ફક્ત 1 મહિના માં નપુસંકતા, મગજની નબળાઈ અને કોલેસ્ટ્રોલ માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખારેક ને સુકામેવા તરીકે ઓળખવામાં આવે છે. ખારેકની પોષણ ક્ષમતા ખૂબ ઊંચી છે, તેનામાં કોલેસ્ટ્રોલનું કોઈ પ્રમાણ નથી. તેથી જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો ખારેકનો ઉપયોગ કરી શકો છો. જાણો આ લેખ દ્વારા ખરેકના બીજા ઘણા ફાયદા વીશે.

ખારેકમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ક્ષમતા રહેલી છે. ખારેકમાં ભરપુર પોષકતત્વો, એન્ટીઑકિસડન્ટ અને ઇસોફ્લાવોન્સ રહેલા છે જે કોલેસ્ટ્રોલને રક્તવાહિનીમાં જમા થતું અટકાવે છે. ખારેકની એન્ટી એથરોસ્ક્લેરોસિસની ગુણવત્તા હૃદયને સલામતી આપે છે. તે બ્લડપ્રેશર પણ ઓછુ કરે છે.

ખારેક ખાવાથી કબજિયાતથી રાહત મળે છે. તેમાં રહેલા મિનરલ્સ અને પોષકતત્વ પાચનતંત્રને તંદુરસ્ત બનાવે છે અને કબજિયાતમાંથી રાહત અપાવે છે. એક રાત ખારેકને પાણીમાં રાખી અને તેને સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે તો તે શરીરમાં મિનરલ્સનું નિયમન કરવામાં મદદ કરે છે.

તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમની ઊંચી માત્રાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી લાભદાયક ગણવામાં આવે છે. હાડકાંની તંદુરસ્તી જાળવી રાખવા માટે આ તમામ મિનરલ્સ ખુબ જ નિર્ણાયક છે. ખારેકમાં રહેલું વિટામીન-કે હાડકાંને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે મદદ કરે છે. જો તમે વૃદ્ધાવસ્થામાં ઓસ્ટીયોપોરોસિસથી દૂર રહેવા માંગતા હો, તો ખારેક સાથે મિત્રતા કરી લો!

સહનશક્તિમાં ઘટાડો, ઉત્સુકતામાં ઘટાડો તેમજ જાતીય ઇચ્છાથી પીડાતા લોકો માટે ખારેક ખાવી ખુબ જ અનિવાર્ય છે. ખારેકમાં ફલેવોનોઈડ્સ અને એસ્ટ્રાડીઓલનું સમૃદ્ધ પ્રમાણ રહેલું હોવાથી તે શુક્રાણુની સંખ્યા, ગતિશીલતા અને સહનશક્તિમાં વધારો કરે છે. પ્રેગ્નન્સી દરમિયાન ખારેક ખાવા માટે સલાહ આપવામાં આવે છે.

બકરીના દૂધમાં એક રાત થોડી ખારેક નાખી તમે આ કુદરતી ઉપાય અજમાવી શકો છો. સવારમાં, મધની ૧-૨ ચમચી અને થોડી લીલી એલચી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ પ્રવાહી પીવાથી ચોક્કસપણે જાતીય સહનશક્તિમાં સુધારો આવે છે. જો તમે ખારેકના પોષણ ચાર્ટ પર નજર કરશો તો તેમાં પુષ્કળ ઓર્ગેનિક સલ્ફર મળશે.

ખારેકમાં નિકોટિન અને ફાઇબર પુરતી માત્રામાં રહેલા હોવાથી તે હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે. ખારેકને નિયમિત માત્રામાં લેવા આવે તો તે શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે. ખારેકમાં રહેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાયબર, આંતરડામાં રહેલા તંદુરસ્ત બેક્ટેરિયાની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.

