શરદી અને ફ્લૂ, યુરિક એસિડ, દાંતના પીળાશ જેવા 100થી વધુ રોગોનો ઈલાજ છે આનો ઉપયોગ, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા ખાવાના સોડા માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ જ વધારતો નથી પરંતુ તેનો ઉપયોગ શરીર માટે પણ થાય છે. ખાવાના સોડામાં ઘણા એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફેંગલ, એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણધર્મો છે. જેના કારણે તે ત્વચા, વાળ અને શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આ લેખમાં, અમે તમને ખાવાના  સોડાના ફાયદા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

શરીરમાં યુરિક એસિડ વધારે બનાવાના કારણે સાંધાના દુખવાની સમસ્યા થાય છે. ખાવાના  સોડાને પાણી સાથે મિક્સ કરીને પીવાથી આ દર્દમાં આરામ મળે છે. કેમકે ખાવા નો સોડા શરીરમાં યૂરિક એસિડને જમા થવાથી રોકે છે. ખાવા નાં સોડાનો આ એક સારો સ્વાસ્થ્ય લાભ થાય છે.

બ્લેકહેડ્સથી લઈને ખીલ, સ્પોટ્સ વગેરે જેવી સમસ્યામાં ખાવાના સોડા સૌથી સારો ઉપાય છે. તેના માટે એક ચમચી ખાવાના સોડામાં  એક ચમચી પાણી ઉમેરી બંનેને બરાબર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટને ચહેરા પર લગાવી હળવા હાથે સ્ક્રબ કરવું. આ ઉપાયથી ત્વચા પર ડેડ સેલ્સ હટી જશે અને નવા સેલનું નિર્માણ કરશે જેનાથી ચહેરાનો ગ્લો વધી જશે.

ખાવાના સોડા ખીલ અને મસા માટે વરદાન સ્વરૂપ છે. તેના માટે ખાવાના સોડામાં પાણી મિક્સ કરીને તે પેસ્ટને જ્યાં ખીલ અને મસા થયા છે તે ભાગ પર લગાવવા. ત્યાર બાદ 2 થી 3 મિનીટ સુધી પેસ્ટ લાગવી રાખવી ત્યાર બાદ ચહેરાને થોડા ગરમ પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં આ પ્રયોગ બે વખત કરવો તેનાથી ફાયદો થશે.

ચહેરા પરના કાળા હોંઠ ચહેરાના દેખાવને ખરાબ કરે છે. પરંતુ કાળા હોંઠને તમે ખાવાના સોડાની મદદથી ગુલાબી બનાવી શકો છો. તેના માટે અડધી ચમચી ખાવાના સોડામાં થોડું મધ ઉમેરવું. ત્યાર બાદ તે પેસ્ટને હાથમાં લઇ હોંઠો પર લગાવી હળવા હાથે મસાજ કરવી. પ્રયોગ કરતા જ તમને ફરક જણાશે. ગળાની ખારાશને દૂર કરવા ખાવાનાં સોડા ખૂબ કારગર માનવમાં આવે છે ગળાની ખરાસ થવા પર 1 ગ્લાસ ગરમ પાણીમા ખાના સોડા અને 1 ચમચી મીઠું મિશ્ર કરી સવારે અને સાજે  કોગળા કરવા.

દાંતના પીળાશને દૂર કરવા માટે ખાવાનાં સોડા એક કારગર ઉપાય છે. બ્રશમા થોડીક માત્રામા ખાવાના સોડા લઈ બ્રશ કરવાથી દાંતના પીળાપનને દૂર કરી શકાય છે પરંતુ આનો વધુ ઉપયોગ કરવાથી બચવું જોઈએ. શરીરમાથી આવતી પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે ખાવાનાં સોડાનો ઉપયોગ થાય છે આ ખાવાના સોડા પરસેવાને સોસી લે છે જેના કારણે શરીરમાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે એના માટે 2 ચમચી ખાવાના સોડા અને 2 ચમચી ફટકડી પાવડરને નાવાંનાં પાણીમાં નાખી સ્નાન કરવું જોઈએ.

ખાવાના સોડા શરદી અને ફ્લૂ માટે એક પ્રાકૃતિક ઔષધિ છે. જો ઈન્ફેક્શન થતા પહેલા જ આનો ઉપયોગ કરવામાં આવે તો આ શરદી અને ફ્લૂના વાયરસને સરળતાથી મારી દે છે. જો તમને એસિડિટી અથવા પેટના દુખાવાની સમસ્યા છે તો 1 ગ્લાસ પાણીમા અડધી ચમચી ખાવાના સોડા અને 2 ચમચી લીબુના રસને મિશ્ર કરી પીવાથી આરામ મળે છે.

ગરમીની ઋતુમાં ઓઈલી સ્કીન પરેશાન કરતી હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે ખાવાના સોડા રામબાણ ઈલાજ છે. તેના માટે ખાવાના સોડા ફેસ પર લગાવવો. એક ચમચી ખાવાના સોડામાં એક ચમચી પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તે પેસ્ટ ચહેરા પર લગાવી બે ત્રણ સેકન્ડ સુધી મસાજ કરવી જોઈએ. ત્યાર બાદ તે પેસ્ટને 10 મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખવી ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો. ઓયલી વાળ અથવા અસ્વસ્થ વાળ માટે પણ ખાવાના સોડાનો ઉપયોગ કરી શકાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top