસીને તેનું ચૂર્ણ કરી ચોખાના ઓસામણમાં નાખીને 40 દિવસ સુધી આપવાથી ગંડમાળના રોગમાં રાહત થાય છે.

કાંચનારનું ફૂલ ઘણા રોગોને જડમૂળથી ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફૂલના ઝાડના પાન, દાંડી અને ફૂલો તમામાં ઔષઘિયો ગુણ હોય છે. ગુલાબી કચનાર ફૂલને સૌથી સારું માનવામાં આવે છે. કચનાર શરીરના કોઇ પણ ભાગમાં થનારી ગાંઠને ઓગાળવાની તાકાત રાખે છે. આટલું જ નહીં બ્લડથી જોડાયેલી સમસ્યા અને સ્કીન રોગ જેમ કે દાદર, ખરજવું ખણ, એક્ઝીમા, ફોડલી વગેરે માટે પણ કચનારની છાલ ખૂબ જ ઉપયોગી છે.

એના ફૂલ, છાલને રોગ અનુસાર ઉપયોગ કરવામાં આવે છે. આ એટલું લાભદાયક હોય છે કે એનો પ્રયોગ થોડાક દિવસ કરવાથી રોગ ઠીક થવા લાગે છે. કચનારની છાલનો એક ચમચી પાઉડર, એક કપ છાસ સાથે દિવસમાં ત્રણ વખત લેવાનું શરૂ કરી દો. આવું કરવાથી બવાસીર ઠીક થઇ જાય છે. એની સાથે જ કચનારની કળીઓના પાઉડરને માખણ અને ખાંડ સાથે મિક્સ કરીને 11 દિવસ સુધી સતત ખાતા રહો.

આંતરડામાં જો તમને કીડા હોય તો તમે કચનારની છાલનો કાઢો બનાવીને પીવો, દિવસમાં બે વખત દરરોજ 11 દિવસ સુધી કાઢો પીવો. શરીરમાં ક્યાંય પણ સોજા હોય તો ત્યાં કચનારની ડાળીને પાણીમાં ઘસીને લેપ બનાવી લો અને એને ગરમ કરીને લગાવો. કચનારની છાલને પીસીને પાઉડર બનાવી લો. એક ચમચી પાઉડરમાં લગભગ અડધી ગ્રામ સૂંઠને ચોખા ધોયા બાદ બચેલા પાણીમાં મિક્સ કરો અને એનો લેપ તમારા બ્રેસ્ટ પર લગાવો, દિવસમાં ત્રણ વખત લેપ લગાવવાથી થોડાક જ દિવસોમાં ગાંઠ ઓગળી જશે.

કાંચનારની છાલનો કાઢો બનાવીને સવાર સાંજ પીવાથી ઘાવ ઠીક થઇ જાય છે. કચનારના ઔષધિયો ગુણોને નકારી શકાય નહીં, કારણ કે એમાં એવા ઘણા તત્વ મળી આવે છે જે રોગોને દૂર કરવા માટે ખૂબ કારગર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top