ખારેક કોલોરેક્ટલ કેન્સર (કોલોનનું કેન્સર) જેવા રોગની સામે પાચનતંત્રનું રક્ષણ કરે છે. ફાઈબર, આંતરડામાં પોષક તત્ત્વોનું યોગ્ય શોષણ કરે છે અને પાચનમાં પણ મદદ કરે છે. નર્વસ સિસ્ટમને તંદુરસ્ત રાખવા માટે પણ ખારેક ખુબ જ ઉપયોગી છે. ખારેકમાં પોટેશિયમ, એન્થોકયાનિન, ફિનોલેક્સ અને પ્રોટોકટચ્યુઇક એસિડ રહેલા છે, જે મગજમાં થતી બળતરાને અટકાવે છ.

તેની સતર્કતા, ઝડપ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં સુધારો કરે છે. તે માટે, એક ગ્લાસ દૂધ સાથે કેટલીક ખારેકને ઉકાળો, તેમજ આ મિશ્રણમાં કેસર અને ચપટી હળદર નાખો. શ્રેષ્ઠ પરિણામ મેળવવવા માટે તેને રાત્રે સુઈ જતા પહેલાં પીવું. ખારેક ખાવથી માત્ર હેલ્થને લાભ નથી થતો, પરંતુ સ્કીનને પણ લાભ થાય છે.

ખારેકમાં વિટામિન સી, ઇ અને ડી નું પ્રમાણ ખુબ જ રહેલું છે. ખારેકમાં રહેલા ફલેવોનોઈડ્સ, ફાયટોહોમૉન્સ અને એન્ટીઑકિસડન્ટ્સ ચામડી પર વિરોધી રીતે અસર કરે છે. ખારેકના લાભ વાળ સુધી પણ ફેલાયેલા છે. ખારેકમાં રહેલા આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સ વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ખારેક હેર ફોલને અટકાવે છે અને વાળની વૃદ્ધિની ખાતરી આપે છે.

ખારેકમાં રહેલા આયર્નના પ્રમાણને લીધે, પાંડુરોગથી પીડાતા લોકો માટે તે શ્રેષ્ઠ ઔષધ છે. પાંડુરોગ સામે લડવા માટે નાસ્તા સાથે ખારેક પણ ખાવી જરૂરી છે. મજબૂત હાડકાંનું નિર્માણ, એલર્જી સામે રક્ષણ અને મગજને તંદુરસ્ત રાખવા વગેરે ઉપરાંત, તે પ્રેગનન્સી દરમિયાન હેમરોઈડ્સ જેવા રોગ સામે પણ રક્ષણ આપે છે.

ખારેકમાં રહેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાયબર, આંતરડામાં રહેલા તંદુરસ્ત બેક્ટેરિયાની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. જ્યારે તાત્કાલિક શક્તિની જરૂર પડે છે ત્યારે ખારેક ખાવાથી શક્તિમાં વધારો કરી શકાય છે. દરરોજ જીમ કરતી વ્યક્તિ પહેલા ખારેક ખાય છે અને ત્યારબાદ તેમના વર્કઆઉટની શરૂઆત કરે છે. મધ્ય પૂર્વના લોકો પાણી સાથે બે ખારેક ખાઈને તેમના રોઝા તોડે છે.

ચોમાસામાં જાત-જાતનાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ સમયે હેલ્ધી રહેવા માટે અને ઇન્ફેક્શનથી બચવા માટે, એક સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટીની જરૂર રહે છે, રોગો સામે લડવા માટે, રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રૉન્ગ બનાવવા ખારેક અત્યંત ઉપયોગી છે.

ખારેકમાં ઘણી વધુ માત્રામાં વિટામિન-C રહેલું છે જે રોગપ્રતિકારક શક્તિને બળ આપે છે જેને લીધે ચોમાસમાં થતાં ઇન્ફેક્શન, શરદી, ઉધરસથી બચવામાં મદદ મળે છે. આ સિવાય વિટામિન-એ અને સી કારણે આંખ, સ્કિન અને વાળ માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top